SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૬] અજ્ઞાનત્યાગ અલ્ય કાળમાં જ સર્વવિરતિપણું પામ્યા.” તે વખતે ગાંધિત વગેરે ત્રણે જણા પણ એવો વિચાર કરવા લાગ્યા કે “આ સાલ અને મહાસાલને ઘન્ય છે કે જેઓએ આપણને પ્રથમ રાજ્યલક્ષ્મી આપી, અને હમણા મહાનંદસુખને પમાડનારું ચારિત્ર અપાવ્યું.” આવી રીતે તે પાંચે જણા લોકોત્તર ધ્યાનમાં મગ્ન થઈ ક્ષપક શ્રેણિ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યા. તેઓ શ્રી પ્રભુ પાસે આવ્યા, ત્યારે શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રભુની પ્રદક્ષિણા કરીને તે પાંચે કેવળીની સભા તરફ ચાલ્યા. એટલે ગૌતમસ્વામી બોલ્યા કે “અરે! તમે સર્વ અજાણ્યા હો તેમ ત્યાં કેમ ચાલ્યા જાઓ છો? અહીં આવે, ત્રણ જગતના પ્રભુને વંદના કરો.” તે સાંભળીને શ્રી વિરપ્રભુએ ગૌતમને કહ્યું કે “જિનની (કેવળીની) આશાતના ન કરો.” પ્રભુનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ તત્કાળ તેમને ખમાવ્યા. પછી તેમણે પોતાના મનમાં વિચાર્યું કે दुर्भगं हरिणाक्षीव, भजतेऽद्यापि मां नहि । केवलज्ञानलक्ष्मीस्तत्, किं सेत्सामि नवाथवा ॥१॥ ભાવાર્થ-“હરિણનાં સરખાં નેત્રવાળી સ્ત્રી જેમ દુર્ભાગી પુરુષને ભજે નહીં, તેમ કેવલજ્ઞાનની લક્ષ્મી મને પ્રાપ્ત થતી નથી, તો શું હું આ ભવે સિદ્ધિને પામીશ કે નહીં?” એમ તેઓ વિચાર કરતા હતા, તેવામાં તેમણે દેવવાણી સાંભળી કે “આજે શ્રી જિનેશ્વરે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જઈ જિનેશ્વરોને વંદના કરે તે જરૂર તે જ ભવે સિદ્ધિને પામે.” આ પ્રમાણેની દેવવાણી સાંભળીને ગૌતમ ગણઘર શ્રી વીરપ્રભુની આજ્ઞા લઈને અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા. આ અરસામાં કૌડિન્ય, દિન્ન અને સેવાલ નામના તાપસના આચાર્યો “અષ્ટાપદ ઉપર પોતાની શક્તિ વડે ચડવાથી મુક્તિ પામી શકાય એવું ભગવાનનું વાક્ય જનમુખથી સાંભળીને પોતાના પાંચસો પાંચસો શિષ્યો (તાપસો) સહિત અષ્ટાપદ તરફ જવા પ્રથમથી નીકળી ચૂક્યા હતા. તેમાં પ્રથમ કૌડિન્ય તાપસ પાંચસો તાપસો સહિત એકાંતર ઉપવાસ કરીને તે અષ્ટાપદની પહેલી મેખલા સુધી પહોંચ્યો હતો. તેઓ પારણાને દિવસે કંદ વગેરેનું ભોજન કરતા હતા. બીજો તાપસ પોતાના પરિવાર સહિત છઠ્ઠ તપ કરતો અને પારણામાં પાકેલાં પત્રાદિકનું ભોજન કરતો તે પર્વતની બીજી મેખલા સુધી પહોંચ્યો હતો; અને ત્રીજો તાપસ પોતાના પરિવાર સહિત અઠ્ઠમ તપ કરતો પારણામાં શુષ્ક સેવાલ ખાતો તે પર્વતની ત્રીજી મેખલા સુધી પહોંચ્યો હતો. પરંતુ કોઈ પણ તાપસ અત્યંત ક્લેશ સહન કર્યા છતાં તે પર્વતના શિખર ઉપર પહોંચી શક્યા નહોતા. તે તાપસોએ શ્રી ગૌતમસ્વામીને દૂરથી આવતા જોઈને વિચાર્યું કે “તપ વડે કરીને અતિ કૃશ થયેલા અમે આ પર્વત ઉપર ચડી શક્યા નથી, તો આ શરીરવાળા યતિ શી રીતે ચડશે?” આ પ્રમાણે તે સર્વ તાપસો વિચાર કરતા હતા, તેટલામાં તો શ્રી ગૌતમસ્વામી જંઘાચારણ લબ્ધિથી સૂર્યનાં કિરણોનું અવલંબન કરીને તત્કાળ તે સર્વ તાપસોને ઓળંગીને આગળ ચાલ્યા, અને એક ક્ષણમાં તેમને અદ્રશ્ય થઈ ગયા. તે જોઈને વિસ્મય પામેલા સર્વે તાપસી બોલ્યા કે “આપણે તો આ સાધુના શિષ્ય થઈશું.” ગૌતમસ્વામી તો પર્વતના શિખર પર જઈને ભરતચક્રીએ કરાવેલા ચૈત્યને જોઈ તેમાં સ્થાપિત કરેલા ચોવીશ તીર્થકરોને નમ્યા; અનેવિંતામણિ નહનાદ” ઇત્યાદિ Jain Educa૧ આ જગચિંતામણિનું ચૈત્યવંદન ગૌતમસ્વામીએ અહીં બનાવ્યું.Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy