SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ ભાવાર્થ-જે પુરુષને જે વસ્તુમાં રાગ ઉત્પન્ન થયો હોય છે તે માણસ તેના દોષને પણ ગુણરૂપે જ દેખે છે. આ વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે મગઘ દેશમાં એક શહેરની અંદર નંદન નામનો એક કોટવાલ હતો. તેને આદ્યશ્રી અને દ્વિતીયશ્રી નામે બે સ્ત્રીઓ હતી. તેમાં દ્વિતીયશ્રી ઉપર તે આસક્ત હતો, તેથી તે તેને જ ઘેર રહેતો. એક દિવસ તે પરદેશ જઈને આવ્યો અને આદ્યશ્રીને ઘેર ગયો. આદ્યશ્રીએ ઘણા હર્ષથી શાક, પકવાન્ન વગેરે ઉત્તમ ભોજન બનાવી તેને જમવા બેસાડ્યો, પણ તે ઉત્તમ ભોજન તેને સ્વાદિષ્ટ લાગ્યું નહીં, તેથી તે મનમાં બોલ્યો કે–“આમાં શું ખાવું?” પછી તેણે આદ્યશ્રીને કહ્યું કે– દ્વિતીયશ્રીને ઘેરથી તેણે કાંઈ રાંધ્યું હોય તેમાંથી શાક, પાપડ વગેરે લઈ આવ.” તેથી આદ્યશ્રીએ શોક્યની પાસે જઈને પતિ માટે શાક માગ્યું. તેણે કહ્યું કે “આજે કાંઈ રાંધ્યું જ નથી તો શાક ક્યાંથી હોય?” આદ્યશ્રીએ આવીને તે વાત નંદનને કહી. તેણે ફરીથી કહ્યું કે-“ખાતાં કાંઈ વધ્યું હોય તે માગી લાવ.” તેણે ફરીથી જઈને માગ્યું ત્યારે દ્વિતીયશ્રીએ કહ્યું કે-“વઘેલું હતું તે ચાકરને આપી દીધું, માટે કાંઈ પણ નથી.” તે વાત પણ આદ્યશ્રીએ પોતાના સ્વામીને કહી. ત્યારે તે નંદને ફરીથી કહ્યું કે“તેના ઘેરથી કાંઈ કાંજી જેવું ગમે તે પણ લાવ.” તે સાંભળીને આદ્યશ્રીને ક્રોધ ચડ્યો. તેથી તેણે બહાર જઈ તરતનું કરેલું વાછડાનું છાણ લઈ તેમાં ચણાનો લોટ, પાણી, મસાલો વગેરે નાંખી તેને કાંઈક ઊભું કરીને લાવી, અને કહ્યું કે-“આ તેને ઘેરથી લાવી છું.” તે ખાતો ખાતો કોટવાલ બોલ્યો કે-“અહો! આ ઘણું સ્વાદિષ્ટ છે. કેવો તે સ્ત્રીનો ગુણ છે?” વગેરે તેની પ્રશંસા કરી. આ કોટવાલ નવી સ્ત્રીનો રાગી હતો, તેથી તે ગુણદોષના વિવેકથી રહિત હતો. આવી જ રીતે જે કોઈ અસત્ય ઘર્મમાં રાગી હોય તે ગુણદોષના વિવેકથી અજ્ઞાત હોય છે. તેથી તે ઘર્મ પામતો નથી. કહ્યું છે કે मिथ्यात्वपंकमलिनो, आत्मा विपरीतदर्शनो भवति । श्रद्धत्ते न च धर्म, मधुरमपि रसं यथा ज्वरितः॥१॥ ભાવાર્થ-બમિથ્યાત્વરૂપી પંકથી મલિન એવો આત્મા વિપરીત શ્રદ્ધાવાળો હોય છે, તેથી જેમ જવરવાળા માણસને મઘુર રસ રુચતો નથી, તેમ તેને સદ્ધર્મ ઉપર રુચિ થતી નથી.” (૨) હવે જે અત્યંત દ્વેષી હોય તે પણ ઘર્મ પામતો નથી. તે વિષે કહે છે– यो यस्मिन् द्वेषमापन्नः, क्रोधमानातिरेकवान् । स लुप्यते गुणांस्तस्य, दोषान् प्रादुष्करोत्यथ ॥४॥ ભાવાર્થ-“જે માણસ ક્રોઘ અથવા માનના અથિકપણાથી જેના ઉપર દ્વેષ પામ્યો હોય, તે તેના ગુણનો નાશ કરીને દોષને જ પ્રગટ કરે છે.” તે ઉપર દ્રષ્ટાંત નીચે પ્રમાણે– પાંડવોના વનવાસના તેર વર્ષ સંપૂર્ણ થયા પછી તેમને કૌરવો સાથે પરિણામે દુઃખદાયી એવો ક્લેશ થવાનો સંભવ જાણીને શ્રીકૃષ્ણ દુર્યોઘન પાસે જઈને પાંડવોને સંદેશો કહ્યો કે इन्द्रप्रस्थं यवप्रस्थं, माकंदीं वरुणावतम् । देहि मे चतुरो ग्रामान्, पंचमं हस्तिनापुरम् ॥१॥ ભાવાર્થ-“ઇંદ્રપ્રસ્થ, યવપ્રસ્થ, માકંદી, વરુણાવત અને પાંચમું હસ્તિનાપુર એ પાંચ ગામો મને આપ; અને બાકીનું તમામ રાજ્ય તું ભોગવ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy