SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૧૧] જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી ૧૦૭ સખીઓ સુંદર રૂપવાળી હતી અને શ્રાવક ઘર્મ પાળનારી હોવાથી પરસ્પર પ્રેમવાળી હતી અને દેવગુરુના સ્થળમાં (દેરાસરે ને ઉપાશ્રયમાં) એકઠી મળીને ઘર્મગોષ્ઠી કરતી હતી. તેઓએ ઘર્મક્રિયા કરતાં પરપુરુષનો નિયમ લીઘેલો હતો. હવે નંદપુરનો રાજા ચાર સખીઓ પૈકી રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. તેનું રૂપ અને લાવણ્ય સર્વત્ર શ્લાઘા પામ્યું; તેથી હસ્તિનાપુરના રાજાએ એક દિવસ દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળીને નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સામાન્ય માણસ પણ પોતાની પત્નીને આપતો નથી તો હું શી રીતે મારી પત્નીને આપીશ? માટે તું તારે સ્થાને પાછો ચાલ્યો જા.” તે સાંભળીને દૂતે જઈને પોતાના રાજાને સર્વ વાત કહી, તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. બન્ને રાજાનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાનો જય થયો. તે રતિસુંદરીને બળાત્કારથી પોતાના પુરમાં લઈ ગયો. પછી તેણે રતિસુંદરીની પ્રાર્થના કરી, ત્યારે તે બોલી કે “મારે ચાર માસ સુધી શીલવ્રત પાળવાનો નિયમ છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “ચાર માસ પછી પણ તે મારે જ આધીન છે. ક્યાં જવાની છે?” એમ વિચારી દિવસો નિર્ગમન કરવા લાગ્યો. રતિસુંદરી હમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના પરથી જરા પણ ઓછો થયો નહીં. એકદા રાજા બોલ્યો કે “હે ભદ્ર! તું હમેશાં મને ઉપદેશ આપે છે, તું તપ વડે અતિ કૃશ થઈ ગઈ છે, તેમજ શરીર પરથી સર્વ શૃંગાર કાઢી નાંખ્યા છે, તો પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારા બીજા અંગના તો હું શું વખાણ કરું? પરંતુ એક તારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.” તે સાંભળીને રતિસુંદરીએ પોતાનાં નેત્રોને જ શીલલોપનું કારણ જાણી રાજાની સમક્ષ તત્કાળ છરી વડે બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં આપ્યાં. તે જોઈ રાજાને અત્યંત ખેદ થયો. પછી તેને રતિસુંદરીએ સારી રીતે ઘર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોઘ પામીને તેને ખમાવી; અને મારે માટે આ સ્ત્રીએ પોતાનાં નેત્રો કાઢી નાંખ્યા એમ જાણીને મનમાં અતિ દુઃખી થયો. રાજાનું દુઃખ નિવારણ કરવા માટે રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવાં નેત્ર આપ્યાં. પછી રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. બીજી શ્રેષ્ઠીની પુત્રી જે ઋદ્ધિસુંદરી નામે હતી, તે તામ્રલિસિ નગરીમાં શ્રીવણિક નામના ઘનાઢ્યને પરણી હતી. તે વણિક તેને સાથે લઈને વેપાર માટે સમુદ્ર રસ્તે ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગવાથી તે દંપતી એક પાટિયાનું અવલંબન કરીને તરતાં તરતાં કોઈ એક દીપે નીકળ્યા. ત્યાં તેમણે એક ધ્વજા ઊંચી કરી રાખી. તે જોઈને કોઈ બીજા વણિકે પોતાનું વહાણ તે દ્વીપે લઈ જઈને તે બન્નેને તેમાં લઈ લીઘા. તે બીજો વણિક નૈઋદ્ધિસુંદરીને જોઈને તેના પર મોહ પામ્યો, તેથી ઋદ્ધિસુંદરીના પતિને તેણે ગુપ્ત રીતે સમુદ્રમાં નાખી દીધો. પછી તેણે ઋદ્ધિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તેણે તેને સમજાવવા માટે ઘણો ઉપદેશ કર્યો, તો પણ તે વણિકનો મોહ ઓછો થયો નહીં. તે બોલ્યો કે “તારે માટે તો તારા પતિને મેં સમુદ્રમાં નાખી દીધો છે.” એ વાત જાણીને તેણે કાળ નિર્ગમન કરવા માટે કાંઈક મિષ બતાવ્યું. આગળ ચાલતાં તે વહાણ પણ ભાંગ્યું. ઋદ્ધિસુંદરી દૈવયોગે મળેલા એક પાટિયાથી તરીને સોપારક નામના નગરમાં આવી. તે જ નગરમાં તેનો પતિ પણ પાટિયાથી તરીને પ્રથમથી આવેલો હતો. તેની સાથે તેનો મેળાપ થયો. પેલો બીજો વણિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy