SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૨૪] કર્મની વિચિત્રતા. ૧૩૭ ઉપકાર કરનારી તીર્થંકરની પદવી, તે પણ અશંગ યોગના સાઘનથી સિદ્ધ થયેલા મુનિને કાંઈ જ દૂર નથી; અર્થાતુ ત્રિલોકમાં અદ્ભુત પરમાર્થને આપવા વગેરે રૂપ અતિશયવાળી તીર્થકરની સમૃદ્ધિ પણ યથાર્થ માર્ગમાં રહેલા સાઘક પુરુષની પાસે જ છે.” માટે સર્વ ઉપાધિનો ત્યાગ કરીને આત્માના રત્નત્રયની સાઘના કરવી, જેથી સર્વ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા ભૂમિપાળ રાજાએ સર્વ બાહ્ય સંપત્તિને ક્ષણભંગુર જાણી તેનો ત્યાગ કરીને સાઘુઘર્મ (ચારિત્ર) અંગીકાર કર્યો. ભૂમિપાળ રાજાની જેમ બાહ્ય સંપત્તિ ક્ષણભંગુર છે–નાશવંત છે એવો નિશ્ચય હૃદયમાં ઘારણ કરવો, જેથી આત્મામાં જ રહેલી ઇંદ્રની તથા ચક્રવર્તીની સર્વ સંપત્તિ સહેજે પ્રાપ્ત થશે.” વ્યાખ્યાન ૩૨૪. કર્મની વિચિત્રતા दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य न विस्मितः । जगत् कर्मविपाकस्य, जानन् परवशं मुनिः॥१॥ ભાવાર્થ-“આ ચરાચર જગત શુભ અને અશુભ ઉદયવાળા કર્મવિપાકને પરવશ છે, એમ જાણનાર તત્ત્વરસિક મુનિ અશાતાદિક દુઃખને પામીને દીન થતા નથી; કેમકે કર્મ કરતી વખતે વિચાર કર્યો નહીં, તો હવે તીવ્ર રસ વડે બંઘાયેલા કર્મના ઉદયમાં દીનતા શી કરવી? એમ સમજે છે, તેમજ શાતાદિક સુખને પામીને વિસ્મિત (હર્ષિત) થતા નથી; કેમકે એ પણ શુભ કર્મના વિપાક છે એમ જાણે છે. વળી येषां भ्रूभंगमात्रेण, भज्यन्ते पर्वता अपि । પ્રાતીયાં તુર્કશાયાં તે, પ્રાથને વવારે નાશનમ્ ારા ભાવાર્થ-“જેઓની ભ્રકુટીના ભંગ માત્ર કરીને પર્વતો ભાગી જાય છે, એવા મહા શક્તિવાન પુરુષ પણ જ્યારે દુર્દશા પ્રાપ્ત થાય છે ત્યારે કોણ જાણે ક્યાં નાશ પામી જાય છે તેની ખબર પણ પડતી નથી.” આ પ્રસંગ ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે કદંબ વિપ્રની કથા કાકંદી પુરીમાં સોમશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને કદંબ નામે પુત્ર હતો. તે શૌચઘર્મમાં અતિ આગ્રહી હતો. અપવિત્ર કે નીચ માણસની છાયા માત્રનો પણ સ્પર્શ થતાં તે સર્વ વસ્ત્ર સહિત સ્નાન કરતો; તેથી લોકો તેને પાણીનો પિશાચ એવા નામે બોલાવતા હતા. તે મુખ અને નાસિકાને વસ્ત્રના છેડાવતી ઢાંકીને સર્વત્ર હું હું કરતો અટન કરતો હતો. કોઈ માણસના વસ્ત્રનો છેડો તેને અડકી જતો તો તે તેના પર દ્વેષ કરતો. આવી રીતે શૌચ ઘર્મ પાળતાં કેટલેક કાળે તે ગલકુષ્ઠ વગેરે વ્યાધિથી ગ્રસ્ત થયો, તેથી તેનો કોઈ પણ સ્પર્શ કરતું નહીં. વૈદ્ય પણ તેનો ચેપ લાગવાના ભયથી તેની નાડી પણ જોતા નહીં. કહ્યું છે કે ज्वरो भगंदरः कुष्ठः, क्षयश्चैव चतुर्थकः। एते संस्पर्शतो रोगाः, संक्रमन्ति नरान्नरम् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy