SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ ગુણશીલ વનમાં સમવસર્યા. તે પરમાત્માને વાંદવા માટે રાજા તથા સર્વ પૌરજનો જતા હતા, તે જોઈને તે સુભદ્ર પણ સર્વ જનની સાથે પ્રભુ પાસે ગયો. ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને જેને કોઈની ઉપમા ન આપી શકાય એવી શ્રી જિનેશ્વરની વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા સુભદ્ર વિચાર કર્યો કે “અહો! આજ મેં નિઃસીમ ગુણના નિધિ સમાન કર્મકલ્મષરહિત એવા પ્રભુને જોયા. આજે મારો જન્મ સફળ થયો.” પછી સમગ્ર જગતના જીવોનો ઉદ્ધાર કરનાર અને બોધિબીજને આપનાર એવા શ્રી પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઇન્દ્રિયો સંબંઘી વ્યાખ્યાન શરૂ કર્યું. તે આ પ્રમાણે जितान्यक्षाणि मोक्षाय,संसारायाजितानि च । भवेत्तदन्तरं ज्ञात्वा, यद्युक्तं तत्समाचर ॥४॥ ભાવાર્થ-“જીતેલ ઇન્દ્રિયો મોક્ષને માટે થાય છે, અને નહીં જીતેલ ઇન્દ્રિયો સંસારને માટે થાય છે, માટે તે બન્નેનું અંતર જાણીને જે યુક્ત લાગે તેનું આચરણ કર.” ઇન્દ્રિયો પાંચ છે–શ્રોત્ર, નેત્ર, નાસિકા, જિલ્લા અને સ્પર્શન (કાયા). તે દરેક ઇન્દ્રિય દ્રવ્ય અને ભાવથી બબ્બે પ્રકારની છે. દ્રજિયના પણ બે પ્રકાર છે. એક નિવૃતિ ઇન્દ્રિય અને બીજી ઉપકરણ ઇન્દ્રિય. નિવૃતિ એટલે ઇન્દ્રિયનો આકાર. તે પણ બાહ્ય અને અત્યંતર ભેદે કરીને બે પ્રકારનો છે. તેમાં બાહ્ય આકાર ફુટ છે. તે દરેક જાતિને વિષે જુદા જુદા સ્વરૂપવાળો કાનની પાપડી વગેરે જે બહાર દેખાય છે તે જાણવો. બાહ્ય આકાર વિચિત્ર આકૃતિવાળો હોવાથી અશ્વ, મનુષ્ય વગેરે જાતિમાં સમાન રૂપવાળો નથી. અત્યંતર આકાર સર્વ જાતિમાં સમાન હોય છે. તે આ પ્રમાણે–શ્રોત્રનો અભ્યતર આકાર કદંબ પુષ્પના આકાર જેવા માંસના ગોળારૂપ છે, નેત્રોનો અત્યંતર આકાર મસૂરના ઘાન્યના જેવો હોય છે, નાસિકાનો અત્યંતર આકાર અતિમુક્તકના પુષ્પ જેવો હોય છે, જિલ્લાનો આકાર અસ્ત્ર જેવો હોય છે, અને સ્પર્શને ઇન્દ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે, પણ તે બાહ્ય અને અત્યંતર એક જ સ્વરૂપે હોય છે. આ પ્રમાણે નિવૃતિ ઇન્દ્રિયનું સ્વરૂપ જાણવું. ઉપકરણ ઇન્દ્રિયનું સ્વરૂપ એવું છે કે જેમ બની ઘારામાં છેદન કરવાની શક્તિ છે, તેમ શુદ્ધ પુગલમય શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની જે શક્તિવિશેષ તે ઉપકરણ ઇન્દ્રિય જાણવી. તે ઇન્દ્રિયનો અતિ કઠોર મેઘગર્જનાદિક વડે ઉપઘાત થાય તો બહેરાપણું વગેરે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દ્રવ્ય ઇન્દ્રિયના નિવૃતિ અને ઉપકરણ એવા બન્ને ભેદનું સ્વરૂપ જાણવું. હવે ભાવ ઇન્દ્રિયના પણ બે પ્રકાર છે. લબ્ધિ અને ઉપયોગ. તેમાં શ્રોત્ર વગેરે ઇંદ્રિયોના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ ઇન્દ્રિય જાણવી; અને પોતપોતાના વિષયમાં લબ્ધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માનો જે વ્યાપાર–પ્રણિઘાન તે ઉપયોગ ઇન્દ્રિય જાણવી. પાંચે ઉપકરણ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ સ્કૂલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત્ર, નાસિકા અને નેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે પૃથુ છે, જિલ્લા ઇન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે, અને સ્પર્શનેન્દ્રિય દેહપ્રમાણ વિસ્તારવાળી છે. ૧ અગથીઆનાં ફૂલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy