SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ભયતા ગુણ ૧૨૯ વ્યાખ્યાન ૩૨૦] પીલી નાંખીશ.'' તે સાંભળીને જીવવાની તથા મરવાની ઇચ્છાથી રહિત-નિર્ભય એવા સર્વે સાધુઓએ અંતિમ આરાઘના કરી. પછી તે દુષ્ટ પાલક આચાર્યને ઘાણી પાસે બાંધી રાખી તેની સન્મુખ એક પછી એક સાધુને ઘાણીમાં નાખીને પીલવા લાગ્યો! સૂરિએ કિંચિત્ પણ ખેદ કર્યા વિના સમયને યોગ્ય એવાં વાક્યોથી તે સર્વને નિર્યામણા કરાવી. તે આ પ્રમાણે– भिन्नः शरीरतो जीवो, जीवाद्भिन्नश्च विग्रहः । विदन्निति वपुर्नाशे - ऽप्यन्तः खिद्येत कः कृती ॥ १ ॥ ભાવાર્થ-જીવ શરીરથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છે. એ પ્રમાણે જાણનાર કો પંડિત પુરુષ શરીરનો નાશ થયે સતે અંતઃકરણમાં ખેદ કરે?’’ ઇત્યાદિ અનેક યુક્તિથી સૂરિએ બોધ પમાડેલા, શત્રુ તથા મિત્રને વિષે સમાન વૃષ્ટિવાળા અને ક્ષમારૂપી ધનવાળા તે સર્વ સાધુઓ અનુક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ પ્રમાણે તે પાપી પાલકે ચારસો ને નવ્વાણું સાઘુઓનો નાશ કર્યો! પછી છેવટના એક ક્ષુલ્લક (બાળક) સાધુને પીલવા તૈયાર થયેલા પાલકને આચાર્યે કહ્યું કે “ઠે પાલક! આ દયા કરવા યોગ્ય બાળકને પીલાતો જોવાને હું શક્તિમાન નથી, માટે તેની પહેલાં તું મને પીલ, અને પછી તેને પીલજે!'' તે સાંભળીને આચાર્યને વધારે દુઃખી કરવાની ઇચ્છાથી તેના દેખતાં પાલકે પ્રથમ તે બાળક સાધુને જ પીલવા માંડ્યો. તે પણ મહા ધૈર્યવાન બાળ સાઘુ ગુરુની નિર્યામણાથી મોક્ષે ગયા. પાલકના એવા દુષ્કૃત્યને જોઈને દુઃખિત હૃદયવાળા આચાર્યે ક્રોધ કરીને વિચાર્યું કે “આ પાપીએ પરિવાર સહિત મારો નાશ કર્યો, છેવટ એક ક્ષુલ્લક સાધુને પણ મેં કહ્યા છતાં એક ક્ષણવાર પણ બચાવ્યો નહીં; તો હવે જો મારા દુષ્કર તપનું કાંઈ ફળ હોય તો આવતા જન્મમાં આ દુષ્ટ પુરોહિત, રાજા અને આ આખા દેશનો હું બાળનાર થાઉં.’’ આ પ્રમાણે નિદાન કરીને સ્કન્ધકાચાર્ય તે પાપીથી પિલાઈ મૃત્યુ પામી વહ્નિકુમારનિકાયમાં દેવ થયા. હવે તે જ દિવસે સ્કંદક સૂરિની બહેન પુરંદરયશાને વિચાર થયો કે “કેમ આજે નગરમાં સાધુઓ જણાતા નથી?’' આ પ્રમાણે તે વિચાર કરતી હતી, તેવામાં Æકાચાર્યનું લોહી થી ખરડેલું રજોહરણ ઉપાડીને કોઈ ગીધ પક્ષીએ ભવિતવ્યતાને યોગે તે રાણીની પાસે જ પડતું મૂક્યું. તે લઈને ઉખેળતાં તેને માલૂમ પડ્યું કે “આ કાંબળનો કકડો મેં જ મારા ભાઈને તૈયાર કરીને દીક્ષા વખતે આપ્યો હતો.’’ આ નિશાનીથી મુનિઓને હણાયેલા જાણીને ખેદ પામેલી રાણીએ રાજાને કહ્યું કે ‘“રે દુષ્ટ! આ શું મોટું અકાર્ય કર્યું? આ મહાપાપથી તને મોટી વ્યથા પ્રાપ્ત થશે.’’ એમ કહીને વૈરાગ્યથી પુરન્દરયશા દીક્ષા લેવા ઉત્સુક થઈ. તે જાણીને તરત જ શાસનદેવતાએ તેને શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે મૂકી, ત્યાં તેણે દીક્ષા લઈ પરલોકનું કાર્ય સાધ્યું. હવે પેલા સ્કન્દક દેવતાએ અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વ વૃત્તાંત જાણી મહા ક્રોધથી આખા દેશ સહિત કુંભકારનગરને બાળી નાંખ્યું. તેથી તે સ્થાને મોટું અરણ્ય થયું. તે દેશનો રાજા દંડક હોવાથી ત્યાં થયેલું અરણ્ય હજુ સુધી પણ દંડકારણ્યને નામે પ્રસિદ્ધ છે. “ગુણના સમૂહને ધારણ કરનારા પાંચસો સાધુઓએ જેમ નિર્ભયતારૂપ ગુણનો ત્યાગ કર્યો નહીં, તેમ સાધુઓએ પણ તે ગુણનો ત્યાગ કરવો નહીં, અને સ્કન્દકાચાર્યની જેમ ક્રોધ કરવો નહીં.” Jain Educe[[[[ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy