SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૮] ઇંદ્રિયજય જિનપ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરુ અને ગ્લાન સા વગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે, અને સ્ત્રીને આલિંગન વગેરે કરવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાય અને ફળપ્રાતિને અનુસાર પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવ જાણવો. તેવી રીતે વિચારતાં અહીં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે કેટલાક જીવોને શુભ અધ્યવસાયના કારણ (સાઘક કારણ) ભૂત જિનબિંબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને કાલસૌકરિક વગેરેની જેમ અપ્રશસ્ત બાઘક ભાવ ઉદય પામે છે. કેટલાક જીવોને શુભ અધ્યવસાયને સાઘનાર સાઘક કારણભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને પંદરસો તાપસોની જેમ પ્રશસ્ત સાઘકભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક જીવોને બાઘક કારણભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ આષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત એવો સાધકભાવ વૃદ્ધિ પામે છે, અને કેટલાક જીવોને અપ્રશસ્ત બાઘક વસ્તુ જોઈને સુભૂમ ચક્રી, બ્રહ્મદત્તચક્રી વગેરેની જેમ અપ્રશસ્ત બાઘકભાવ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે શ્રી વિરપ્રભુના મુખથી ઘર્મદેશના સાંભળીને જેણે શેરીમાં પડેલા ચીંથરાની કંથા ઓઢેલી છે, અને જેના હાથમાં મૃત્તિકાનું રામપાત્ર રહેલું છે એવો દરિદ્રી સુભદ્ર પ્રતિબોઘ પામ્યો, તેથી તેણે તરત જ સર્વ મૂચ્છો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આકાશની પેઠે અઅલિત વિહારવાળો થયો, અને પ્રભુની કૃપાથી તે અગિયાર અંગના સૂત્રાર્થનો જ્ઞાતા થયો. એકદા પૌરલોકો તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને હાંસી કરવા લાગ્યા કે “અહો! આ સુભદ્ર કેવી રાજ્યસમૃદ્ધિ તજીને મુનિ થયો છે! હવે તો સારી રીતે આહારાદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયો છે. પહેલાં તો આ રંક, રકપુરુષો વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતો, અને હવે તો ઇન્દ્રાદિક દેવોને પણ વંદ્ય (વંદન કરવા યોગ્ય) થયો છે. પહેલાં તો તેને ઉચ્છિષ્ટ (એઠું) ભોજનની પ્રાપ્તિ પણ દુર્લભ હતી, અને હવે તો યથેચ્છ ભોજન મળે છે. આના વૈરાગ્યનું વૃત્તાંત અને તેનું કારણ આપણે બરાબર સમજ્યા છીએ.” ઇત્યાદિક નિંદા કરતા પૌરલોકોને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ વિચાર્યું કે “અહો! આ પૌરજનો વિનાકારણ મહા વૈરાગ્યવાન અને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિની નિંદા કરે છે. પરમાર્થ તત્ત્વને નહીં જાણનારા આ મૂઢ લોકો આ નિઃસ્પૃહ મુનિ ઉપર ફોગટ વૈર રાખીને તેના ગુણોને દોષપણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તેઓ દ્રઢતર પાપકર્મના સમૂહને ઉપાર્જન કરે છે. માટે મારે આ સર્વ લોકોને કોઈ પ્રકારે પ્રતિબોઘ કરવો જોઈએ.” એમ વિચારીને અવસરજ્ઞ અભયકુમારે એકદા રાજમાર્ગમાં સર્વ પૌરજનો એકઠા મળેલા હતા, તે વખતે દૂરથી સુભદ્ર મુનિને આવતા જોઈને પોતાના વાહન પરથી નીચે ઊતરી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક તેમને નમીને પૂછ્યું કે “હે પૂજ્ય! એકકાળે કેટલી ઇન્દ્રિયોનો ઉપયોગ હોઈ શકે?” ગુરુએ જવાબ આપ્યો કે “એક કાળે એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોઈ શકે.” ફરીથી મંત્રીએ પૂછ્યું કે “એક એક ઇન્દ્રિય સેવન કરવાથી જીવને દુઃખદાયી થાય કે નહીં ?” મુનિ બોલ્યા કે “એક એક ઇન્દ્રિય પણ મૃગાદિકની જેમ આ લોકમાં તથા પરલોકમાં મહા અનર્થનું કારણ થાય છે, તો પછી પાંચે ઇન્દ્રિયોનું સેવન કરવાથી કેટલો અનર્થ થાય ? કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy