SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ દેહ એટલે શરીર અને “આદિ' શબ્દથી મન, વાણી ને કાયા તેને વિષે “આ જ આત્મા છે' એમ જે માનવું તે અવિવેક છે. તે અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે; ને શરીર અને આત્માની ભિન્નતાનું જે વિવેચન કરવું તે વિવેક છે; તેવો વિવેક કોટીભવે પણ અતિ દુર્લભ છે. સમ્યવૃષ્ટિ જીવને જ તેવું ભેદજ્ઞાન હોય છે. संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् ॥१॥ ભાવાર્થ-વિવેકરૂપી શરાણે કરીને તેજસ્વી કરેલું અને વૃતિ(સંતોષ)રૂપ તીક્ષ્ણ ઘારવાળું પરભાવનિવૃત્તિરૂપ જે સંયમરૂપી શસ્ત્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુનો નાશ કરવાને સમર્થ થાય છે. આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાનથી અઘિક્તિ થયેલો હોવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તે જ જીવ ત્રિલોકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તત્ત્વરસનું પાન કરવા વડે સ્વ-પરના વિવેકને પ્રાપ્ત કરીને પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ પરમ સ્વરૂપનો સાઘક થાય છે. આ સંબંઘમાં ઉદાહરણ છે તે નીચે પ્રમાણે શ્રમણભદ્રની કથા ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ઘર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ઘર્મોપદેશ સાંભળ્યો કે यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा ॥४॥ ભાવાર્થ-“જેમ સુભટોએ કરેલું યુદ્ધ રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જયપરાજયરૂપી ફળ રાજામાં આરોપણ કરાય છે–આ રાજા જીત્યો ને આ રાજા હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંઘાયેલા કર્મઅંઘોના સામ્રાજ્યનો આરોપ પણ શુદ્ધ આત્માને વિષે જ કરાય છે.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રુતસાગરનો પાર પામ્યા, અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી. અન્યદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતા શરક્તને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા ઘારણ કરીને રહ્યા. ત્યાં સોયના જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર એવા નિરંતર વળગી રહેલા તે ડાંસોએ કરીને સુવર્ણના વર્ણ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામવર્ણ થઈ ગયા. તે ડાંસીના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી તો પણ ક્ષમાઘારી તે મુનિ તેને સહન કરતા હતા, અને તે ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઊલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણતરીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનન્સીવાર સહન કરી છે. કેમકે परमाधार्मिकोत्पन्ना, मिथोजाः क्षेत्रजास्तथा । नारकाणां व्यथा वक्तुं, पार्यते ज्ञानिनापि न ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy