SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૨] તૃત અને અતૃપ્તનું સ્વરૂપ ૧૦૯ વિશેષાર્થ-હે રાજા! દ્રવ્યથી ચાર ગતિરૂપ અને ભાવથી મિથ્યાત્વાદિક ભાવવાળા આ સંસારમાં “મેં છળ-બળ કરીને આ કાર્ય કર્યું, મારા જેવો જગતમાં કોઈ નથી.” એવા અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃમિ સ્વપ્નની જેમ મિથ્યા એટલે માત્ર કલ્પનારૂપ જ છે, કેમકે તે તૃપ્તિ વિનશ્વર છે, પરવસ્તુ છે તથા આત્મસત્તાનો રોઘ કરનાર આઠ પ્રકારના કર્મના બંઘમાં કારણભૂત એવા રાગદ્વેષને ઉત્પન્ન કરનાર છે. માટે તે મૃગતૃષ્ણા જેવી વૃતિ સુખનો હેતુ નથી. પરંતુ ભ્રાંતિ રહિત એટલે સમ્યજ્ઞાને કરીને સહિત પુરુષને સ્વભાવ ને વિભાવના અનુભવવાળી જે તૃપ્તિ છે તે જ સત્ય સુખનો હેતુ છે. કેમકે તે તૃપ્તિ આત્મવીર્યનો વિપાક એટલે પુષ્ટિને કરનારી છે. सुखीनो विषयातृप्ताः, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । fમધુવઃ સુથ્વી નોવે, જ્ઞાનતૃપ્તો નિરંગનઃ મેરા ભાવાર્થ-“અહો! આ જગતમાં વિષયોથી અતૃપ્ત એવા ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે સુખી નથી; માત્ર જ્ઞાનથી તૃપ્ત થયેલા નિરંજન એવા એક ભિક્ષુ જ સુખી છે.” વિશેષાર્થ-“અહો! ઇન્દ્ર તે દેવોના સ્વામી અને ઉપેન્દ્ર તે ચક્રવર્તી વાસુદેવ વગેરે તે કોઈ આ જગતમાં સુખી નથી; કેમકે તેઓ મનોહર ઇન્દ્રિયોના વિષયોને સેવતા છતાં નિરંતર અતૃપ્ત રહે છે. અનેક વનિતાઓના વિલાસથી, ષસ ભોજનના ગ્રાસથી, સુગંધી કુસુમના વાસથી અને રહેવાના સુંદર આવાસથી, તેમજ મૃદુ શબ્દના શ્રવણથી અને સુંદર સ્વરૂપોના નિરીક્ષણથી અસંખ્ય કાળ સુધી ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ કરતાં છતાં પણ તેઓ તૃપ્ત થતા નથી, પરંતુ તે તૃપ્ત થાય જ કેમ? કારણ કે સર્વ વિષયો તૃતિના હેતુ જ નથી. માત્ર તેમાં સુખાદિકનો અસદારોપ જ કરેલો છે. આ ચૌદ રદ્ પ્રમાણ લોકમાં માત્ર એક ભિક્ષુ જ કે જે આહારાદિકમાં લુબ્ધ નથી, સંયમયાત્રા માટે જ તીક્ષ્ણ શીલનું પાલન કરે છે, અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તે જ સુખી છે; કેમકે તેઓ જ્ઞાન જે આત્મસ્વરૂપનો અવબોઘ તેના આસ્વાદન વડે તૃપ્ત થયેલ છે. વળી તે રાગાદિક અંજનની શ્યામતા રહિત છે, અને આત્મઘર્મના જ ભોક્તા છે.” આ પ્રમાણે અનેક પ્રકારે ઉપદેશ આપ્યો, તો પણ રાજા બોઘ પામ્યો નહીં. ત્યારે તે બુદ્ધિસુંદરીએ પોતાના જેવી જ એક પોલી પૂતળી કરાવીને તેમાં મદિરા ભરી. પછી ઘણે દિવસે જ્યારે રાજા આસક્તિનાં વચનોથી તેને બોલાવવા લાગ્યો, ત્યારે બુદ્ધિસુંદરીએ પાછળથી ગુપ્ત રીતે તે પૂતળીનું મુખ ઉઘાડ્યું, કે તરત જ તેમાંથી અત્યંત દુર્ગઘ નીકળી. તે જોઈ રાજા બોલ્યો કે “શું આ શરીર આવું દુર્ગઘવાળું છે?” તોપણ રાજાનો મોહ તેના પરથી ઓછો થયો નહીં. ત્યારે બુદ્ધિસુંદરીએ મહેલની ઊંચી બારીએથી પોતાનો દેહ પડતો મૂક્યો, તેથી તે મૂછ પામી. તે જોઈને રાજા અતિ ખેદ પામી તેની આસનાવાસના કરવા લાગ્યો. અનુક્રમે બુદ્ધિસુંદરી સાવધ થઈ, એટલે રાજાએ પરસ્ત્રીગમનનો નિયમ કર્યો. કેટલેક કાળે બુદ્ધિસુંદરી દીક્ષા લઈ આત્મજ્ઞાન વડે થતી સત્ય તૃતિને પ્રાપ્ત કરી મોક્ષપદ પામી. “સંપૂર્ણ કૃમિથી જ શીલ વગેરે સદ્ગણો શુભ આત્મામાં શોભાને પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિસુંદરીની જેમ તેની પ્રશંસા આખા જગતમાં થાય છે, અને છેવટ તે મોક્ષપદને પામે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy