SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૦] સાઘર્મીની સેવાનું ફળ અન્નદાન આપીને પછી ભોજન લેતા હતા. તેમણે ઘણી દાનશાળાઓ સ્થાપી હતી. કહ્યું છે કે “રાજા કુમારપાળ ઘી, ભાત, મગ, માંડા, શાક, વડાં, વડી અને તીખા વઘારીયા પદાર્થો વગેરે શ્રાવકોને સત્કારપૂર્વક જમાડતા હતા, દુઃખી શ્રાવકોના કુટુંબને શ્રેષ્ઠ વસ્ત્રો આપતા હતા અને જૈનઘર્મને વિષે રહીને તેમણે અનેક દાનશાળાઓ સ્થાપી હતી.” “આવી રીતે શ્રાવકના બારમા વ્રતમાં ઊંચે પ્રકારે સાઘર્મિક ભક્તિને વિસ્તારતા એવા કુમારપાળ રાજાએ સંપ્રતિ રાજા અને ભરતાદિક રાજાઓનું સ્મરણ કરાવ્યું હતું.” વ્યાખ્યાન ૧૭૦ સાધર્મીની સેવાનું ફળ साधर्मिवत्सले पुण्यं, यद्भवेत्तद्वचोऽतिगम् । धन्यास्ते गृहिणोऽवश्यं, तत्कृत्वानंति प्रत्यहं ॥१॥ ભાવાર્થ-“સાઘર્મીવાત્સલ્ય કરવામાં જે પુણ્ય થાય છે તે વચનથી કહી શકાય તેવું નથી. જે ગૃહસ્થો હમેશાં સાઘર્મીવાત્સલ્ય કરીને જમે છે તેઓને ઘન્ય છે.” વિશેષાર્થ-સાઘર્મીવાત્સલ્ય એટલે પોતાના પુત્રાદિકના જન્મોત્સવમાં અથવા વિવાહ પ્રમુખ બીજા પ્રસંગોમાં સાઘર્મીઓને નિમંત્રણ કરી વિશિષ્ટ ભોજન આપી તાંબૂલનું દાન આપવું અને કોઈ સાથ આપત્તિમાં મગ્ન થયેલ હોય તો તેનો પોતાના ઘનનો વ્યય કરી ઉદ્ધાર કરવો. કહ્યું છે કે न कयं दीणुद्धरणं, न कयं साहम्मियाणवच्छलं ।। हिययंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥१॥ જેણે દીનજનોનો ઉદ્ધાર કર્યો નહીં, સાઘર્મીવાત્સલ્ય કર્યું નહીં અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ઘાર્યા નહીં તે પોતાનો જન્મ હારી ગયો.” વળી ઘર્મમાં સિદાતા લોકોને તે તે પ્રકારે સ્થિરતા કરાવવી. જેઓ ઘર્મમાં પ્રમાદી થયા હોય તેમને ઘર્મ સંભારી આપવો. જેઓ અકાર્યમાં પ્રવર્તતા હોય તેઓને તેમાંથી વારવા અને શુભકાર્યમાં પ્રવર્તવાની પ્રેરણા વારંવાર કરવી. કહ્યું છે કે–“પ્રમાદીને ઘર્મકાર્ય સંભારી આપવું તે સારણા, અનાચારમાં પ્રવર્તતાને વારવા તે વારણા, ઘર્મથી ભ્રષ્ટ થયેલાને તેના અકાર્યનું માઠું ફળ સમજાવવું તે ચોયણા અને નિષ્ફર થઈ ગયેલાને ધિક્કાર આપવો તે પડિચોયણા સમજવી.” તેમજ પાંચ પ્રકારના સ્વાધ્યાય વગેરેમાં પણ જેનો જેમ ઘટે તેમ વિનિયોગ કરવો. ઘર્માનુષ્ઠાન વિશેષે થઈ શકવા માટે સાઘારણ પૌષધશાલા વગેરે સ્થાન કરાવવા તથા શ્રાવકોની જેમ પુણ્યવાન ગૃહસ્થ શ્રાવિકાઓનું પણ વાત્સલ્ય કરવું. જે શ્રાવકોનો વૈભવ અંતરાયકર્મના દોષથી ક્ષય પામ્યો હોય તેવા શ્રાવકોને પુનઃ ઘનાટ્ય કરવા. સાંભળીએ છીએ કે થરાદના નિવાસી શ્રીમાળી આભૂ નામના સંઘપતિએ ત્રણસો ને સાઠ સાધર્મીઓને પોતાના જેવા ઘનાટ્ય કર્યા હતા. સાહિત્યમાં કહ્યું છે કે “તે હેમગિરિ અથવા રજતાદ્રિ શા કામના કે જેણે પોતાનાં આશ્રિત વૃક્ષોને પોતારૂપ કર્યા નહીં? અમે તો એક મલયાચળને જ માન આપીએ છીએ કે જેનાં આશ્રિત એવાં આમ્ર, નિંબ અને બીજાં કટુવૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે.” સાઘર્મી વાત્સલ્યથી તીર્થકર નામકર્મ બંઘાય છે, તે વિષે શ્રી સંભવનાથ પ્રભુનું દ્રષ્ટાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy