SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૨૧] આત્મપ્રશંસા ૧૩૧ ઉપાનહ પહેર્યા વિના વિચરે છે, પણ મારે તો પગની રક્ષા માટે ઉપાનહ હો. આ મુનિઓ શીલ વડે જ સુગંધી છે, પણ હું શીલથી ભ્રષ્ટ હોવાથી દુગંધી છું, માટે મારે સુગંધ માટે ચંદનનાં તિલકાદિ હો. આ મુનિઓ કષાયરહિત હોવાથી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું ક્રોધાદિક કષાયવાળો હોવાથી મારે કષાય રંગવાળા વસ્ત્ર હો. આ મુનિઓ બહુજીવોની હિંસાવાળા સચિત્ત જળના આરંભને તજે છે, પણ મારે તો સ્નાન તથા પાન પરિમિત જળથી હો.” આ પ્રમાણે ચારિત્રનો નિર્વાહ કરવા સંબંધી કષ્ટ સહન કરવામાં કાયર થયેલા મરીચિએ પોતાની બુદ્ધિથી વિકલ્પ કરીને પરિવ્રાજકનો નવો વેષ અંગીકાર કર્યો. તેને તેવો નવીન વેષઘારી જોઈને સર્વ લોક ઘર્મ પૂછતા હતા; પરંતુ મરીચિ તો શ્રી જિનેશ્વરે પ્રરૂપેલો સાઘુઘર્મ જ કહેતો હતો. સર્વની પાસે જ્યારે તે એવી શુદ્ધ ઘમદશનાનું પ્રરૂપણ કરતો, ત્યારે લોકો તેને પૂછતા કે “ત્યારે તમે પોતે કેમ તેવા ઘર્મનું આચરણ કરતા નથી?” તેને જવાબમાં તે કહેતો કે “હું તે મેરુ સમાન ભારવાળા ચારિત્રને વહન કરવા સમર્થ નથી.” એમ કહીને પોતાના સર્વ વિકલ્પ કહી બતાવતો હતો. એ પ્રમાણે તેમના સંશય દૂર કરીને પ્રતિબોઘ પમાડેલા તે ભવ્ય જીવો જ્યારે દીક્ષા લેવા તૈયાર થતા, ત્યારે તેમને મરીચિ શ્રી યુગાદીશ પાસે જ મોકલતો હતો. આ પ્રમાણે આચાર પાળતો મરીચિ સ્વામીની સાથે જ વિહાર કરતો હતો. અનુક્રમે વિહાર કરતાં સ્વામી ફરીથી વિનીતાનગરીમાં સમવસર્યા. ભરતચક્રીએ આવીને પ્રભુને વંદના કરી. પછી ભવિષ્યમાં થવાના તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરેનું સ્વરૂપ પૂછ્યું; એટલે પ્રભુએ તે સર્વનું યથાસ્થિત વર્ણન કર્યું. ફરીથી ચક્રીએ પૂછ્યું કે “હે સ્વામી! આ પર્ષદામાં એવો કોઈ જીવ છે કે જે આ ભરતક્ષેત્રમાં આપના જેવો તીર્થકર થવાનો હોય?” સ્વામી બોલ્યા કે “આ તારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે ચોવીસમા તીર્થંકર થશે અને પ્રથમ વાસુદેવ થશે, તથા મહાવિદેહક્ષેત્રમાં ચક્રવર્તી થશે.” તે સાંભળીને ભરતચક્રી મરીચિ પાસે જઈ તેને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને બોલ્યા કે “તમારું આ પરિવ્રાજકપણું વંદન કરવા યોગ્ય નથી; પણ તમે ભાવી તીર્થકર છો, તેથી હું તમને વાંદું છું.” એમ કહીને પ્રભુએ કહેલું સર્વ વૃત્તાંત ચક્રીએ મરીચિને કહી બતાવ્યું. તે સાંભળીને મરીચિ મહા હર્ષથી પોતાની કાખલીનું ત્રણ વાર આસ્ફોટન કરીને ઊંચે સ્વરે બોલ્યો કે “હું પહેલો વાસુદેવ થઈશ. મૂકા નગરીમાં હું ચક્રવર્તી થઈશ તથા છેલ્લો તીર્થંકર પણ હું થઈશ. તેથી હવે મારે બીજી કાંઈ પણ ઇચ્છા નથી.” વળી आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तिनाम् । पितामहस्तीर्थकृता-महो! मे कुलमुत्तमम् ॥१॥ ભાવાર્થ-“હું વાસુદેવોમાં પહેલો, મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા, અને મારા પિતામહ તીર્થકરોમાં પહેલા, અહો! મારું કુળ કેવું ઉત્તમ છે?” ઇત્યાદિ આત્મપ્રશંસા કરવાથી તેણે નીચ ગોત્રકર્મ ઉપાર્જન કર્યું. એકદા તે મરીચિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો. તે ભ્રષ્ટ હોવાથી તેની સારવાર કોઈ સાઘુએ કરી નહીં, તેથી તે ગ્લાનિ પામીને વિચાર કરવા લાગ્યો કે “અહો! આ સાધુઓ દાક્ષિણ્યગુણથી રહિત છે. મારી સારવાર કરવી તો દૂર રહી, પણ મારા સામું પણ જોતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy