SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ વ્યાખ્યાન ૨૩૭] ઉપદેશ માટે અયોગ્ય જીવો આ પ્રમાણેનો સંદેશો સાંભળીને દુર્યોધન બોલ્યો કે– सूच्यग्रेण सुतीक्ष्णेन, या सा भिद्येत मेदिनी । तदर्धं तु न दास्यामि, विना युद्धेन केशव ॥१॥ ભાવાર્થ-“હે કૃષ્ણ! અતિ તીક્ષ્ણ સોયના અગ્રભાગથી જેટલી પૃથ્વી ભેદાય તેથી અર્થી પૃથ્વી પણ હું યુદ્ધ કર્યા વિના આપીશ નહીં.” કૃષ્ણ ફરીથી કહ્યું કે-“હે દુર્યોધન! યુદ્ધ કરવાથી કુળનો ક્ષય થાય છે, તેમ છતાં પણ જય થાય કે પરાજય થાય તે સંદેહ ભરેલું છે; અને પરભવમાં નરકે જવું પડે છે, માટે યુદ્ધની વાત છોડી દઈ આ ટૂંકી માગણી કબૂલ કર.” ઇત્યાદિ ઘણી રીતે બોઘ કરવા છતાં પણ દુર્યોઘન સમજ્યો નહીં, અને ઊલટો કૃષ્ણને પણ બાંધી લેવા વિચાર કર્યો. આવી જ રીતે ઘર્મની બાબતમાં પણ દ્વેષી માણસને ઉપદેશ કરતાં ઊલટો તે અનર્થ કરવા તત્પર થાય છે. આ વિષયમાં ભદ્રબાહુ સ્વામી પ્રત્યે વરાહમિહિર, જમાલિ, વ્યોઢિક, સહસ્ત્રમલ્લર અને મખલીપુત્ર વગેરેનાં દ્રષ્ટાંતો જાણવાં. (૩) હવે ત્રીજો મૂઢ માણસ ઉપદેશને અયોગ્ય છે તે કહે છે___ अज्ञानोपहतचित्तः, कार्याकार्याविचारकः । मूढः स एव विज्ञेयो, वस्तुतत्त्वमवेत्तृकः॥१॥ ભાવાર્થ-“જેનું ચિત્ત અજ્ઞાનથી હણાયેલું છે અને જે કાર્ય તથા અકાર્યનો વિચાર કરી શકતો નથી તેને જ મૂઢ જાણવો; કેમ કે તે વસ્તુતત્ત્વને જાણતો નથી.” આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે કોઈ એક ગામમાં એક વિઘવા સ્ત્રી દુઃખથી દિવસો નિર્ગમન કરતી હતી. તેને એક પુત્ર હતો. તે યુવાવસ્થાને પામ્યો, ત્યારે તેણે તેની માને પૂછ્યું કે-“હે મા! મારા પિતાને શી આજીવિકા હતી?” તે બોલી કે “હે પુત્ર! તારા પિતાને રાજાની નોકરી હતી.” પુત્ર બોલ્યો કે-“હું પણ રાજસેવા કરું.” માતાએ કહ્યું કે “હે પુત્ર! રાજસેવા અતિ દુષ્કર છે અને તે અતિ વિનયપૂર્વક કરાય છે.” પુત્રે પૂછ્યું કે–“વિનય કેવી રીતે કરાય?” માતાએ કહ્યું કે–“જે કોઈને દેખીએ તેને જુહાર કરવો, અને નમ્ર વૃત્તિથી વર્તવું.” તે સાંભળીને હું તેવી રીતે કરીશ” એમ અંગીકાર કરીને તે રાજસેવા કરવા માટે ચાલ્યો. રસ્તામાં હરણો જતા હતા, તેમને મારવા માટે વૃક્ષના મૂળમાં સંતાઈને અને ઘનુષ્ય પર તીર ચડાવીને બેઠેલા પારઘીઓ તેણે જોયા. તેમને તેણે દૂરથી જ મોટો શબ્દ કરીને જુહાર કર્યો. તે શબ્દ સાંભળીને ત્રાસ પામેલા મૃગો નાસી ગયા. તેથી પારઘીઓએ તેને મારીને બાંધ્યો, એટલે તેણે કહ્યું કે-“મારી માએ મને શીખવ્યું છે કે–જેને દેખે તેને જુહાર કરવો.” તે સાંભળીને “આ ભોળો માણસ છે” એમ જાણી તેઓએ તેને છોડી દીધો, અને શિખામણ આપી કે-“આવી રીતે કોઈ સંતાઈને બેઠા હોય, ત્યારે ઘીરે ધીરે મૌન રાખીને તે તરફ જવું.” તે પ્રમાણે અંગીકાર કરીને તે આગળ ચાલ્યો. આગળ જતાં તેણે લૂગડાં ઘોતા ઘોબી જોયા. તેમનાં વસ્ત્રો હમેશાં કોઈ ચોરલોકો ચોરી જતા હતા, તેથી તે દિવસે તે ઘોબીઓ ચોરની શોઘ કરવા માટે હાથમાં લાકડીઓ રાખીને ગુપ્ત રીતે બેઠા હતા. તેમને સંતાયેલા જોઈને તે બોલ્યા વિના ૧ ભગવંતનો જમાઈ–પહેલો નિહ્નવ. ૨ દિગંબર મતસ્થાપક. ૩ ગોશાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy