SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ વ્યાખ્યાન ૩૦૭]. સમગુણ. વિચાર્યું કે “હું ગુરુકર્મી છું, તેથી આ ભવે મોક્ષ પામીશ નહીં. આ મેં દીક્ષા આપેલા સાધુઓને ઘન્ય છે, કે જેઓ તત્કાળ કેવળજ્ઞાન પામ્યા.” આ પ્રમાણે અબૈર્ય રાખતા ગૌતમ ગણઘર પ્રત્યે શ્રી વીરસ્વામી બોલ્યા કે “પ્રાણીઓને મંદ, તીવ્ર ને તીવ્રતર સ્નેહ હોય છે. ચિરકાળના પરિચયથી તમને મારા ઉપર તીવ્ર એવો પ્રશસ્ત સ્નેહ થયેલો છે, તેથી તમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી; તે સ્નેહ નાશ પામશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે. અહીંથી કાળઘર્મ પામીને આપણે બન્ને સમાન થવાના છીએ, માટે તમે અશૈર્ય ન રાખો.” એ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને શ્રી ગૌતમસ્વામી પ્રસન્ન થઈ સંયમ પાલન કરતા સતા પ્રભુની સેવા કરવા લાગ્યા. “આ પ્રમાણે સ્વભાવના (આત્મજ્ઞાનના) લાભથી સાલ, મહાસાલ અને ગાંગિલ વગેરે ભૂપો તથા સર્વ તાપસો તત્કાળ કેવળજ્ઞાન પામીને અનંત સુખવાળા મોક્ષપદને પામ્યા.” વ્યાખ્યાન ૩૦૭ સમગુણ विकल्पविषयोत्तीर्णः, स्वभावालंबनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः॥४॥ ભાવાર્થ-“સંકલ્પવિકલ્પ (ચિત્તવિભ્રમ) ના વિષયથી (વિસ્તારથી) નિવર્સેલો અને સમ્ય રત્નત્રય સ્વરૂપ જે આત્માનો સ્વભાવ તેનું (ગુણપર્યાયનું) નિરંતર આલંબન કરનાર એવો આત્માના ઉપયોગ લક્ષણવાળા જ્ઞાનનો જે પરિપાક-પ્રૌઢ અવસર તે શમ કહેલો છે.” શમના ચાર નિક્ષેપો આ પ્રમાણે-નામ શમ અને સ્થાપના શમ તો પૂર્વની પેઠે જાણવા. આગમથી દ્રવ્ય શમ તે શમના સ્વરૂપને જાણનાર જ્ઞાની છે તેના ઉપયોગમાં વર્તતા ન હોય તે. નોઆગમથી દ્રવ્ય શમ તે માયાએ કરીને લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્તિ વગેરે માટે ઉપકાર અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકનો ઉપશમ કરે તે; અને ભાવશમ તે આત્મસ્વરૂપમાં ઉપયોગવાળા. તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસન પૂર્વક ચારિત્રમોહનીય કર્મના ઉદયનો અભાવ હોવાથી ક્ષમાદિક ગુણની જે પરિણતિ તે શમ કહેવાય છે. તે શમ પણ લૌકિક અને લોકોત્તર ભેદે કરીને બે પ્રકારનો છે. તેમાં વેદાંત મતવાળાનો જે શમ ગુણ છે તે લૌકિક છે, અને જૈન પ્રવચનને અનુસરનારમાં જે શમ હોય છે તે લોકોત્તર છે. તે લોકોત્તર ગુણ જ ખરેખર શુદ્ધ છે; તેની ઉપર મૃગાપુત્રની કથા છે તે આ પ્રમાણે– મૃગાપુત્રની કથા સુગ્રીવપુરના રાજાનો પુત્ર મૃગાપુત્ર નામે હતો. તે એકદા મહેલના ગોખમાં બેસીને નગરનું સ્વરૂપ જોતો હતો, તેવામાં સમગુણના નિધિ સમાન એક મુનિને નિમેષરહિત દ્રષ્ટિથી પ્રીતિપૂર્વક જોતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પૂર્વ ભવે પોતે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેનું તેને સ્મરણ થયું. પછી તે મૃગાપુત્ર પોતાના માતાપિતા પાસે જઈને બોલ્યો કે सुयाणि मे पंच महब्बयाणि, नरएसु दुक्खं च तिरिक्खजोणिसु । निविण्णकामो हि महण्णवाओ, अणुजाणह पव्वइस्सामि अम्मो ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy