SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિની ક્ષણભંગુરતા ભૂમિપાળ રાજાની કથા પૃથ્વીપુરમાં ભૂમિપાલ રાજા રાજ્ય કરતો હતો. તે પુરમાં એક શાસ્ત્રમાં પ્રવીણ બ્રાહ્મણ હતો, તે એક વેશ્યામાં આસક્ત થયો હતો. એકદા કૌમુદી ઉત્સવમાં રાજાની રાણી સર્વ અલંકાર પહેરી રથમાં બેસીને જતી હતી. તે વખતે તે વેશ્યા રાણીના કંઠમાં રહેલો હાર જોઈને મોહ પામી; તેથી તેણે પેલા પંડિતને કહ્યું કે “હે પ્રાણેશ! જો તમારે મારા શરીરસુખને અનુભવવાની ઇચ્છા હોય અર્થાત્ મારા પર અધિક પ્રીતિ હોય તો રાણીના કંઠમાં રહેલો હાર ચોરીને મને લાવી આપો.'’ તે સાંભળી વેશ્યાને આધીન થયેલો વિષયનો ભિક્ષુ તે પંડિત ચોરી કરવા માટે ચોરની જેમ ગુપ્ત રીતે રાજમંદિરમાં ગયો. ત્યાં રાજાને જાગતો જોઈને છાની રીતે રાજાના પલંગની નીચે સંતાઈ રહ્યો. તે વખતે રાજાએ સંપત્તિના ગર્વથી એક શ્લોકના ત્રણ પદ રચ્યાં; આ ત્રણ પદમાં પોતાના બધા ભવનું વર્ણન આવી ગયું. હવે ચોથા પદમાં શું લખવું તે વિચારતો રાજા આ ત્રણ પદ વારંવાર બોલવા લાગ્યો. તે આ પ્રમાણે– વ્યાખ્યાન ૩૨૩] चेतोहरा युवतयः स्वजनानुकूलाः સાન્યવા प्रणयनम्रगिरश्च મૃત્યાઃ गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरंगाः ભાવાર્થ-“મારે ચિત્તને હરણ કરે તેવી સ્ત્રીઓ છે, અનુકૂળ સ્વજનો છે, સારા બાંધવો છે, પ્રણય કરીને નમ્ર વાણી બોલનારા ભૃત્યો છે, આંગણામાં હસ્તિના સમૂહો ગર્જના કરી રહ્યા છે તથા ચંચળ ઘોડાઓ છે— ૧૩૫ આ ત્રણ પદ વારંવાર રાજાના મુખથી બોલાતા સાંભળીને તે પંડિત ચોથું પદ પૂરું કરીને બોલ્યો કે– संमीलने नयनयोर्न हि किंचिदस्ति ॥ १ ॥ ‘પણ આંખો મીંચાયા પછી તેમાનું કાંઈ જ નથી, અર્થાત્ મૃત્યુ થાય એટલે તે સર્વ નિષ્ફળ છે.’’ આ ચોથું પદ સાંભળીને એકદમ આશ્ચર્ય પામેલો રાજા વિચાર કરીને બોલ્યો કે “અહો! પહેરગીરોને છેતરીને મારા મહેલમાં કોણ આવ્યું છે? દેવ, દાનવ અથવા મનુષ્ય જે હો તે એકદમ પ્રગટ થાઓ.’’ તે સાંભળીને જેનો દેહ કંપાયમાન થઈ રહ્યો છે એવો તે પંડિત પ્રગટ થઈને બોલ્યો કે “હે સ્વામી! આપનો ગર્વ હરણ કરવાના હેતુથી ચોથું પદ પૂરું કરવા માટે આ નવીન માર્ગથી હું અહીં આવ્યો છું.’ રાજાએ કહ્યું કે “સત્ય બોલ, અસત્ય શા માટે બોલે છે?' ત્યારે તે પંડિતે સર્વ સત્ય વાત રાજાને કહી સંભળાવી. તે સાંભળીને રાજાએ તેને હાર આપ્યો, અને ‘ગુરુ હોવાથી અવધ્ય છે’ એમ વિચારીને તેને છોડી મૂક્યો. પછી તે પંડિતે કહેલા ચોથા પદથી પ્રતિબોધ પામેલો રાજા પ્રાતઃકાળે રાજસભામાં ગયો. તે વખતે કંચુકીના મુખથી શ્રીમાન્ સુધર્મ ગુરુનું આગમન સાંભળીને હર્ષપૂર્વક તે ગુરુ પાસે જઈ તેમને વંદના કરી યોગ્ય સ્થાને બેઠો. તે વખતે ગુરુએ નીચે પ્રમાણે ધર્મદેશના આપી. Jain Education International बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु મહાત્મનઃ । અન્તરેવાવમાસન્ત, તાઃ સર્વા: સમૃદ્ધયઃ ॥શી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy