SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૫] નિઃસ્પૃહતા ૧૧૭ સ્વરૂપ તે જ્ઞાનાદિ રત્નત્રય, અનંતવીર્ય, અવ્યાબાઘ, અમૂર્ત, આનંદરૂપ અને અવિનાશી એવું જે સિદ્ધત્વ તેનું શુદ્ધ પારિણામિક લક્ષણ જાણવું. તેની પ્રાપ્તિ થયા પછી બીજી કોઈ પામવા યોગ્ય વસ્તુ બાકી રહેતી નથી; તેથી કરીને આત્મારૂપી રાજાની સંપત્તિ પામવાથી બુદ્ધિપરિજ્ઞા વડે તજી દીઘા છે દ્રવ્ય ભાવ આસ્રવ જેણે એવા મુનિ નિઃસ્પૃહ થાય છે, અર્થાત્ સર્વ શરીરાદિકના પરિગ્રહમાં મૂચ્છરહિત થાય છે. આ પ્રસંગ ઉપર કાલવૈશિક રાજર્ષિનો પ્રબંઘ છે, તે આ પ્રમાણે કાલવૈશિક મુનિની કથા મથુરાનગરીનો રાજા જિતશત્રુ એકદા કાલી નામની વેશ્યાપર મોહિત થયો, એટલે તેને પોતાના અંતઃપુરમાં રાખી. તેની સાથે વિલાસ કરતાં તેને કાલવૈશિક નામે પુત્ર થયો. તે પુત્ર એકદા રાત્રે સૂતો હતો, તેવામાં તેણે શિયાળનો શબ્દ સાંભળી પોતાના મૃત્યોને પૂછ્યું કે “આ કોનો શબ્દ સંભળાય છે?” “ત્યોએ કહ્યું કે “હે કુમાર! શિયાળનો શબ્દ સંભળાય છે.” ત્યારે કુમારે કહ્યું કે “તે શિયાળને ચરણથી બાંધીને અહીં લઈ આવો.” મૃત્યોએ વનમાં જઈને એક શિયાળને બાંધી લાવીને કુમારને સોંપ્યું. પછી ક્રીડામાં આસક્ત કુમાર તેને વારંવાર મારવા લાગ્યો. તેના મારથી શિયાળ “ખી ખી' શબ્દ વારંવાર કરતું, પરંતુ તે જેમ જેમ ખી ખી’ શબ્દ કરતું, તેમ તેમ કુમાર વઘારે હસતો. એવી રીતે નિરંતર મારતાં તે શિયાળ મરણ પામ્યું, અને અકામ નિર્જરાથી મરીને વ્યંતરપણું પામ્યું. એકદા યુવાવસ્થા પામેલો કુમાર વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં કોઈ સાધુના મુખથી તેણે નીચે પ્રમાણે ઘમદશના સાંભળી निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचांडाली - संगमगीकरोति या ॥१॥ ભાવાર્થ-“આત્મસમાધિ સાધવામાં ઉદ્યત થયેલા પંડિત પુરુષે સ્પૃહા એટલે પરાશાને ચિત્તરૂપી ઘરની બહાર કાઢી મૂકવી; કેમકે તે સ્પૃહા અનાત્મ એટલે પરભાવમાં રતિ(પ્રીતિ)રૂપી ચાંડાલીનો સંગ કરનારી છે. માટે સ્પૃહાને તજી દેવી. વળી– जे परभावे रत्ता, मत्ता विसएसु पावबहुलेसु । आसापासनिबद्धा, भमंति चउगइमहारन्ने ॥२॥ ભાવાર્થ-“જેઓ પરભાવમાં રક્ત છે, જેઓ ઘણાં પાપવાળાં ઇન્દ્રિયોના વિષયોમાં મત્ત છે, અને જેઓ આશાના પાશમાં બંધાયેલા છે તેઓ ચાર ગતિરૂપ મહા અરણ્યમાં ભ્રમણ કરે છે.” જેઓએ પરવસ્તુની આશારૂપી પાશ કાઢી નાંખ્યા છે એવા મુનિજન સ્વરૂપચિંતન અને સ્વરૂપરમણના અનુભવમાં લીન અને પીન (પુષ્ટ) થઈને તત્ત્વાનંદમ રમે છે–ક્રીડા કરે છે. કહ્યું છે કે तिणसंथारनिसन्नो, मुनिवरो भट्ठरागमयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि॥१॥ ભાવાર્થ-“તૃણના સંથારાપર બેઠેલા, અને જેના રાગ, મદ અને મોહ નાશ પામ્યા છે એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિના સુખને પામે છે તે સુખની પ્રાપ્તિ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય?” आयसहावविलासी, आयविसुद्धो वि यो निये धम्मे । નરસુરવિવિલાસ, તુજે નિસાર મન્નતિ મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy