SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 3૦૮] ઇંદ્રિયજય પાંચ ઇન્દ્રિયોના વિષયનું માન આ પ્રમાણે છે–નેત્ર વિના બીજી ચાર ઇન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્ર ઇન્દ્રિય જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલાં અંજન, રજ, મેલ વગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિહ્યા અને સ્પર્શન એ ત્રણ ઇન્દ્રિયો ઉત્કૃષ્ટ નવ યોજનથી આવતા ગંધ, રસ તથા સ્પર્શને ગ્રહણ કરે છે. કર્ણ ઇન્દ્રિય ઉત્કૃષ્ટ બાર યોજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે, અને ચક્ષુરિન્દ્રિય સાથિક લાખ યોજન દૂર રહેલા રૂપને જોઈ શકે છે. વળી– एकाक्षादिव्यवहारो, भवेदद्रव्येन्द्रियैः किल । अन्यथा बकुलः पंचाक्षः स्यात्पंचोपयोगतः॥४॥ रणन्नूपुर शृंगारचारुलोलेक्षणामुखात् । निर्यत्सुगन्धिमदिरागंडूषादेष पुष्यति ॥२॥ ભાવાર્થ-“એકેન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્ય ઇન્દ્રિયોએ કરીને જ થાય છે, નહીં તો બકુલ વૃક્ષ પાંચે ઇન્દ્રિયોના ઉપયોગવાળું હોવાથી પંચેન્દ્રિય કહેવાય. પણ તે એકેન્દ્રિય જ છે. (૧) પગમાં શબ્દ કરતા નૂપુર વગેરે શૃંગાર ઘારણ કરેલી સુંદર અને ચપળ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગંધી મદિરાના કોગળાથી બકુલ વૃક્ષ પુષ્પિત થાય છે. અહીં બકુલ વૃક્ષને પાંચે ભાવઇન્દ્રિયોનો ઉપયોગ આ પ્રમાણે સમજવો નૂપુરના શબ્દવાળા પાદનો સ્પર્શ કરવાથી પ્રફુલ્લિત થાય છે. તેથી કર્ણ અને સ્પર્શ એ બે ઇન્દ્રિયોનો ઉપયોગ, સુંદર નેત્રવાળી સ્ત્રીને લીધે પ્રફુલ્લિત થાય છે તેથી નેત્રઇન્દ્રિયનો ઉપયોગ અને સુગંધી મદિરાના રસથી પ્રફુલ્લિત થવાને અંગે રસેંદ્રિય ને ધ્રાણેદ્રિયનો ઉપયોગ–એમ પાંચે ઇન્દ્રિયના વિષયનો ઉપયોગ જાણવો. આ પ્રમાણે ઇન્દ્રિયોના સ્વરૂપને જાણીને તેના શબ્દાદિ વિષયોમાં ક્ષણમાત્ર પણ મનની પ્રવૃત્તિ કરવી નહીં. કહ્યું છે કે इंदिअधुत्ताण अहो, तिलतुसमित्तं पि देसु मा पसरं । अह दिनो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमो॥१॥ ભાવાર્થ-“અહો! ઇન્દ્રિયરૂપી ઘૂર્તને તલના ફોતરા જેટલો પણ પ્રસાર (અવકાશ) આપીશ નહીં. જો કદાચ તેને એક ક્ષણમાત્ર પણ અવકાશ આપીશ તો તે જરૂર કોટી વર્ષ સુઘી જશે નહીં. ઇન્દ્રિયો ગોપવવાના વિષયમાં જ્ઞાતાઘર્મકથાંગ સૂત્રને વિષે બે કાચબાનું દ્રષ્ટાંત આપેલું છે. તે સૂત્રમાં આ બે ગાથાઓ છે– विसएसु इंदिआई, रुंभंता रागदोसनिम्मुक्का । पावंति निबुइ सुहं, कुम्मुव्व मयंगदहसुहं ॥१॥ अवरे उ अणत्थपरंपराओ पावंति पावकम्मवसा ।। संसारसागरगया, गोमाऊ अ गसिअ कुम्मुव्व ॥२॥ Jain Educભાગ ૫–૭] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy