SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૧ ગાથા વડે સ્તુતિ કરીને ચૈત્યની બહાર નીકળ્યા. પછી રાત્રિ નિર્ગમન કરવા માટે અશોક વૃક્ષની નીચે બેઠા.. તે વખતે ઇન્દ્રનો દિપાલ કુબેર તીર્થકરોને નમવા માટે અષ્ટાપદે આવ્યો. તે જિનેશ્વરોને નમીને શ્રી ગૌતમસ્વામીની પાસે આવ્યો, અને તેમને વંદના કરીને દેશના સાંભળવા બેઠો. શ્રી ગૌતમસ્વામી બોલ્યા કે महाव्रतधरास्तीव्रतपःशोषितविग्रहाः । तारयंति परं ये हि, तरन्तः पोतवत्स्वयम् ॥१॥ ભાવાર્થ-“તીવ્ર તપસ્યા વડે જેઓએ પોતાના દેહનું શોષણ કર્યું છે, એવા મહાવ્રતને ઘારણ કરનાર મુનિઓ નાવની પેઠે પોતે તરતાં સતા બીજાને પણ તારે છે.” તે સાંભળીને “લૂખું સૂકું અશન લેવાથી આવું પુષ્ટ શરીર થાય નહીં' એમ વિચારીને કુબેર વિકસિત મુખ કરીને કાંઈક હસ્યો. તે વખતે તેનો અભિપ્રાય જાણીને ગૌતમ ગણઘરે પુંડરીક સાધુનું અધ્યયન પ્રકાશિત કરી છેવટે કહ્યું કે कृशोऽपि पश्य दुर्ध्यानात्, कुंडरीको ययावधः । __ पुष्टोऽपि पुंडरीकस्तु, शुभध्यानात् सुरोऽभवत् ॥१॥ “હે કુબેર! જુઓ કે કુંડરિક તપસ્યાથી કૃશ થયેલ હતો છતાં પણ અશુભ ધ્યાનથી મરીને નરકે ગયો, અને પુંડરિક મુનિ શરીરે પુષ્ટ હતા છતાં પણ શુભ ધ્યાનથી દેવ થયા. તે સાંભળીને કુબેર ગણઘરને ખમાવીને સ્વસ્થાને ગયો. તે વખતે કુબેરનો સામાનિક દેવ કે જે વજસ્વામીનો જીવ હતો તે સમતિ પામ્યો. તેને કેટલાક તિર્યજંભક દેવ હતો એમ કહે છે. પ્રાતઃકાળે ગૌતમસ્વામી પર્વત પરથી ઊતરતાં તે તાપસી પાસે આવ્યા, ત્યારે સર્વ તાપસોએ તેમને કહ્યું કે “તમે અમારા ગુરુ છો, અને અમે તમારા શિષ્ય છીએ.” ગણઘર બોલ્યા કે “તમારા અને અમારા સર્વના ગુરુ શ્રી મહાવીર છે.” પછી દેવતાએ એમને મુનિવેશ આપ્યો છે એવા તે તાપસોએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. ગણઘરે પ્રાસુક અને નિર્દોષ એવાં પાયસન્ન (ક્ષીર) નું એક પાત્ર ભરી લાવીને વિધિપૂર્વક અનુક્રમ પ્રમાણે તેમને બેસાડી અક્ષીણમહાનસ લબ્ધિ વડે કરીને યથેચ્છ પારણું કરાવ્યું. તે જ વખતે સેવાલનું ભક્ષણ કરનારા પાંચસોને એક સાધુ ગણઘરની સ્તુતિ કરવામાં મગ્ન થયા સતા જમતા જમતા જ ઉજ્વલ કેવલજ્ઞાન પામ્યા. સર્વે તૃપ્ત થયા પછી ગણઘરે પોતે ભોજન કર્યું. પછી તે સર્વને સાથે લઈને આગળ ચાલ્યા. અનુક્રમે પ્રભુના સમવસરણની નજીક આવતાં છઠ તપ કરનારા દિક્ષાદિક પાંચસો ને એક સાધુને પ્રભુના પ્રાતિહાર્યની લક્ષ્મી જોતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, અને કૌડિન્યાદિક ૫૦૧ સાઘુઓને પ્રભુનું દર્શન થતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ પાસે આવીને ૧૫૦૩ મુનિથી પરિવરેલા ગૌતમસ્વામીએ પ્રભુને પ્રદક્ષિણા દીઘા પછી તે સર્વ સાધુઓ કેવલીની સભામાં જવા લાગ્યા, એટલે ગણઘર બોલ્યા કે “અરે! તમે સર્વે અહીં આવો, અને ત્રણ જગતના ગુરુને નમન કરો.” તે સાંભળીને ભગવાને તેમને કહ્યું કે “કેવળીની આશાતના ન કરો.” તે સાંભળીને ગણઘરે મિથ્યાદુષ્કત આપી તેમને ખમાવ્યા. પછી ગણઘરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy