SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૩] લેણ અને અલેપ્ય વિષે ૧૧૧ પ્રમાણે ધ્યાન કરતો જીવ કદાપિ લપાતો નથી. જે આત્મસ્વભાવને જાણનાર આત્મા આત્મવીર્યની શક્તિને આત્મામાં વાપરે છે, તે નવાં કમથી લપાતો નથી; કેમકે જ્યાં સુધી આત્મશક્તિ પરાનુયાયિની હોય છે ત્યાં સુધી આસ્રવ થાય છે, અને જ્યારે આત્મશક્તિ સ્વરૂપાનુયાયિની થાય છે ત્યારે સંવર થાય છે. કહ્યું છે કે तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । માવિનાજ્ઞાનસંપત્તો, નિદિયોપિ ન તિર્થ રાં. ભાવાર્થ-“તપ અને કૃતાદિકથી મત્ત એવો મનુષ્ય ક્રિયાવાન હોય તો પણ તે લેપાય છે, અને ભાવનાજ્ઞાનથી યુક્ત ક્રિયા ન કરે તો પણ તે લપાતો નથી.” જિનકલ્પી સાઘુ વગેરેના જેવી ક્રિયાનો અભ્યાસી છતાં પણ તપ અને કૃતાદિકનો અભિમાની હોય છે તો તે નવાં કર્મ ગ્રહણ કરવા વડે લેપાય છે; કેમ કે આહારાદિકની લાલચથી ઘર્મના અભ્યાસમાં જે પ્રવૃત્તિ કરવી તે ધર્મ નથી, તેમાં શુભ ભાવનાની અપેક્ષા છે. તેથી જ તેવા શુભ ભાવનાજ્ઞાનથી સંપન્ન મનુષ્ય ક્રિયા ન કરે તો પણ કર્મથી લપાતો નથી. કહ્યું છે કે न कम्मुणा कम्म खवंति बाला, अकम्मुणा कम्म खवंति वीरा । मेहाविणो लोभमयावतीता, संतोसिणो नो पकरंति पावं ॥१॥ ભાવાર્થ-“અજ્ઞાની માણસો કર્મે કરીને (શુભ ક્રિયા કરવા વડે કરીને પણ) કર્મને ખપાવતા નથી. વીર પુરુષો કર્મ (શુભ ક્રિયા) નહીં કર્યા છતાં પણ કર્મને ખપાવે છે. બુદ્ધિવાળા માણસો લોભ ને મદથી રહિત હોય છે, તેવા સંતોષી જીવો પાપકર્મ કરતા જ નથી.” जहा कुम्मो सअंगाई, सए देहे समाहरे । પર્વ પવાફ મેદાવી, ફાસ્સા સમાહરે રા. ભાવાર્થ-“જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં જ સંકોચી લે છે, તેમ બુદ્ધિશાળી માણસો શુભ અધ્યાસ વડે જ પાપનો સંહાર કરે છે.” આ પ્રમાણે ગુરુએ ઘર્મોપદેશ આપ્યો, તે સાંભળીને તે બ્રાહ્મણે પ્રતિબોધ પામી પરસ્ત્રીગમનના નિષેઘનો નિયમ લીઘો. ગુણસુંદરી પોતાના રૂપને અને સૌંદર્યને કૃશ કરવા માટે ચારિત્ર લઈ તપ કરવા લાગી. તે અનુક્રમે સ્વર્ગસુખને પામી. આ પ્રમાણે પૂર્વે વર્ણન કરેલી રતિસુંદરી વગેરે ચારે સખીઓ સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને ચંપાનગરીમાં ચાર જુદા જુદા શ્રીમંત ગૃહસ્થની પુત્રીઓ થઈ. તે ચારે વિનયંઘર નામના શ્રેષ્ઠીપુત્રની સાથે પરણી. એકદા રાજાએ તે ચારેને સમાન સ્વરૂપવાળી જોઈ. જાણે એક જ માતાથી ઉત્પન્ન થયેલી હોય તેવી સમાન લાવણ્યવાળી જોઈને તેમના પર રાજા મોહિત થયો; તેથી રાજાએ વિનયંઘર શ્રેષ્ઠીની સાથે કપટમૈત્રી કરી. વિનયંઘર રાજાનો માનીતો થવાથી રાજાના અંતઃપુરમાં પણ સ્વેચ્છાએ ગમનાગમન કરવા લાગ્યો. એકદા રાજાએ વિનયંઘરના હાથથી નીચેની ગાથા કાગળ પર લખાવી. एसच्छेर विचक्खणि, अज्ज उ भच्चस्स तुह विओअंमि । सा रयणी चउमासा, जामसहस्सं च वोलीणा ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy