SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ અથવા મેં આ ખોટો વિચાર કર્યો; કેમકે આ મુનિજનો પોતાના દેહની પણ પરિચર્યા કરતા નથી, તો પછી મારી ભ્રષ્ટ ચારિત્રવાળાની સારવાર તો શેની જ કરે? માટે હવે તો આ વ્યાધિ શાંત થાય એટલે એક શિષ્ય કરું.'' એમ વિચારતાં કેટલેક દિવસે મરીચિ વ્યાધિરહિત થયો. અન્યદા તેને કપિલ નામનો એક કુલપુત્ર મળ્યો. તેની પાસે મરીચિએ આર્હત ધર્મનો ઉપદેશ કર્યાં. તે સાંભળી કપિલે તેને પૂછ્યું કે “શું તમારા મતમાં તો ધર્મ રહેલો જ નથી?'' તે સાંભળીને તેને જિનોક્ત ધર્મમાં આળસુ જાણી શિષ્ય કરવાની ઇચ્છાવાળા મરીચિએ કહ્યું કે ‘‘જૈનમાર્ગમાં પણ ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે.'' તે સાંભળીને કપિલ મરીચિનો શિષ્ય થયો. આવો મિથ્યા ધર્મનો ઉપદેશ કરવાથી મરીચિએ એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. પછી તે પાપની આલોચના કર્યા વિના અનશન વડે મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. કપિલ પણ પોતાના પરિવ્રાજક ધર્મનો ઉપદેશ દઈ ઘણા શિષ્યો કરી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. તે કપિલ દેવે અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વ ભવ જાણીને મોહથી પૃથ્વીપર આવી પોતે પ્રકટ કરેલા સાંખ્યમતનો અસુર વગેરેને બોધ કર્યો. ત્યારથી આરંભીને સાંખ્ય દર્શનની પ્રવૃત્તિ થઈ. કેમકે “ઘણું કરીને સુખે થઈ શકે તેવી ક્રિયામાં લોકોની પ્રવૃત્તિ વિશેષ થાય છે.’’ તેઓ કહે છે કે “પચીશ તત્ત્વને જાણનાર માણસ ક્રિયા કરે અથવા ન કરે તોપણ તે નિશ્ચે મોક્ષપદ પામે છે.’’ આવો તેમનો (જ્ઞાનવાદીનો) મત છે. આ સ્થળે બીજું ઘણું કહેવાનું છે. તે શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના દશમા પર્વથી જાણી લેવું. અહીં તો આત્મપ્રશંસા ન કરવી એટલું જ આ ઉપદેશનું તાત્પર્ય છે. “આત્મપ્રશંસા કરવાથી મરીચિએ ૧નીચ ગોત્રકર્મ ઉપાર્જન કર્યું, અને ઉત્સૂત્રની પ્રરૂપણા કરવાથી અસંખ્ય ભવ કર્યા, માટે ભવ્ય પ્રાણીઓએ તે પ્રમાણે કરવું નહીં.’’ વ્યાખ્યાન કર તત્ત્વદ્રષ્ટિ रूपे रूपवती दृष्टि - र्दृष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥ १ ॥ ભાવાર્થ-‘પુદ્ગલના સ્વરૂપને ગ્રહણ કરનારી દૃષ્ટિ (ચક્ષુ) શ્વેતાદિક રૂપને જોઈને તે રૂપમાં (વર્ણાદિમાં) મોહ પામે છે; પણ રૂપરહિત એવી જ્ઞાનરૂપ-આત્મચૈતન્યશક્તિલક્ષણ તત્ત્વવૃષ્ટિ તો નીરૂપ (રૂપરહિત) આત્માને વિષે જ મગ્ન થાય છે; માટે અનાદિકાળની બાહ્ય દૃષ્ટિનો ત્યાગ કરીને આત્મસ્વરૂપના ઉપયોગવાળી આંતર દૃષ્ટિ કરવી.’’ ग्रामारामादि मोहाय यद्दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्ट्या तदेवान्त - र्नित्यं વૈરાગ્યસંવે ર ભાવાર્થ-‘બાહ્ય દૃષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે, ૧. મરીચિના ભવમાં કુળમદ કરવાથી તે પછીના કેટલાય ભવોમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા અને છેલ્લા ભગવાન મહાવીરના ભવમાં પણ દેવાનંદા બ્રાહ્મણીની કૂખે અવતરવું પડ્યું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy