SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૨ વ્યાખ્યાન ૩૨૧ આત્મપ્રશંસા गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥४॥ ભાવાર્થ-“જો કેવળજ્ઞાનાદિક ગુણોએ કરીને પૂર્ણ ન હોય તો આત્મશ્લાઘાથી સર્યું, કેમકે ગુણરહિત આત્માની શી પ્રશંસા કરવી? અને જો સમ્યગુ રત્નત્રયાદિક ગુણોએ કરીને પૂર્ણ હો, તો પણ આત્માની પ્રશંસા કરવાથી સર્યું. કેમકે વાણી વડે માત્ર આત્માની શ્લાઘા કરવાથી શું? શુદ્ધ ગુણો પોતાની જાતે જ પ્રગટ થાય છે.” आलंबिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । દો! સ્વયં ગૃહીતાસ્તુ, પાતત્તિ મોથારા ભાવાર્થ-“અન્ય જનોએ પોતાના ગુણરૂપ રનું આલંબન કર્યું હોય તો તે કલ્યાણને માટે થાય છે. પણ તે ગુણરૂપી રઘુનું પોતે જ ગ્રહણ કર્યું હોય તો તે ભવસમુદ્રમાં નાંખે છે, તે મોટું આશ્ચર્ય છે.” પોતાના ગુણનું અન્યજનો સ્મરણ ચિંતન વગેરે કરે તો તેમનું કલ્યાણ થાય છે અને પોતાને સુખને માટે થાય છે, પણ પોતે જ પોતાના ગુણની શ્લાઘા કરે તો તે ઊલટા ભવસાગરમાં નાંખે છે, માટે પોતાના ગુણની શ્લાઘા કદી પણ પોતે કરવી નહીં. આ પ્રસંગ ઉપર મરીચિકુમારની કથા છે તે આ પ્રમાણે મરીચિકુમારની કથા ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિકુમાર એક વખત ચક્રીની સાથે આદીશ્વર ભગવાનને વંદન કરવા ગયો. ત્યાં શ્રી ઋષભસ્વામીના મુખથી સ્યાદ્વાદ ઘર્મનું શ્રવણ કરી પ્રતિબોઘ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર મુનિઓની પાસે રહીને અગિયાર અંગ ભણ્યા અને સ્વામીની સાથે ચિરકાળ વિહાર કર્યો. એકદા ગ્રીષ્મઋતુના તાપથી પીડા પામેલા મરીચિ મુનિ ચારિત્રાવરણીય કર્મનો ઉદય થવાથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “મેરુપર્વત જેટલા ભારવાળા અને વહન ન થઈ શકે તેવા મુનિના ગુણોને વહન કરવા સુખની આકાંક્ષાવાળો હું નિર્ગુણી હવે સમર્થ નથી, તો શું હવે હું લીધેલા વ્રતનો ત્યાગ કરું? ના, ત્યાગ કરવાથી તો લોકમાં મારી હાંસી થાય; પરંતુ વ્રતનો સર્વથા ભંગ ન થાય અને મને ક્લેશ પણ ન થાય તેવો એક ઉપાય મને સૂક્યો છે, તે એ કે આ પૂજ્ય મુનિવરો હમેશાં મન, વચન અને કાયાના ત્રણે દંડથી રહિત છે, પણ હું તો તે ત્રણે દંડથી પરાભવ પામેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહ્ન હો. આ મુનિઓ જિતેન્દ્રિય હોવાથી કેશનો લોચ કરે છે, અને હું તેથી જિતાયેલો હોવાથી મારે અસ્ત્રાથી મુંડન હો, તથા મસ્તક પર શિખા હો. આ મુનિઓ મહાવ્રતને ઘારણ કરનારા છે, અને હું તો અણુવ્રતને ઘારણ કરવા સમર્થ છું. આ મુનિઓ સર્વથા પરિગ્રહથી રહિત છે, પણ મારે તો એક મુદ્રિકામાત્ર પરિગ્રહ હો. આ મુનિઓ મોહના ઢાંકણ રહિત છે, અને હું તો મોહથી આચ્છાદિત છું, તેથી મારે માથે છત્ર ધારણ કરવાપણું હો. આ મહા ઋષિઓ પગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy