SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૨ પણ કહ્યું છે કે “આત્મા એટલે જીવ કર્તારૂપ છે. તે પોતાના આત્માને એટલે અનંત શુદ્ધ ઘર્મ (પ્રકટ કરવા) રૂપ કાર્યને, આત્માએ કરીને એટલે આત્મશક્તિરૂપ કરણ વડે કરીને, આત્માને માટે એટલે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે, આત્માથી એટલે આત્મભાવથી–પરભાવથી પૃથક્ એવા અપાદાનરૂપ આત્માથી, આત્મારૂપ આધારને વિષે એટલે અનંત ઘર્મપર્યાયોના પાત્રભૂત આત્માને વિષે પ્રકટ કરે છે.” તેથી કરીને જ મુનિ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે. જેમ સોજાથી થયેલી શરીરની પુષ્ટતા અસત્ય છે (ઇષ્ટ નથી), અને જેમ વઘસ્થાન પર લઈ જવાતા વધ્ય માણસને પહેરાવેલ કણેરની માળા વગેરે અલંકાર અસત્ય છે-શોભા આપનારા નથી, તેવી રીતે સંસારના સ્વરૂપને–ભવના ઉન્માદને જાણનાર મુનિ સમસ્ત પરભાવનો ત્યાગ કરીને અનંત ગુણરૂપ આત્મસ્વરૂપમાં જ તૃપ્ત રહે છે. સંસારનું સ્વરૂપ અસાર છે, નિષ્ફળ છે, અભોગ્ય છે (ભોગવવાને અયોગ્ય છે), તુચ્છ છે, ઇત્યાદિ જાણીને મુનિ આત્મસ્વરૂપમાં જ મગ્ન રહે છે.” આ પ્રમાણે ગુરુના મુખથી અધ્યાત્મ સ્વરૂપ સાંભળીને પ્રતિબોઘ પામેલા કુરુદત્તે દીક્ષા ગ્રહણ કરી. પછી મૃતનો અભ્યાસ કર્યો, અને એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી, અર્થાત્ એકલા વિચારવા લાગ્યા. તે વિહાર કરતાં કરતાં એકદા સાકેત નગરની પાસે ચોથી પોરસીએ મંદરાચળના જેવી ઘીરતા ધારણ કરીને કાયોત્સર્ગ રહ્યા; તે સમયે કેટલાક ચોરો કોઈ ગામમાંથી ગાયોનું ઘણ હરીને તે મુનિની પાસે થઈને ચાલ્યા ગયા. કેટલીક વારે તેમની પાછળ ગાયોની શોઘ કરનારા નીકળ્યા. તેઓ પણ તે મુનિની નજીક આવ્યા. ત્યાં બે માર્ગ જોઈને તેઓએ મુનિને પૂછ્યું કે “હે સાથુ! ગાયોનું હરણ કરનાર તે ચોરો કયે રસ્તે ગયા?” તે સાંભળ્યા છતાં પણ મુનિએ તેમને કાંઈ જવાબ આપ્યો નહીં. કહ્યું છે કે “એકેન્દ્રિય જીવોને પણ વાણીના અનુચ્ચાર રૂપ મૌન તો સુલભ છે, સુપ્રાપ્ય છે, પણ તે મૌન મોક્ષસાઘક નથી; પરંતુ રમ્યારણ્ય પુગલોને વિષે પ્રવૃત્તિ નહીં કરવા રૂપ જે મૌન તે જ ઉત્તમ છે, પ્રશસ્ય છે.” તેવા ઉત્તમ મૌનને ઘારણ કરનાર અને આત્મસ્વરૂપમાં જ લીન થયેલા તે કુરુદત્ત મુનિ સત્ય છતાં પણ સાવદ્ય વાક્ય શી રીતે બોલે? કહ્યું છે કે “ર સત્યમ મારેત, પરપીડાલર વ:” સત્ય છતાં પણ પરને પીડા કરનારું વચન બોલવું નહીં. મુનિએ કાંઈ પણ જવાબ આપ્યો નહીં, તેથી ક્રોધથી વિહળ થયેલા તે દુષ્ટ લોકોએ જળથી આર્દ્ર થયેલી માટી લઈને તે મુનિના મસ્તક ઉપર પાળ બાંધી; અને તેમાં ચિતાના બળતા અંગારા નાંખીને ત્યાંથી જતા રહ્યા. તે અંગારાથી મુનિનું મસ્તક બળવા લાગ્યું, તો પણ મુનિ તો એવો જ વિચાર કરવા લાગ્યા કે “હે જીવ! તારા કલેવરને ઉત્પન્ન થતા આ દુઃખને તું સહન કર, કેમકે સ્વવશપણે દુઃખ સહન કરવું તે જ દુર્લભ છે; બાકી પરવશપણે તો તેં ઘણું દુઃખ સહન કર્યું છે ને કરીશ, પણ તેમાં કાંઈ ગુણ (લાભ) થશે નહીં, લાભ તો સ્વવશે સહન કરવાથી જ થશે.” એ પ્રમાણે વિચાર કરતાં મુનિએ મસ્તક અથવા મન જરા પણ કંપાવ્યું નહીં, અને તે ઉપસર્ગને સમ્ય પ્રકારે સહન કરી પરલોકનું સાઘન કર્યું. જેઓ કુરુદત્ત મુનિની જેમ “મૌન વ્રતમાં જ મુનિપણું રહેલું છે એવી ભાવના ભાવતા સતા નિર્દભપણે સમ્યગુ જ્ઞાનાદિક ત્રણ રત્નનું પરિપાલન કરે છે, તેઓ સ્યાદ્વાદ ઘર્મના આરાઘનથી થતા સુખને પ્રાપ્ત કરે છે.” Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy