SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૪]. મંત્રીપણાની નિંદા વિષે ૧૧૩ મુખથી જાણ્યું કે “મંત્રી પોતાની સ્ત્રીને આધીન છે.” તેથી તે કવિ પોતાના સ્વાર્થને માટે મંત્રીની સ્ત્રીની સેવા કરવા લાગ્યો. એકદા મંત્રીની સ્ત્રીએ પ્રસન્ન થઈને તેને કહ્યું કે “તમારે જે કામ હોય તે મને કહો.' ત્યારે તે બોલ્યો કે “હું રોજ રાજા પાસે નવા નવા શ્લોકો કરીને લઈ જાઉં છું, તેની પ્રશંસા જો મંત્રી કરે તો મને દ્રવ્યનો લાભ થાય. એટલે મારું કામ કરવાનું છે.” પછી તેના ઉપરોઘથી મંત્રીની સ્ત્રીએ મંત્રીને તેના શ્લોકની પ્રશંસા કરવા આગ્રહ કર્યો. મંત્રીએ કહ્યું કે “હું જૈનઘમી છું, માટે તે મિથ્યાત્વીની પ્રશંસા કરવી મારે યોગ્ય નથી. તોપણ હે પ્રિયા!તારા આગ્રહથી હું તેની પ્રશંસા કરીશ.” પછી રાજસભામાં જ્યારે વરરુચિ શ્લોકો બોલ્યો, ત્યારે મંત્રીએ તેની કવિત્વશક્તિની પ્રશંસા કરી; તેથી હર્ષિત થયેલા રાજાએ તેને એકસો આઠ દીનાર ઇનામ તરીકે આપ્યા. પછી તે જ પ્રમાણે તે કવિ હમેશાં એકસો આઠ નવા શ્લોકો બોલી તેટલું ઇનામ રાજા પાસેથી લેવા લાગ્યો. આમ થવાથી ભંડાર ખાલી થતો જોઈને મંત્રીએ રાજાને નિષેધ કરીને કહ્યું કે “હવે તો આ કવિ જૂના શ્લોકો બોલે છે, માટે તેને કાંઈ ઇનામ આપવું યોગ્ય નથી. જો આપને મારા વાક્ય પર વિશ્વાસ ન હોય તો મારી સાત પુત્રીઓ આપની પાસે આ કવિના બોલેલા શ્લોકો બોલી બતાવશે.” તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીની સાત પુત્રીઓને બોલાવીને જવનિકામાં બેસાડી. તે પુત્રીઓનાં અનુક્રમે યક્ષા, યદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા અને રેણા એવાં નામ હતાં. તે સાતમાં મોટી યક્ષા હતી, તે એક વખત સાંભળેલું શાસ્ત્ર તત્કાળ ગ્રહણ કરતી હતી. એવી રીતે બીજી બે વાર સાંભળવાથી, એમ અનુક્રમે સાતમી સાત વાર સાંભળવાથી ગ્રહણ કરતી હતી. હવે તે વરરુચિને આજ્ઞા થતાં તે ૧૦૮ શ્લોક બોલ્યો. તે સાંભળીને યક્ષાએ તે જ પ્રમાણે તે શ્લોકો બોલી દેખાડ્યા. બીજી વાર સાંભળવાથી બીજી પુત્રીએ પણ તે જ પ્રમાણે બોલી બતાવ્યા. એવી રીતે અનુક્રમે સાત પુત્રીઓ બોલી ગઈ. તે સાંભળીને રાજાએ “પારકાં કાવ્યો પોતાના ઠરાવીને બોલે છે!” એમ કહી વરરુચિનો તિરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો. પછી ખેદ પામેલો વરરુચિ ગંગાને કિનારે ગયો. ત્યાં એક યંત્ર ગોઠવી તેમાં એકસો ને આઠ દીનારની એક પોટકી બાંઘીને ગંગાના જળમાં ગુપ્ત રાખી. પ્રાત:કાળે ગંગાની સ્તુતિ કરી તે યંત્રને પગવતી દબાવ્યું, એટલે પેલી દીનારની પોટકી ઊડીને તેના હાથમાં પડી. એવી રીતે તે હમેશાં કરવા લાગ્યો. તે જોઈ લોકોએ વિસ્મય પામી રાજાને કહ્યું કે “અહો! ગંગા પણ આ કવિને હમેશાં સ્તુતિ કરવાથી ૧૦૮ દીનારનું દાન આપે છે.” તે વાત રાજાએ મંત્રીને કહી. ત્યારે મંત્રી બોલ્યો કે “હે સ્વામી! આપણે કાલે પ્રાત:કાળે જોવા જઈશું.” રાત્રિને સમયે મંત્રીએ પોતાના એક ખાનગી માણસને શીખવીને ગંગાને કિનારે મોકલ્યો. તે દૂત વૃક્ષની ઘટામાં પક્ષીની જેમ સંતાઈ રહ્યો. તેવામાં તે વરરુચિ છાની રીતે આવીને ગંગાના જળમાં રહેલા યંત્રમાં એકસો ને આઠ દીનારની પોટકી મૂકીને ઘેર ગયો. પાછળથી પેલા માણસે તે પોટકી કાઢી લઈને તેને ઠેકાણે કઠણ કાંકરા ભરી દીધા અને પેલી પોટકી મંત્રી પાસે જઈને તેને આપી. પ્રાતઃકાળે વરરુચિ બ્રાહ્મણ ગંગા કિનારે જઈને તેની સ્તુતિ કરવા લાગ્યો. તે વખતે મંત્રી સહિત રાજા તથા સર્વ પૌરજનો ત્યાં આવ્યા. તે કવિ વારંવાર સ્તુતિ કરીને પેલા યંત્રને પગવતી દબાવવા લાગ્યો; પણ દુર્ભાગીના મનોરથની જેમ તેના હાથમાં કાંઈ આવ્યું નહીં. તેથી તે જળમાં હાથ નાંખીને પોતે મૂકેલી પોટકી શોધવા લાગ્યો! તે જોઈ મંત્રી બોલ્યો કે “આજે ગંગાનદી તને કાંઈ આપતી નથી, પરંતુ પોતે જ તેના ભાગ ૫-૮). Jain Education For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy