SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ dલ ૨૨) વ્યાખ્યાન ૩૧૯ સમ્યક્ત્વ અને મુનિપણાની એકતા मन्यते यो जगत्तत्त्वं, स मुनि परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौने, मौनं सम्यक्त्वमेव च ॥१॥ ભાવાર્થ-જે જગતના તત્ત્વને માને છે (જાણે છે) તેને આચાર્યોએ મુનિ કહેલા છે, તે મુનિપણાને વિષે જ સમ્યકત્વ રહેલું છે, અને જે મુનિપણું છે તે સમ્યત્વ જ છે.” વિશેષાર્થ–શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્યતા એ પાંચ લક્ષણે લક્ષિત એવા અને જીવ અજીવાત્મક જગતને જાણનારા જે હોય તે મુનિ કહીએ. જે જેવું જાણ્યું તે તે જ પ્રમાણે કર્યું, એમ હોવાથી તેમનું સમ્યત્વ તે જ મુનિત્વ છે, અને મૌનપણું–નિર્ચથત્વ તે જ સમ્યક્ત્વ છે. અહીં શુદ્ધ શ્રદ્ધાએ કરીને નિશ્ચય કરેલા આત્મસ્વભાવમાં જે રહેવું તે ચરણ કહેવાય છે. સમ્યમ્ દર્શન વડે નિર્ધારિત કરેલું અને સમ્યજ્ઞાન વડે વિભક્ત કરેલું જે આત્મસ્વરૂપ તેનું ઉપાદેયપણું એટલે તેનું તેવી જ રીતે અનુભવવું–તેમાં રમણ કરવું તે ચારિત્ર અથવા મુનિપણું કહેવાય છે; માટે એવંભૂત નયે સમ્યગ્રષ્ટિએ સમ્યક્ શ્રદ્ધાપૂર્વક તેનું તદ્ધતું આચરણ કરવું. ચોથા ગુણઠાણે હતા ત્યારે સાધ્યપણે જે ઘાયું હતું તે તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરીને સિદ્ધાવસ્થામાં મુનિપણા વડે નિષ્પાદન કર્યું, તેથી શુદ્ધ સિદ્ધત્વ ઘર્મનો નિરઘાર તે જ સમ્યત્વ સમજવું અને સભ્યત્વ તે જ મુનિપણું સમજવું. આ સંબંઘમાં કુરુદત્તનો સંબંઘ છે તે નીચે પ્રમાણે કુરુદત્તની કથા - હસ્તિનાપુરમાં કુરુદત્ત નામે એક શ્રેષ્ઠીનો પુત્ર મહા સુખી હતો. તે એકદા ઘમદશનાને સમયે શ્રી ગુરુમહારાજ પાસે ગયો. ત્યાં તેણે સ્યાદ્વાદરૂપ આ વાક્ય હૃદયમાં ઘારણ કર્યું. ગુરુમહારાજે કહ્યું કે “આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક અન્ય દર્શનીઓ પરસ્પર વાદવિવાદ કરે છે. રેચક, કુંભક અને પૂરક વાયુનું અવલંબન કરીને પ્રાણાયામમાં પ્રવૃત્ત થાય છે, અને મૌન ઘારણ કરીને પર્વત તથા વનની ગુફાઓમાં પરિભ્રમણ કરે છે; તોપણ તેઓ શ્રી અર્હતે કહેલા આગમનું શ્રવણ કર્યા વિના સ્યાદ્વાદરૂપી આપવાક્યથી જ થઈ શકે તેવી સ્વભાવ તથા પરભાવની પરીક્ષા કરી શકતા નથી, અને સ્વસ્વભાવના અવબોઘ વિના તેઓની કાર્યસિદ્ધિ પણ થતી નથી. કહ્યું છે કે आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते । अभ्यस्य॑स्तत्तथा तेन, येनात्मा ज्ञानवान् भवेत् ॥१॥ ભાવાર્થ-“આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે જ નાશ પામે છે; માટે તેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી આત્મા જ્ઞાનમય થાય.” અહીં ઉપાદાન સ્વરૂપમાં ર્તા વગેરે છ કારકરૂપી ચક્રમય આત્મા જ છે, આત્મા પોતે જ કર્તા છે. કાર્યરૂપ, કરણરૂપ, સંપ્રદાન, અપાદાન અને અથિકરણ પણ આત્મા પોતે જ છે. મહાભાષ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy