SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ ભાવાર્થ-“હે માતાપિતા! મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં છે, તથા નરકને વિષે અને તિર્યંચયોનિને વિષે જે દુઃખ પડે છે તે પણ મેં જાણ્યું છે; તેથી હું સંસારરૂપ મહાર્ણવથી નિર્વેદ (વૈરાગ્ય) પામ્યો છું; માટે મને અનુજ્ઞા આપો કે જેથી હું પ્રવ્રજ્યા અંગીકાર કરું.'' ઇત્યાદિક વાક્યો વડે દેહના ભોગોપભોગાદિકનું અનિત્યપણું કહીને તેણે પ્રવ્રજ્યા લેવાની અનુજ્ઞા માગી. તે સાંભળીને માતાપિતાએ અનેક યુક્તિઓ વડે જીવન પર્યંત ચારિત્રનું પાલન અતિ દુષ્કર બતાવીને કહ્યું કે ‘“હે પુત્ર! તારું શરીર અતિ સુકોમળ છે, તું ચારિત્ર પાળવાને સમર્થ નથી; કેમકે પાંચ ઇંદ્રિયો તથા મન જીતવા મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવાની જેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. દેદીપ્યમાન અગ્નિની જ્વાળાનું પાન કરવાની જેમ અથવા મન્દરાચળ પર્વતને તોળવાની જેમ યુવાવસ્થામાં ચારિત્રનું પાલન કરવું અતિ દુષ્કર છે. માટે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવા યોગ્ય છે.’’ તે સાંભળીને મૃગાપુત્ર બોલ્યો કે “હે માતાપિતા! આ લોકમાં નિઃસ્પૃહ થયેલા માણસને કાંઈ પણ દુષ્કર નથી. કેમકે મેં ચારે ગતિમાં વાણીથી કહી ન શકાય તેવી અનેક વેદનાઓ અનુભવી છે. सव्वभवे असाया, वेअणा वेइआ मए । निमेसंतरमित्तं पि, जं साया नत्थि वेइआ ॥ १ ॥ ભાવાર્થ–મેં સર્વ ભવોમાં અશાતાવેદની વેદી છે, એક નિમેષમાત્ર પણ શાતાવેદની વેદી ૯૪ નથી. મેં નરકાદિકની મહા વ્યથાઓ સહન કરી છે, તો પછી મારે દીક્ષાનું પાલન કરવું તેમાં શું મુશ્કેલ છે? માટે મારે અવશ્ય દીક્ષા લેવી જ છે. સંયમનું પાલન કરતાં જે શમ ગુણના સુખનો આસ્વાદ મળે છે તે જ મોટું સુખ છે. શામ્ય સુખમાં મગ્ન થયેલો જીવ દેશે ઊણા કોટી પૂર્વના કાળને પણ સુખે સુખે દીનતા રહિત નિર્ગમન કરે છે. એક નિમેષમાત્ર પણ પ્રમાદમાં પડતો નથી. કહ્યું છે કે– शमसूक्तसुधासिक्तं, येषां नक्तदिनं मनः । कदाऽपि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ १ ॥ ભાવાર્થ-જે મહાત્માઓનું મન રાત્રિદિવસ શમ જે કષાયાભાવ તેનાં સૂક્ત એટલે આત્મસ્વરૂપ તત્ત્વનાં વચનો તે રૂપી અમૃતથી સિંચન થયેલું હોય છે, તેઓ રાગરૂપી સર્પના વિષોર્મિથી કદાપિ દુગ્ધ થતા નથી. જગતના જીવો રાગાદિક સર્પથી ડસાયા સતા વિષયમાં ઘૂર્મિત થઈને પરિભ્રમણ કરે છે. ઇષ્ટ વસ્તુના સંયોગની અને અનિષ્ટ વસ્તુના વિયોગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે છે, અને બહુ પ્રકારની અગ્રશોચાદિ` જે કલ્પના તેના કલ્લોલને ગ્રહણ કરે છે; તેમજ અનંત જીવોએ અનંતીવાર ભોગવીને મૂકી દીધેલા જગતના ઉચ્છિષ્ટ એવા અનેક પુદ્ગલ સ્કંધોની યાચના કરે છે. માટે કોઈ પણ પ્રકારે શમ ગુણને પ્રગટ કરવો, એ જ નિરુપમ શ્રેયસ્કર છે. કહ્યું છે કે Jain Education International स्वयंभूरमणस्पर्द्धि वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥ १ ॥ - ૧ દુઃખ આવી પડવાનો ભય ધરાવી પ્રથમથી જે શોકસંતાપ કરવો તે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy