SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ વ્યાખ્યાન ૩૧૩ લેપ્ય અને અલેપ્ય વિષે संसारे निवसन् स्वार्थ-सजः कजलवेश्मनि । लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥४॥ ભાવાર્થ-“સ્વાર્થમાં આસક્ત થયેલો સમગ્ર લોક કાજળના ગૃહ સમાન આ સંસારમાં વસતો સતો (કર્મ વડે) લેપાય છે, પણ જ્ઞાનથી સિદ્ધ થયેલો મનુષ્ય લપાતો નથી.” રાગાદિક પાપસ્થાનક રૂપ કાજળના ગૃહમાં અને તે રાગાદિકના નિમિત્તભૂત ઘન સ્વજનાદિકને ગ્રહણ કરવારૂપ સંસારમાં વસવાથી અહંકારાદિક સ્વાર્થમાં સજ્જ (તત્પર) થયેલો માણસ લેપાય છે, પણ હેય અને ઉપાદેયની પરીક્ષાએ કરીને વસ્તુ સ્વરૂપને જાણનારો જ્ઞાની લેપાતો નથી. આ સંબંધમાં ગુણસુંદરીની કથા છે તે આ પ્રમાણે ગુણસુંદરીની કથા ચોથી પુરોહિતની પુત્રી જે ગુણસુંદરી હતી, તેને શ્રાવસ્તી નગરીના રાજાના પુરોહિતનો પુત્ર પરણ્યો હતો. તે ગુણસુંદરી ઉપર સાકેતપુરનો રહેવાસી કોઈ બ્રાહ્મણ મોહ પામ્યો હતો; તેથી તે બ્રાહ્મણે ભીલની પલ્લીમાં જઈને પલ્લી પતિને કહ્યું કે “તમે શ્રાવસ્તી નગરીમાં લૂંટ કરો, હું તમને મદદ કરીશ. તેમાં જેટલું ઘન આવે તે સર્વ તમારે રાખવું અને એક ગુણસુંદરી મને આપવી.” એમ કહીને તે બ્રાહ્મણ પલ્લી પતિને તેના અનુચરો સહિત શ્રાવસ્તી લઈ ગયો. ત્યાં લૂંટ કરી, તેમાંથી તે બ્રાહ્મણ ગુણસુંદરીને લઈને કોઈક નગરમાં ગયો. ત્યાં તેણે ગુણસુંદરીને પોતાની સ્ત્રી થવા કહ્યું. ત્યારે તે બોલી કે “હાલ મારે નિયમ છે.” એમ કહીને કેટલાક દિવસો નિર્ગમન કર્યા. પછી ઔષઘના પ્રયોગથી તે તદ્દન અશુચિ શરીર રાખવા લાગી. તેનું તેવું દુર્ગધયુક્ત શરીર જોઈને બ્રાહ્મણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જાણીને ગુણસુંદરીએ તેને કહ્યું કે “મને મારા પિતાને ઘેર લઈ જા.” ત્યારે તે બ્રાહ્મણે તેને તેના પિતાને ઘેર પહોંચાડી. એકદા તે બ્રાહ્મણને સર્પ ડસ્યો. તે વખતે ગુણસુંદરીએ તેને સજ કર્યો. પછી તેને ગુરુ પાસે લઈ જઈને ઘમદેશના સંભળાવી. ગુરુ બોલ્યા કે “નિર્લેપ ગુણથી યુક્ત એવો જીવ અનેક ગુણોને પામે છે. ચૈતન્યનું સમગ્ર પરભાવના સંયોગના અભાવે કરીને સ્વભાવમાં અવસ્થિત રહેવાપણું તે નિર્લેપ ગુણ કહેવાય છે. કહ્યું છે કે– लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रोमांजनैनँव, ध्यायन्निति न लिप्यते ॥१॥ ભાવાર્થ-“પુગલોથી પુદ્ગલ સ્કંધો લેપાય છે, હું લપાતો નથી–જેમ વિચિત્ર પ્રકારના અંજનો વડે પણ આકાશ પાતું નથી તેમ. આ પ્રમાણે ધ્યાતો સંતો પ્રાણી (કર્મથી) લપાતો નથી.” વિશેષાર્થ–પરસ્પર એકઠા મળવાથી આશ્લેષ અને સંક્રમાદિ વડે પુદ્ગલના સ્કન્ધો લેપાય છે, એટલે અન્ય પુદ્ગલોથી ઉપચયને પામે છે; પરંતુ હું નિર્મળ ચિત્ સ્વરૂપ આત્મા પુદ્ગલના આશ્લેષવાળો નથી. વાસ્તવિક રીતે જીવને અને પુગલને તાદાત્મ સંબંઘ છે જ નહીં, માત્ર સંયોગ સંબંઘ છે, તે પણ ઉપાધિજન્ય છે. જેમ આકાશ વિચિત્ર અંજનથી લેપ્યા છતાં પણ લપાતું નથી, તેમ અમૂર્ત આત્મસ્વભાવવાળો હું એક ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી પણ લપાતો નથી. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy