SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૨] ચારિત્રાચારના છેલ્લા ત્રણ ભેદ-ત્રણ ગુણ ૩૦૧ ભાવાર્થ-સંજ્ઞાદિકનો પણ ત્યાગ કરીને સાધુ જે મૌન ઘારણ કરે અથવા વાણીની વૃત્તિનો નિરોધ કરે તે વાગૂતિ કહેવાય છે.” આ વાગ્રુતિના બે પ્રકાર છે. તે આ પ્રમાણે–મુખ, નેત્ર અને ભૂકટિનો વિકાર, આંગળીથી ઈશારો કરવો, ઊંચેથી ખોંખારો મારવો, હુંકાર કરવો, કાંકરો વગેરે ફેંકવું, ઇત્યાદિ કાર્યનું સૂચવન કરનારી સર્વ સંજ્ઞા (ઇશારા) નો ત્યાગ કરીને “આજે મારે કાંઈ પણ બોલવું નહીં' એવો અભિગ્રહ ઘારણ કરે તે પહેલી વાગુતિ કહેવાય છે; પરંતુ ચેષ્ટા વગેરે કરીને પોતાના કાર્યનું સૂચન કરવું, અને મૌનનો અભિગ્રહ કરવો તે તો નિષ્ફળ જ છે. તથા વાચના, પૃચ્છના અને બીજાના પ્રશ્નના જવાબમાં લૌકિક આગમના વિરોઘ રહિત મુખવસ્ત્રિકાથી મુખકમળનું આચ્છાદન કરીને બોલતા સતા વાવૃત્તિને જે નિયમમાં રાખવી તે બીજી વાગૂતિ કહેવાય છે. આ બે ભેદથી એવું સિદ્ધ થાય છે કે સર્વથા વાણીનો વિરોધ કરવો, અથવા યથાર્થ સમ્યકુભાષણ કરવું તે વચનગુતિ છે; અને ભાષાસમિતિમાં તો માત્ર સમ્યક્ વાણીની પ્રવૃત્તિ કરવી એમ છે, એટલો વાગૂતિમાં અને ભાષાસમિતિમાં તફાવત છે. કહ્યું છે કે समियो नियमा गुत्तो, गुत्तो समियत्तणंमि भयणिज्जा । कुशलवयमुदीरंतो, जं वइगुत्तो वि समियो वि॥१॥ ભાવાર્થ-“જે સમિતિવાન હોય તે અવશ્ય ગુસિવાળો હોય છે, અને જે ગુતિવાળો હોય તેને સમિતિની ભજના હોય છે, તેથી જે યથાર્થ વચન બોલનાર હોય તેને સમિતિ અને ગુતિ બન્ને હોય છે.” આ વાગૂમિના સમર્થન માટે અન્ય શાસ્ત્રનું દ્રષ્ટાંત કહે છે– વિષ્ણુપુરનાં ઉદ્યાનમાં શિવશર્મા, દેવશર્મા અને હરિશર્મા નામના ત્રણ તાપસી મહા ઉગ્ર તપ કરતા હતા. તે ત્રણેના તપના પ્રભાવથી પહેરવાનાં ઘોતિયાં આકાશમાં નિરાઘાર સુકાતાં હતાં, એવી સર્વત્ર પ્રસિદ્ધિ હતી. એકદા તે ત્રણે તાપસો સરોવરમાં સ્નાન કરવા ગયા, ત્યાં તેમનાં ઘોતિયાં આકાશમાં તડકે સુકાતાં હતાં. તેવામાં તે સરોવરમાં કોઈ બંગલાએ આવીને એક મસ્સને પકડ્યો, તે જોઈને “અરે! આ બહુ ખોટું થયું, આ પાપીએ નિરપરાથી મત્સ્યને પકડ્યો. અરે! મૂકી દે, મૂકી દે.” એમ બોલીને મત્સ્ય પર દયા અને બગલા પર નિર્દયતા બતાવનાર શિવશર્માનું ઘોતિયું આકાશમાંથી નીચે પડ્યું. તે જોઈને બગલા ઉપર દયા લાવીને “અરે! મૂકીશ નહીં, મૂકીશ નહીં. આ બિચારો બગલો સુઘાથી મરી જશે,” એમ બોલતા બગલા પર દયા અને મત્સ્ય પર નિર્દયતા બતાવનાર દેવશર્માનું ઘોતિયું પણ નીચે પડયું. તે બન્નેના વસ્ત્ર નીચે પડેલા જોઈને બગલા અને મત્સ્ય એ બન્ને પર સમભાવ રાખીને હરિશર્મા બોલ્યો કે मुंच मुंच पतत्येको, मा मुंच पतितो यदि । उभौ तौ पतितौ दृष्ट्वा, मौनं सर्वार्थसाधकम् ॥१॥ ભાવાર્થ-“મૂક, મૂક” એમ કહેવાથી એકનું વસ્ત્ર પડ્યું, અને “મૂકીશ નહીં, મૂકીશ નહીં” એમ કહેવાથી બીજાનું વસ્ત્ર પણ પડ્યું, તે બન્નેને પડેલા જોઈને હું ઘારું છું કે મૌન રાખવું તે જ સર્વ અર્થનું સાઘક છે.” આ પ્રમાણે પંડિત એટલે પ્રાજ્ઞને માટે જેમ મૌન કલ્યાણકારી કહ્યું તેમ કેટલીક વખત અપંડિત એટલે અલ્પજ્ઞ અથવા અજ્ઞને પણ મૌન હિતકારી થાય છે. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy