SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૮] ઇંદ્રિયજય ૯૫ ભાવાર્થ—સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર એવો સમતા રસ જેના હૃદયમાં વૃદ્ધિ પામ્યા કરે છે, તેવા મુનિને જેના વડે ઉપમા આપી શકાય એવો કોઈ પણ પદાર્થ આ ચરાચર જગતમાં નથી. અર્ધ રજુ પ્રમાણ છેલ્લો સ્વયંભૂરમણ નામનો જે સમુદ્ર તેના જળની સાથ સ્પર્ધા કરે તેટલો સમતા રસ જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે એવા મુનિ ત્રિકાળમાં પણ વિષયને ગ્રહણ કરતા નથી. તેઓને અતીત કાળમાં ભોગવેલા ભોગના સ્મરણનો અભાવ છે, વર્તમાન કાળે ઇન્દ્રિય ગોચર એવા વિષયોમાં રમણતાનો અભાવ છે, અને અનાગત કાળે મનોજ્ઞ વિષયોની ઇચ્છાનો અભાવ છે, એવા મુનિને જે ઉપમાએ કરીને ઉપમા અપાય એવો કોઈ પણ પદાર્થ આ સચરાચર જગતમાં નથી; કેમ કે સર્વ પદાર્થ તો અચેતન પુદ્ગલ સ્કંધોથી ઉત્પન્ન થયેલ અને રૂપી છે. અને સમતા રસ તો સહજ, આત્યંતિક અને નિરુપમ આત્મસ્વભાવ રૂપ છે, તો તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય ?'' ઇત્યાદિ વિવિધ ઉપાયો વડે માતાપિતાને પ્રતિબોધ પમાડીને તેમની અનુજ્ઞાથી સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરી મૃગાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. કહ્યું છે કે— अणिस्सिओ इहलोए, परलोए अणिस्सिओ । वासिचंदणकप्पो अ, असणे अणसणे तहा ॥ १ ॥ ભાવાર્થ—આ લોકને વિષે ઇચ્છારહિત અને પરલોકને વિષે પણ ઇચ્છારહિત તેમજ વાસી (વાંસલું) ને ચંદન અને અશન ને અનશન એ જેમને તુલ્ય છે એવા તે મુનિ થયા.'' અર્થાત્ આ લોકના સુખને અર્થે કે પરલોકના સુખને અર્થે જે તપ તપતા નથી, વાંસલાથી છેદન કરનાર અને ચંદનથી વિલેપન કરનાર ઉપર જેમને સમભાવ છે અને અશન તે આહારનો સદ્ભાવ અને અનશન તે તેનો અભાવ તેમાં જે તુલ્ય મનોવૃત્તિવાળા છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને મૃગાપુત્ર મુનિ એક માસનું અનશન કરી સર્વ કર્મ ખપાવી સિદ્ધિપદને પામ્યા. “જે માણસના હૃદયમાં અંતર્ગત ઘ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન સમતા ગુણ હોય છે, તે મૃગાપુત્ર મુનીંદ્રની જેમ તત્કાળ શુભ એવા રત્નત્રયની પુષ્ટિ પામે છે.’’ વ્યાખ્યાન ૩૦૮ ઇંદ્રિયજય श्रुत्वेन्द्रियस्वरूपाणि, श्रीज्ञातनंदनास्यतः । स सुभद्रोऽनुचानोऽभूत्, पंचाक्षविषयोन्मुखः ॥ १ ॥ ભાવાર્થ-‘શ્રી મહાવીરસ્વામીના મુખથી પાંચ ઇંદ્રિયોના સ્વરૂપને સાંભળી પાંચ ઇંદ્રિયોના વિષયથી પરામુખ થયેલ તે સુભદ્ર અણગાર (મુનિ) થયા.’’ તેનું દૃષ્ટાંત આ પ્રમાણે— સુભદ્રની કથા શ્રી રાજગૃહ નગરમાં કોઈ શ્રેષ્ઠીને સુભદ્ર નામે પુત્ર હતો. તે જન્મથી જ દરિદ્રીપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદરનિર્વાહ કરતો હતો. એકદા તે નગરમાં શ્રી મહાવીરસ્વામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy