SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૨ - ભાવાર્થ-“બ્રહ્મજ્ઞાન એટલે આત્મસ્વરૂપના અવબોઘ રૂપ અદ્વિતીય શાસ્ત્રને-બ્રહ્માસ્ત્રને ગ્રહણ કરીને સંગ્રામને મોખરે રહેલા ગજવરની જેમ મોહરૂપી સૈન્યને હણતા એવા આત્મસ્વરૂપમાં આસક્ત મુનિ કોઈ વખત પણ ભય પામતા નથી. કષ્ટમાં પડ્યા સતા પણ કર્મના પરાજયમાં પ્રવર્તે છે–તેનો ભય ઘરાવતા નથી; કેમકે તે શરીરાદિક સમગ્ર પરભાવથી વિરક્ત હોય છે.” આ સંબંઘમાં સ્કન્દક ઋષિની કથા છે તે આ પ્રમાણે સ્કન્દક મુનિની કથા શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાનો પુત્ર સ્કન્દક નામે હતો. તે રાજાને પુરન્દરયેશા નામે એક કન્યા હતી. તેને રાજાએ કુંભકાર નગરના રાજા દંડકને પરણાવી હતી. તે દંડક રાજાને પાલક નામનો દુષ્ટ અને અભિવ્ય પુરોહિત હતો. અન્યદા વશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તીનગરીમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને પોતાને ઘન્ય માનતો સ્કન્દક પ્રભુને વાંદવા ગયો. ત્યાં પ્રભુની દેશના સાંભળીને તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. એકદા પાલક પુરોહિત કાંઈક રાજકાર્ય માટે શ્રાવસ્તી નગરીએ આવ્યો. તેણે રાજસભામાં મુનિઓની નિંદા કરી. તે સાંભળી સ્કન્દકે તેનો પરાજય કરી તેને નિરુત્તર કર્યો તેથી તે પાલક સ્કન્દકની ઉપર દ્વેષ ઘારણ કરતો પોતાને સ્થાને ગયો. અનુક્રમે ભોગવિલાસ સંબંધી સુખ ભોગવીને વિરક્ત ચિત્તવાળા સ્કન્દકે પાંચસો માણસ સહિત શ્રી જિનેન્દ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થયા, ત્યારે પ્રભુએ તે પાંચસો સાધુને તેના શિષ્ય તરીકે સ્થાપ્યા. એકદા સ્કન્દકાચાર્યે શ્રી પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો હું મારી બહેનના દેશમાં જાઉં.” પ્રભુ બોલ્યા કે “ત્યાં સર્વ સાધુઓને મરણ પર્યતનો ઉપદ્રવ ઉત્પન્ન થશે.” સ્કન્દકે પૂછ્યું કે “હે સ્વામી! તે ઉપસર્ગમાં અમે સર્વે આરાધક થઈશું કે વિરાઘક થઈશું?” સ્વામીએ કહ્યું કે “એક તમારા વિના બીજા સર્વે સાઘુઓ આરાઘક થશે.” તે સાંભળીને નિર્ભય એવા સ્કન્દકે વિચાર્યું કે “જે વિહારમાં આટલા બઘા સાધુ આરાઘક થાય તે વિહાર ખરેખર શુભકારી જ છે.” એમ વિચારીને ૫૦૦ સાઘુઓ સહિત અન્દકાચાર્યે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે કુંભકાર નગરના ઉપવનમાં આવ્યા. તેમના આવવાના ખબર સાંભળીને દુષ્ટ પાલકે સ્કન્દક ઉપરનું પ્રથમનું વેર લેવા માટે તે ઉદ્યાનમાં પ્રથમથી ગુપ્ત રીતે વિવિધ પ્રકારનાં શસ્ત્રો દાટી રાખ્યાં. પછી તેણે રાજાને કહ્યું કે “હે સ્વામી! આપણા ગામના ઉદ્યાનમાં સ્કન્દક આવ્યા છે, તે પોતે જ મહાબળવાન છે, ઉપરાંત ભુજદંડના પ્રચંડ વિક્રમવાળા અને સાધુના વેષને ધારણ કરનારા પાંચસો સુભટોને સાથે લાવ્યા છે, તે સર્વનાં શસ્ત્રો તે ઉદ્યાનની પૃથ્વીમાં તેણે ગુપ્ત રાખ્યાં છે; જ્યારે તમે તેને વાંદવા જશો ત્યારે તે તમને મારીને તમારું રાજ્ય લઈ લેવાના છે. આપને મારા વચન પર વિશ્વાસ ન આવતો હોય તો આપ જાતે જ જઈને ઉદ્યાનમાં સંતાડેલાં શસ્ત્રો જોઈ ખાતરી કરો.” તે સાંભળીને રાજા પાલકની સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં પાલકે તેને ગુપ્ત રાખેલાં શસ્ત્રો કાઢીને બતાવ્યાં. તે જોઈ રાજાએ ક્રોધથી સર્વ સાધુઓને બંઘાવીને તે પાલકને જ સોંપ્યા, અને તેને કહ્યું કે “હે પાલક! તારી મરજીમાં આવે તેવી શિક્ષા આ સર્વને કર.” તે સાંભળીને હર્ષ પામેલો પાલક સર્વ સાધુઓને મનુષ્યને પીલવાના યંત્ર (ઘાણી) પાસે લઈ ગયો. પછી તેણે સર્વને કહ્યું કે “તમે સર્વે તમારા ઇષ્ટ દેવનું સ્મરણ કરો; કેમકે આ ઘાણીમાં નાંખીને તમને સર્વને હું હમણાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy