SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સંભ ૧૨ શ્રી સંભવનાથ પ્રભુનું દ્રષ્ટાંત-શ્રી સંભવનાથ પ્રભુએ પોતાના પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડના એરવત ક્ષેત્રમાં ક્ષમાપુરી નગરીને વિષે વિમલવાહન નામે રાજા થઈ, મોટો દુકાળ પડતાં, સાઘર્મી જનોને ભોજન આપવા વડે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. પછી તે દીક્ષા લઈ આનત દેવલોકે દેવતા થઈ સંભવ નામે તીર્થંકર થયા હતા. તેઓ ફાલ્ગન માસની શુક્લ અષ્ટમીએ અવતર્યા, તે વખતે મોટો દુષ્કાલ હતો, પણ તેમના જન્મથી તે જ દિવસે સર્વ તરફથી ઘાન્ય આવી પહોંચ્યું અને નવા ઘાન્યનો સંભવ થયો તેથી તેમનું નામ સંભવ એવું પાડ્યું. ઇત્યાદિ દ્રષ્ટાંતોથી સાઘર્મીવાત્સલ્યનું પુણ્ય વચનથી કહી શકાય તેવું નથી, તેથી જે ગૃહસ્થો પ્રતિદિવસ તે આચરીને પછી ભોજન કરે છે તેઓને ઘન્ય છે. તે વિષે ભરતચક્રીના વંશમાં થયેલા ત્રણ ખંડના અધિપતિ દંડવીર્યની કથા છે. તે આ પ્રમાણે - શ્રી દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત-રાજા દંડવીર્ય હમેશાં પ્રથમ સાઘર્મિકને ભોજન કરાવીને પછી જમતો હતો. એક વખતે તેની પરીક્ષા કરવા માટે ઇંદ્ર પૂર્વે વર્ણવ્યા છે તેવા કોટીગમે શ્રાવકો તીર્થયાત્રા કરીને આવતા વિદુર્વેને દંડવીર્યને બતાવ્યા. રાજાએ ભક્તિપૂર્વક તેમને નિમંત્રણ કરીને જમાડવા માંડ્યા. ભોજન કરાવતાં કરાવતાં સૂર્ય અસ્ત થઈ ગયો. બીજે દિવસે પણ એમ થયું. એમ કરતાં રાજા દંડવીર્યને આઠ ઉપવાસ થયા; તથાપિ તેનો ભક્તિભાવ ઓછો થયો નહીં પણ ઊલટો વૃદ્ધિ પામ્યો. રાજાની એવી શુદ્ધ વૃત્તિ જોઈ ઇંદ્ર સંતુષ્ટ થયા; તેથી તેણે તેમને દિવ્ય ઘનુષ્ય, બાણ, રથ, હાર અને બે કુંડલ આપ્યાં. તે સાથે શત્રુંજયની યાત્રા કરવા અને તીર્થનો ઉદ્ધાર કરવા આજ્ઞા આપી. રાજા દંડવીર્ય પણ તેમ કર્યું. આ વિષે વિશેષ જાણવું હોય તો શત્રુંજયમાહાભ્યમાંથી જાણી લેવું. આ વિષય ઉપર શુભંકર શ્રેષ્ઠીની બીજી કથા પણ સંભળાય છે તે આ પ્રમાણે શુભંકર શ્રેષ્ઠીની કથા–શુભંકર શ્રેષ્ઠી પોતાના જન્મમાં એક લાખ જ્ઞાતિબંધુઓને ભોજન, એક લાખ કન્યાદાન, એક લાખ ગોદાન અને એક લાખ બ્રાહ્મણોને ભોજન એમ ચાર લાખ પૂરાં કરી મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને પોતાના ઘરની ભૂમિમાં જ્યાં દ્રવ્ય દાટેલું હતું ત્યાં સર્પ થયો. પછી દરરોજ પોતાના પુત્રાદિકને તે બીવરાવવા લાગ્યો. તેના ઘરની પડખે ઘર્મદાસ નામે એક શ્રાવક હતો. તે શુભંકર શ્રેષ્ઠી જેવો ઘનવાન નહોતો. તેથી વર્ષમાં એક વાર એક મુનિ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાને ભાવપૂર્વક દાન આપતો હતો. તે પુણ્યથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એક દિવસે શુભંકર શ્રેષ્ઠીના પુત્રોએ પોતાને સર્પ બીવરાવે છે એ વાત ઘર્મદાસને જણાવી. તેથી ઘર્મદાસે તે પુત્રોને કહ્યું–‘એ સર્પ તમારો પિતા છે. તેણે પૂર્વભવે લક્ષ જ્ઞાતિભોજન વગેરે કરી ષકાયનો આરંભ કરેલો છે. જ્ઞાતિભોજન કરાવતાં અનેક પત્રાવળીઓના ઢગલા ઉકરડા ઉપર થયા, તેમાં દ્વીંદ્રિય વગેરે અનેક જીવોની વિરાઘના થયેલી છે. એ પ્રમાણે ચારે લાખનું દાન કરતાં તેણે મહાપાપ ઉપાર્જન કરેલું છે તે તમે સ્વયમેવ સમજી લેજો. તે પાપથી આ ભવમાં તે સર્પ થયેલ છે; તેમ જ વળી તેણે મારાં ઘર્મકૃત્યોની નિંદા કરી છે તેથી એ દુર્લભબોથી જીવ છે. અહીંથી મૃત્યુ પામીને તે નરકે જશે.' આવાં ઘર્મદાસનાં વચન સાંભળી શુભંકર શ્રેષ્ઠીના પુત્રો પ્રતિબોઘ પામ્યા અને શ્રાવક થયા. ઘર્મદાસ તે જ ભવે મુક્તિને પામ્યા. પોતાના ત્રીજા ભવમાં શ્રી સંભવનાથનો જીવ, શ્રી દંડવીર્ય રાજા અને ઘર્મદાસ સાઘર્મી બંઘુઓની સેવાથી પરમ સુખના સ્થાનને પ્રાપ્ત થયા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy