SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ પણ પાટિયું મળવાથી તરીને તે જ નગરમાં આવ્યો. તેને પોતાના પાપને લીધે કુષ્ઠનો વ્યાધિ થયો. એકદા તે પેલા દંપતીની નજરે પડ્યો; એટલે તેને વ્યાધિથી પીડાયેલો જોઈને તેનો પૂર્વ ઉપકાર સ્મરણ કરી તે દંપતીએ ઔષધ વગેરેથી તેને નીરોગી કર્યો. તે વિણકે તે દંપતી પાસે પોતાના પાપની ક્ષમા માગી; ત્યારે તે દંપતીએ તેને ઉપદેશ કરીને ઘર્મ પમાડ્યો. પછી તે બન્ને વણિકો વ્યાપાર કરી ઘન ઉપાર્જન કરીને પોતપોતાના નગરમાં ગયા. પછી કેટલોક કાળ સુખમાં નિર્ગમન કરીને ઋદ્ધિસુંદરીએ દીક્ષા લઈ આત્મસાઘન કર્યું. આ બે સખીઓની કથા કહી. હવે બીજી બે સખીની કથા આગળ કહેવામાં આવશે. “પ્રશાંત ચિત્ત વડે ઇન્દ્રિયોના જયપૂર્વક કરેલી ક્રિયા જ સફળ થાય છે, તેથી રતિસુંદરીની જેમ કષ્ટ પ્રાપ્ત થાય છતાં પણ સુશીલ સ્ત્રીઓ પોતાના કર્તવ્યને તજતી નથી.'' વ્યાખ્યાન ૩૧૨ તૃમ અને અતૃમનું સ્વરૂપ विषयोर्मिविषोद्गारः, स्यादतृप्तस्य पुद्गलैः । ध्यानसुधोद्गारपरंपरा ॥१॥ ज्ञानतृप्तस्य तु ભાવાર્થ-પૌદ્ગલિક સુખથી અતૃપ્ત એવા મનુષ્યને પુદ્ગલોએ કરીને વિષયની ઊર્મિરૂપી વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે (ઓડકાર આવે છે), અને જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે.’’ આત્મસ્વરૂપના સ્વાદથી રહિત એટલે જેણે તેનો સ્વાદ લીધો નથી એવા પુરુષને અંગરાગ, સ્ત્રીઓનું આલિંગન વગેરે પુદ્ગલોએ કરીને ઇન્દ્રિયવિલાસરૂપ વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે; અને આત્મતત્ત્વના અવબોધથી તૃપ્ત એટલે પૂર્ણ થયેલા પુરુષને તો શુભધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે. આ પ્રસંગ ઉપર બુદ્ધિસુંદરીની કથા છે તે આ પ્રમાણે– બુદ્ધિસુંદરીની કથા ત્રીજી જે બુદ્ધિસુંદરી નામે પ્રધાનપુત્રી હતી તે અત્યંત રૂપવતી હતી. તેને એકદા રાજાએ જોઈ, તેથી તેના પર મોહ પામીને દૂતી મોકલી તેની પ્રાર્થના કરી; પણ બુદ્ધિસુંદરી અન્ય નરને ઇચ્છતી નહોતી, એટલે રાજાની માગણી તેણે કબૂલ કરી નહીં, તેથી ક્રોધ પામેલા રાજાએ કાંઈક પ્રપંચ કરીને પ્રધાનને તેના કુટુંબ સહિત કેદ કર્યો. પછી રાજાએ પ્રઘાનને કહ્યું કે ‘‘જ્યારે તું મારી આજ્ઞા કબૂલ કરીશ ત્યારે જ હું તને છોડીશ.'' પ્રધાને કહ્યું કે, “હે સ્વામી! આપ આજ્ઞા કરો, તે મારે પ્રમાણ છે.’” તે સાંભળીને રાજાએ સર્વને છોડી દીઘા ને બુદ્ધિસુંદરીને અંતઃપુરમાં રાખી તેની પ્રાર્થના કરી. બુદ્ધિસુંદરી બિલકુલ રાજાને ઇચ્છતી નહોતી. તેણે રાજાને ઉપદેશ આપ્યો કે संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादभिमानिकी । तथ्या तु भ्रांतिशून्यस्य, स्वात्मवीर्यविपाककृत् ॥१॥ ભાવાર્થ—“આ સંસારમાં અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વપ્નની જેમ મિથ્યા છે, પણ ભ્રાંતિરહિત પુરુષને આત્મવીર્યનો વિપાક કરનારી જે તૃપ્તિ તે જ સત્ય તૃપ્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy