SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૧ ભાવાર્થ-જે આત્મા પોતાના સ્વરૂપમાં જ વિલાસી છે, અને જે આત્મા પોતાના ઘર્મમાં જ વિશુદ્ધ છે, તે આત્મા મનુષ્ય તથા દેવતાના વિષયવિલાસને તુચ્છ અને નિઃસાર માને છે.” ઇત્યાદિ ઘર્મવાક્ય સાંભળીને પ્રતિબોઘ પામેલા રાજકુમારે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા એકલવિહાર પ્રતિમાને અંગીકાર કરી વિહાર કરતાં તે મુનિ મુદ્ગશૈલ નામના નગરે આવ્યા. તે વખતે તેને અર્થનો વ્યાધિ થયો હતો. તે વ્યાધિથી પીડાતા છતાં તે મુનિ કોઈ વખત મનમાં પણ તેના પ્રતિકારનું ચિંતન કરતા નહોતા; કેમકે તે પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હતા. તે નગરનો રાજા મુનિનો બનેવી થતો હતો, તેથી તેની રાણી કે જે મુનિની બહેન હતી તેણે પોતાના ભાઈને અર્શના વ્યાધિથી પીડા પામતા જાણીને તથા તેને ઔષધ લેવાનો અભિગ્રહ છે તે વાત પણ જાણીને સ્નેહના વશથી અર્શને નાશ કરનાર ઔષધથી મિશ્ર કરેલું ભોજન તે મુનિને આપ્યું. મુનિએ તે આહાર વાપર્યો. પરંતુ તે વાપરતી વખતે તેની અંદર ઔષધ છે એમ જાણીને પશ્ચાત્તાપ કરતા સતા તેણે વિચાર્યું કે “મેં ઉપયોગ રાખ્યો નહીં, તેથી આ અયોગ્ય કાર્ય મારાથી થયું અને અર્શના જંતુનો નાશ ન કરવા સંબંધી અભિગ્રહનો મેં ભંગ કર્યો, પરંતુ આ સર્વ અનર્થ આહારની ઇચ્છાથી થયો છે, માટે હું આહારનો જ સર્વથા ત્યાગ કરું.” એમ વિચારીને પુરમાંથી બહાર નીકળી પાસેના પર્વત પર જઈ તેમણે મોટું અનશન સ્વીકાર્યું. તે મુનિને અનશન ગ્રહણ કરેલા જાણીને તેના શરીરનું ઉપદ્રવથી રક્ષણ કરવા માટે રાજાએ પોતાના કિંકરોને તેમની પાસે રાખ્યા. હવે પેલો શિયાળ જે મરીને વ્યન્તર થયો હતો તેણે અવઘિજ્ઞાન વડે પૂર્વભવનું વૈર સ્મરણ કરી મુનિને ઉપદ્રવ કરવા માટે બાળક સહિત શિયાળણી વિકર્થી; પરંતુ જ્યાં સુધી રાજાના કિંકરો તે મુનિ પાસે રહેતા, ત્યાં સુધી તે શિયાળણી મુનિને ઉપદ્રવ કરી શકતી નહોતી. પણ જ્યારે તે કિંકરો પાછા નગરમાં જતા ત્યારે તે શિયાળણી “ખી ખી’ શબ્દ કરતી મુનિને વારંવાર બટકાં ભરતી હતી. મુનિ તો તે શિયાળણીએ ઉપજાવેલી પીડાને તથા અર્શના વ્યાધિની પીડાને શાંત ચિત્તે સહન કરતા સતા નિસ્પૃહ ભાવને મૂકતા નહીં, પરંતુ ઘર્મધ્યાનમાં જ સ્થિર રહેતા હતા. આવી રીતે આર્તધ્યાનને વધારનાર રોગ સંબંઘી દુઃખ તથા રૌદ્રધ્યાનને વઘારનાર શિયાળણીના ઉપદ્રવનું દુઃખ પ્રાપ્ત થયા છતાં પણ તે મુનિએ આર્ત તથા રૌદ્ર ધ્યાન કર્યું નહીં. એ પ્રમાણે પંદર દિવસ સુધી શિયાળણીએ કરેલી મહાવ્યથાને સહન કરતા મહાસત્ત્વવાળા મુનિ પંદર દિવસનું અનશન પાળી સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. इति निस्पृह भावतो रुजं, परिषेहे मुनिकालवैशिकः । सकलैरपि साधुभिस्तथा, सहनीयोऽयमुदारनिःस्पृहः॥४॥ ભાવાર્થ-“આ પ્રમાણે નિસ્પૃહ ભાવને ઘારણ કરનાર કાલવૈશિક મુનિએ જેવી રીતે વ્યાધિને સહન કર્યો, તેવી રીતે સર્વ સાધુઓએ આ ઉદાર નિઃસ્પૃહ ગુણ ઘારણ કરવો.” | એ વિંશતિતમ રાંભ સમાપ્ત ૧ મરણ પર્યત આહાર ન ગ્રહણ કરવો તે મહા અનશન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy