SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૪] મંત્રીપણાની નિંદા વિષે ૧૧૫ તેમનું મસ્તક છેવું છે, કૃત્ય તો સ્વામીના અભિપ્રાય પ્રમાણે વર્તનારા જ હોય છે.” પરિશિષ્ટ પર્વમાં આ સંબંધમાં કહ્યું છે કે भृत्यानां युज्यते दोषे, स्वयं ज्ञाते विचारणा । स्वामिज्ञाते प्रतिकारो, युज्यते न विचारणा ॥१॥ ભાવાર્થ-“ભૃત્યનો દોષ પોતે જામ્યો હોય તો તેમાં વિચાર કરવો યોગ્ય છે; પણ ભૂત્યનો દોષ સ્વામીએ જાણ્યો હોય તો તેનો પ્રતિકાર જ યોગ્ય છે, તેમાં વિચાર કરવો યોગ્ય નથી.” પછી રાજાની આજ્ઞાથી શ્રીયકે પિતાનું સર્વ મૃતકાર્ય કર્યું. પછી નંદરાજાએ શ્રીયકને કહ્યું કે રાજ્યના સર્વ કાર્યભાર સહિત આ મંત્રીપણાની મુદ્રા ગ્રહણ કર.” શ્રીયક બોલ્યો કે “હે પૂજ્ય! પિતા તુલ્ય મારો મોટો ભાઈ થૂલભદ્ર નામે છે, તે કોશા વેશ્યાને ઘેર પિતાની કૃપાથી નિબંઘપણે ભોગવિલાસ ભોગવે છે, તેને બાર વર્ષ વ્યતીત થઈ ગયાં છે; માટે તે મારો મોટો ભાઈ પિતાના સ્થાનને યોગ્ય છે.” તે સાંભળી રાજાએ સ્થૂલભદ્રને બોલાવીને મંત્રીપદ ગ્રહણ કરવા કહ્યું. ત્યારે સ્થૂલભદ્ર બોલ્યો કે “હે સ્વામી! હું વિચાર કરીને તે અંગીકાર કરીશ.” રાજાએ કહ્યું કે “હમણા જ વિચાર કરી લે.” તે સાંભળીને સ્થૂલભદ્ર અશોક વાડીમાં જઈ વિચાર કરવા લાગ્યો કે “રાજ્યનો કારભાર કરનારા મારા પિતાનો ચપળ કર્ણવાળા રાજાએ અકાળ મૃત્યુથી નાશ કર્યો. માટે રાજ્યના અધિકારીઓને સુખ ક્યાંથી હોય? કહ્યું છે કે त्यक्त्वा सर्वमपि स्वार्थं राजार्थं कुर्वतामपि । उपद्रवन्ति पिशुना, उद्बद्धानामिव द्विकाः॥१॥ ભાવાર્થ-“સર્વ સ્વાર્થનો ત્યાગ કરીને રાજાનું જ કાર્ય કરનાર બૃત્યોને પણ, ઊંચે બાંધેલા (શબ)ને જેમ કાગડાઓ ઉપદ્રવ કરે તેમ, પિશુનો ચાડિયાઓ) ઉપદ્રવ કરે છે.” __यथा स्वदेहद्रविण-व्ययेनापि प्रयत्यते । રાનાર્થે તકલાભાથે, ત્યતે ન થતા | ભાવાર્થ-“જેમ લોકો રાજાને માટે પોતાના દેહ અને ઘનનો વ્યય કરીને પણ યત્ન કરે છે, તેમ બુદ્ધિમાન લોકો આત્માને માટે કેમ યત્ન નથી કરતા?” આ પ્રમાણે વૈરાગ્યની ભાવના ભાવતાં સ્થૂલભદ્ર પોતાના કેશનો લોચ કરી રત્નકંબલની દશીયોનું રજોહરણ (ઓઘો) બનાવી સભામાં આવી રાજાને કહ્યું કે “મેં તો આ પ્રમાણે વિચાર્યું છે. તમને ઘર્મલાભ હો.” એમ કહી તે તત્કાળ રાજભવનમાંથી બહાર નીકળ્યા. તે જોઈને “શું આ કપટ કરી વેશ્યાને ઘેર પાછો જાય છે?” એવા અવિશ્વાસથી રાજા ગવાક્ષમાંથી તે બાજુ જોઈ રહ્યો. પણ સ્થૂલભદ્ર તો કોહી ગયેલા શબની દુર્ગઘથી જેમ નાક મરડીને ચાલે તેમ તે વેશ્યાના ઘર તરફ મોં મરડીને ચાલ્યા ગયા. તે જોઈને રાજાએ વિચાર્યું કે “અહો! આ તો પૂજ્ય વીતરાગ જેવા છે, તેને માટે મેં કરેલા ખોટા વિચારને ધિક્કાર હો!” એમ તે આત્મનિંદા કરવા લાગ્યો. સ્થૂલભદ્ર શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ સામાયિકના ઉચ્ચારપૂર્વક દીક્ષા અંગીકાર કરી. પછી રાજાએ મંત્રીની જગ્યાએ શ્રીયકને સ્થાપન કર્યો. શ્રીયક હમેશાં કોશાને ઘેર તેને | દિલાસો આપવા જવા લાગ્યો. તેને જોઈને કોશા સ્થૂલભદ્રના વિરહદુઃખથી રુદન કરતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy