SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ સ્થાપન કરેલું દ્રવ્ય વારંવાર શું કામ શોધે છે? લે આ તારું દ્રવ્ય. આજે આ ગંગા મારા પર પ્રસન્ન થઈ છે, તેથી મારા હાથમાં તારું ઘન આવ્યું છે.” એમ કહી પોતાની પાસે રાખેલી પેલી દીનારની પોટલી મંત્રીએ બતાવી. તે જોઈ રાજાએ પોતે જ આપેલા દ્રવ્યને ઓળખી તે બ્રાહ્મણની ઘણી નિંદા કરી, અને સૌ પોતપોતાને ઠેકાણે ગયા; પરંતુ મંત્રીની આ કૃતિથી ખેદ પામેલો વરરુચિ નિરંતર મંત્રીનાં છિદ્ર જોવા લાગ્યો. એકદા શ્રીયકનો વિવાહપ્રસંગ આવ્યો. તેને માટે મંત્રી સર્વ સામગ્રી તૈયાર કરવા લાગ્યો. તે વખતે તેને ઘેર અનેક શસ્ત્રો, વસ્ત્ર, અશ્વ, હાથી વગેરે જોઈને તે વરરુચિને છિદ્ર મળ્યું. એટલે તેણે નિશાળના સર્વ છોકરાઓને એક શ્લોક શીખવ્યો. તે આ પ્રમાણે यत्कर्ता शकटालोऽयं, तन्न जानाति पार्थिवः । । हत्वा नन्दं तस्य राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥४॥ - ભાવાર્થ-“શકટાલ મંત્રી જે કરે છે તે રાજા જાણતો નથી. તે મંત્રી નંદરાજાને મારીને તેના રાજ્ય પર શ્રીયકને સ્થાપન કરશે.” આ શ્લોક છોકરાઓ ગામમાં સર્વત્ર બોલતા હતા. તે શ્લોક રાજાના સાંભળવામાં પણ આવ્યો. એટલે રાજાએ વિચાર્યું કે बालका यच्च भाषंते, भाषन्ते यच्च योषितः । औत्पातिकी च या भाषा, सा भवत्यन्यथा न हि ॥१॥ ભાવાર્થ-“બાળકો જે બોલે છે, સ્ત્રીઓ જે બોલે છે, અને જે આકાશવાણી થાય છે અથવા અકસ્માતુ કોઈ બોલી જાય છે તે કદી અસત્ય થતું નથી.” એમ વિચારી ખાતરી કરવા માટે રાજાએ પોતાના દૂતને મંત્રીને ઘેર જોવા મોકલ્યો. દૂતે જઈ આવીને તૈયારી સંબંધીની સર્વ હકીક્ત કહી બતાવી. તેથી રાજા મંત્રી પર અત્યંત ગુસ્સે થયો. પછી સભા વખતે મંત્રીએ આવીને પ્રણામ કર્યા, તે વખતે રાજાએ કોપથી અવળું મુખ કર્યું. રાજાની મનોવૃત્તિને જાણનાર મંત્રીએ તત્કાળ ઘેર આવી શ્રીયકને કહ્યું કે “રાજા કોઈ પિશુનના વાક્યથી મારા પર અત્યંત કોપાયમાન થયા છે, તેથી અકસ્માતુ આપણા કુળનો નાશ કરશે, માટે હે વત્સ! હું સભામાં જઈને જ્યારે રાજાને પ્રણામ કરું, ત્યારે તું ખડ્ઝ વડે મારું માથું કાપી નાંખજે. પછી રાજા તેમ કરવાનું કારણ તને પૂછે, ત્યારે તું કહેજે કે–સ્વામીનો અભક્ત એવો પિતા હોય તો તે પણ વઘ કરવા યોગ્ય છે.” તે સાંભળીને રોતાં રોતાં શ્રીયક બોલ્યો કે “હે પિતા! શું એવું ઘોર કર્મ ચાંડાળ પણ કદાપિ કરે?” મંત્રીએ કહ્યું કે “તું આવા વિચારો કરવાથી આપણા શત્રુના મનોરથ પૂર્ણ કરીશ; માટે યમરાજના જેવો પ્રચંડ રાજા જ્યાં સુધી આપણા આખા કુટુંબનો નાશ ન કરે, તેટલામાં માત્ર મારા એકના જ નાશથી આખા કુટુંબનું તું રક્ષણ કરી લે. વળી હું મુખમાં તાળપુટ વિષ નાંખી રાજાને પ્રણામ કરીશ, એટલે મૃત્યુ પામેલા એવા મારા શિરને છેદતાં તને પિતૃહત્યાનું પાતક લાગશે નહીં.” આ પ્રમાણે મંત્રીના બોઘથી શ્રીયકે પિતાની આજ્ઞા કબૂલ કરી. પછી રાજાને નમતા મંત્રીનું મસ્તક રાજાની સમક્ષ શ્રીયકે કાપી નાંખ્યું. તે જોઈ રાજા સંભ્રમથી બોલ્યો કે “હે. વત્સ! તેં આવું દુષ્કર્મ કેમ કર્યું?” શ્રીયક બોલ્યો કે “સ્વામીએ એમને દ્રોહ કરનાર જાણ્યા, તેથી મેં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy