SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૨] પૂજાનો વિધિ આવી પહોંચ્યા. મધ્યાહ્ન સમયે ફળનો આહાર કરીને રાત્રે કોઈ લતાગૃહમાં વિશ્રાંતિ લઈને રાત્રિ નિર્ગમન કરી. પછી નળે પ્રવાસમાં સ્ત્રીને મહા બંઘનરૂપ ઘારીને તેને સૂતી તજી દેવાની ઇચ્છાથી આંખમાં આંસુ લાવી, હાથમાં છરી લઈને પોતાના લોહીથી તેના વસ્ત્રને છેડે આ પ્રમાણે અક્ષરો લખ્યા કે–“હે પ્રિયા! અહીંથી વટવૃક્ષની તરફ કુંડિનપુર જવાનો રસ્તો છે, અને જમણી તરફ કેસુડાના ઝાડ પાસે થઈને કોસલા નગરી જવાનો રસ્તો છે. તેથી જ્યાં તારી ઇચ્છા હોય ત્યાં જજે, હું આવી સ્થિતિમાં લક્સ પામું છું, તેથી તને અહીં મૂકીને જાઉં છું.” " ઉપર પ્રમાણે લખી દમયંતીને એકલી મૂકીને આગળ ચાલતાં નળરાજાએ પ્રાતઃકાળે સમીપના ભાગમાં ચોતરફ બળતો દાવાનળ જોયો. તેમાં થતા અનેક પ્રાણીઓના આઝંદમાં તેણે આ પ્રમાણેની મનુષ્યવાણી સાંભળી કે-“હે ઇક્વાકુળના મુગટ સમાન નળ! મારું રક્ષણ કર, રક્ષણ કર.” આ પ્રમાણે સાંભળી આમ તેમ જોતાં તેણે એક લતાના ગુચ્છામાં સર્પને જોઈને કહ્યું કે-“હે સર્પરાજ! તું મારા નામને તથા મનુષ્યભાષાને શી રીતે જાણે છે?” તેણે કહ્યું કે-“પૂર્વ ભવના સંસ્કારથી હું તારું નામ જાણું છું, માટે મારું રક્ષણ કર, રક્ષણ કર.” નળે તેને ત્યાંથી ખેંચીને બહાર કાઢ્યો કે તરત જ તે સર્ષ રાજાને ડસ્યો. તેનું ઝેર વ્યાપવાથી પોતાનું શરીર કૂબડું થઈ ગયેલું જોઈને ખેદપૂર્વક નળ વિલાપ કરવા લાગ્યો, ત્યારે તે સર્વે તેને કહ્યું કે-“હે પુત્ર! હું તારો પિતા છું. મેં માયાવડે તને તારા લાભ માટે છેતર્યો છે. હું બ્રહ્મદેવલોકથી તારા પરના સ્નેહ વડે આવ્યો છું. હે પુત્ર! તું હજુ ભરતાર્થનું રાજ્ય ભોગવનાર છે; તેથી આ શ્રીફળ અને કરંડીઓ તું ગ્રહણ કર. શ્રીફળમાંથી વસ્ત્ર કાઢીને પહેરીશ અને કરંડીઆમાં રહેલા અલંકારો ઘારણ કરીશ, એટલે તું તારું મૂળ સ્વરૂપ પામીશ.” ઇત્યાદિ કહીને તેમજ નળની પ્રાર્થનાથી તેને સુસુમારપુરી પાસે મૂકી દઈને દેવ અદ્રશ્ય થયો. નળરાજા સુસુમારપુરીએ આવ્યો તે વખતે ત્યાં પ્રજાનો સંહાર કરનાર મદોન્મત્ત હાથીનો ઉપદ્રવ થયો હતો. તે હાથીને કોઈ વશ કરી શકતું નહોતું. તેને પોતાની બુદ્ધિથી વશ કરી તેને સ્થાને બાંધીને નળ પુરજનોની સાથે દઘિપર્ણ રાજા પાસે આવ્યો. રાજાએ તે કૂબડાનો યથાયોગ્ય સત્કાર કરીને તેનો વંશ વગેરે પૂછ્યું. એટલે કૂબડાએ કહ્યું કે-“હું નળરાજાનો રસોઇયો છું, અને સૂર્યપાક રસવતી જાણું છું. નળરાજા ઘુતમાં સર્વસ્વ હારીને પોતાની સ્ત્રી સહિત ક્યાંક ચાલ્યા ગયા એટલે હું અહીં આવ્યો છું.” આ પ્રમાણે સાંભળીને દથિપર્ણ રાજાએ શોક સહિત નળ રાજાનું પ્રેતકાર્ય કર્યું, અને કૂબડાને પોતાની પાસે રાખ્યો. એક દિવસ ઉપવનની શોભા જોવા નીકળેલા કૂબડાને એક બ્રાહ્મણે આવીને સંગીતમાં આ પ્રમાણેના બે શ્લોક કહ્યા अनार्याणामलज्जानां, दुर्बुद्धीनां हतात्मनां । रेखां मन्ये नलस्येव, यः सुप्तामत्यजत्प्रियां ॥१॥ विश्वास्य वल्लभां स्निग्धां, सुप्तामेकाकिनी वने । त्यक्तुं कामोऽपि जातः किं, तत्रैव हि न भस्मसात् ॥२॥ “જે નળરાજાની જેમ સૂતેલી સ્ત્રીનો ત્યાગ કરે તે માણસને અનાર્ય પુરુષોમાં, નિર્લમાં, દુર્બુદ્ધિમાં અને આત્મઘમાં પ્રથમ રેખા સમાન જાણવો. સ્નેહવાળી પ્રિયાને વિશ્વાસ પમાડી છેતરીને વનમાં એકલી સૂતી મૂકી તજી જવાની ઇચ્છાવાળો નળ તે જ વખતે ભસ્મીભૂત કેમ થયો નહીં?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy