SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૧ ભાવાર્થ-“રાગદ્વેષથી રહિત થઈને ઇન્દ્રિયના વિષયોને રોકનારા પ્રાણીઓ મૃદંગ દ્રહના સુખને પામનારા કાચબાની જેમ નિવૃતિ સુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.” તે બે કાચબાની કથા નીચે પ્રમાણે– બે કાચબાની કથા વારાણસી પુરીને વિષે ગંગાનદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુસેંદ્રિય અને અગસેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળે તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પૃષ્ઠની ઢાલમાં ગોપવી દીઘા, અને કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઊંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા, પરંતુ તે કાચબાને કાંઈ પણ ઇજા થઈ નહીં. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગુસેંદ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દોડી આવીને તેની ડોક પકડીને મારી નાંખ્યો. બીજો ગુસેંદ્રિય કાચબો તો અચપળ હોવાથી ચિરકાળ સુઘી તેમનો તેમ પડ્યો રહ્યો. પછી ઘણી વાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો ચોતરફ જોતો જોતો કૂદીને જલદીથી દ્રહમાં જતો રહ્યો, તેથી તે સુખી થયો. પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઇન્દ્રિયો ગોપવનાર પ્રાણી સુખી થાય છે, એવું આ દ્રષ્ટાંતનું તાત્પર્ય છે. - આ પાંચે ઇન્દ્રિયોનો પ્રયોગ પ્રશસ્ત પરિણામ અને અપ્રશસ્ત પરિણામે કરીને બે પ્રકારનો છે. તેમાં શ્રવણ ઇન્દ્રિયનો દેવગુરુના ગુણગ્રામ અને ઘમદશનાદિકના શ્રવણ કરવામાં શુભ અધ્યવસાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને ઇષ્ટ તથા અનિષ્ટ શબ્દો શ્રવણ કરીને રાગદ્વેષનું જે નિમિત્ત થાય તે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય છે. ચક્ષુ ઇન્દ્રિયનો દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રો જોવામાં અને પડિલેહણ, પ્રમાર્જન વગેરેમાં, ઈસમિતિમાં તથા ઘર્મસ્થાનાદિક જોવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને હાસ્ય, નૃત્ય, ક્રીડા, રુદન, ભાંડચેષ્ટા, ઈન્દ્રજાલ, પરસ્પર યુદ્ધ, તથા સ્ત્રીના સુરૂપ કુરૂપ અંગોપાંગ વગેરે જોવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાનો અરિહંતની પૂજામાં ઉપયોગી પુષ્પો, કેસર, કપૂર, સુગંધી તેલ વગેરેની પરીક્ષામાં, ગુરુ અને ગ્લાન મુનિ વગેરેને માટે પથ્ય કે ઔષધ આપવામાં તથા સાધુઓને કહ્યું તેવા અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય વગેરે જાણવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર સુગંધી તથા દુર્ગધી પદાર્થોમાં ઉપયોગ કરાય તો તે અપ્રશસ્ત છે. જિલ્લા ઇન્દ્રિયનો સ્વાધ્યાય કરવામાં, દેવગુરુની સ્તુતિ કરવામાં, પરને ઉપદેશ આપવામાં, ગુરુ વગેરેની ભક્તિ કરવામાં અને મુનિઓને આહારપાણી આપતાં તે વસ્તુઓની પરીક્ષા કરવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રી વગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઇષ્ટ અનિષ્ટ આહારાદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પર્શઇંદ્રિયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy