SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૮] વિવેક ગુણ ૧૨૩ કહ્યું છે કે “સત્વજ્ઞાનને પામેલો મુનિ અનુત્તર એવા ક્ષાંત્યાદિ ઘર્મનો સંચય કરીને (આચરીને) યશસ્વી થઈ કેવળજ્ઞાન પામી આકાશમાં સૂર્ય પ્રકાશે તેમ જગતમાં પ્રકાશે છે, અને છેવટ પુણ્ય પાપનો સર્વથા ક્ષય કરીને અપુનરાગમનવાળા મોક્ષપદને પામે છે.” “યોગીજનો લોકોત્તર એવી જ્ઞાનદ્રષ્ટિએ કરીને પોતાના આત્મામાંથી મિથ્યા અવિદ્યાનો નાશ કરી સમુદ્રપાળની જેમ શુદ્ધ આત્મસ્વરૂપનો નિશ્ચય કરે છે, નિરઘાર કરે છે, તેને ઘારણ કરે છે.” વ્યાખ્યાન ૩૧૮ વિવેક ગુણ कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् ॥१॥ ભાવાર્થ-“સર્વદા દૂઘ અને જળની જેમ એકરૂપ થઈ ગયેલા એવા કર્મ અને જીવને આ વિવેકી મુનિરૂપી હંસ પૃથક્ કરે છે.” જ્ઞાનાવરણીય આદિક કર્મ અને સચ્ચિદાનંદરૂપ જીવ તે સર્વ કાળ દૂઘ અને જળની જેમ એકીભૂત થયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક્ કરે છે, તે મુનિહંસ વિવેકવાન કહેવાય છે. વિશેષાર્થ-હેય ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ની જે પરીક્ષા તે વિવેક કહેવાય છે. તેના બે ભેદ છે–ઘન ઉપાર્જન કરવામાં, રાજનીતિમાં અને કુળનીતિ વગેરેમાં જે નિપુણતા તે લૌકિક વિવેક–દ્રવ્યવિવેક કહેવાય છે, અને લોકોત્તર એવો ભાવવિવેક તો ઘર્મનીતિ જાણનારને હોય છે. તેમાં પણ સ્વજન, દ્રવ્ય અને પોતાના દેહાદિકમાં જે રાગ–તેની વહેંચણ કરવી અર્થાત્ કરવા યોગ્ય નથી એમ વિચારવું, તે બાહ્યવિવેક કહેવાય છે; અને અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મ તથા વિભાવાદિક ભાવકર્મ–તેની જે વહેંચણ કરવી–વિભાગ કરવો તે અત્યંતર વિવેક કહેવાય છે. કહ્યું છે કે देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवेत् । भवकोट्यापि तद्भदे, विवेकस्त्वतिदुर्लभः॥१॥ ભાવાર્થ–“દેહ એ જ આત્મા છે ઇત્યાદિ જે અવિવેક તે તો સર્વદા સુલભ છે; પણ તે બન્નેના ભેદમાં (ભેદ સંબંઘી) જે વિવેક તે કોટીભવે પણ અતિ દુર્લભ છે.” વિશેષાર્થ-આત્માના ત્રણ ભેદ છે. બાહ્યાભા, અત્તરાત્મા અને પરમાત્મા. જેને દેહ, મન, વાણી વગેરેમાં આત્મત્વ બુદ્ધિ છે, એટલે દેહ જ આત્મા છે વગેરે, એ પ્રમાણે સર્વ પૌગલિક પ્રવર્તનમાં જેને આત્મત્વ બુદ્ધિ છે તે બાહ્યાત્મા કહેવાય છે. તે મિથ્યાવૃષ્ટિ છે. કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાદ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આત્માને વિષે જ જેને આત્મબુદ્ધિ છે તે અત્તરાત્મા કહેવાય છે. અવિરતિ સમ્યગુદ્રષ્ટિ (ચોથા) ગુણસ્થાનકથી આરંભીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી અંતરાત્મા કહેવાય છે, અને જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપયોગવાળા છે તે પરમાત્મા કહેવાય છે. તે તેરમા ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આવા ભેદના વિવેકે કરીને સર્વ સાધ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy