SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ બાધિત થાય છે, અર્થાત્ રાજાનો અવગ્રહ લેવાથી ઇંદ્રના અવગ્રહનું પ્રયોજન થોડું રહે છે.” આવાં વચન સાંભળી ઇંદ્ર બોલ્યા- “જે આ મુનિઓ મારા અવગ્રહમાં વિચરે છે તેમને મેં અવગ્રહની આજ્ઞા આપેલી છે.” પછી ભરતે ચિંતવ્યું કે “હું પણ મુનિઓને અવગ્રહની અનુજ્ઞા આપું, એટલાથી જ મારી કૃતાર્થતા થાઓ.” એમ વિચારી ભરતે પોતાના અવગ્રહની અનુજ્ઞા આપી. પછી લાવેલાં પકવાનો વિષે ભરતે ઇંદ્રને પૂછ્યું. એટલે ઇંદ્રે કહ્યું- હે ભરત! તમે જે આ પાંચસો ગાડાં ભાત પાણી લાવ્યા છો તે વડે તમારાથી અધિક ગુણવાળા શ્રાવકોની પૂજા (ભક્તિ) કરો.” એટલે ભારતે શ્રાવકોને બોલાવીને કહ્યું-“તમારે હમેશાં મારે ઘેર ભોજન કરવું, કૃષિ વગેરે કાંઈ કરવું નહીં અને મારા ઘર પાસે આવીને મને કહેવું કે जितो भवान् वर्द्धते भीः, तस्मान्मा हन मा हन. “તું જિતાયો છે, ભય વધે છે; માટે હણીશ નહીં, હરીશ નહીં.” ” ભરતના કહેવા પ્રમાણે તે શ્રાવકો કરવા લાગ્યા. અહીં ભરત સુખમાં મગ્ન થયો હતો, પરંતુ હમેશાં તે શ્રાવકોનાં પૂર્વોક્ત વચન સાંભળ્યા પછી વિચારતો કે “હું કોનાથી જિતાયો છું?” અજ્ઞાન અને કષાયોથી જિતાયો છું. વળી “ભય વધે છે એટલે તેઓનાથી જ ભય વધે છે તેથી આત્માને હણવો નહીં, આવું ચિંતવી ભાવ વડે નિઃસ્પૃહ એવા દેવગુરુની તે સ્તુતિ કરતો હતો. આ પ્રમાણે નિરંતર ચાલવાથી ભોજન કરનારા લોકોની સંખ્યા વધી જવાથી રસોઈયા રાંઘવામાં કાયર થઈ ગયા. એટલે તેઓએ ભરત રાજા પાસે આવીને કહ્યું-“આ જમનારાઓમાં કોણ શ્રાવક છે અને કોણ શ્રાવક નથી તે જાણવામાં આવતું નથી.” તે સાંભળી ભરતે કહ્યું– તેમને શ્રાવકનાં બાર વ્રત પૂછીને પછી ભોજન આપવું. પછી તેમને ઓળખવાને માટે રાજાએ કાકિણી રત્ન વડે ત્રણ ત્રણ લીટા તેમના શરીર પર કર્યા અને તેવા ચિતવાળા, તથા બાર વ્રતરૂપ બાર તિલક કરનારા અને ભરતે કરેલા ચાર વેદને જાણનારા જે હોય તેને શ્રાવક જાણવા એમ બધે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પાછા છ માસ થયા એટલે જે બીજા નવા શ્રાવકો થયા તેને પણ તેવી જ રીતે કાકિણી રત્ન વડે લાંછન કરવા લાગ્યા. ભરતચક્રી પછી તેમના પુત્ર આદિત્યયશાએ શ્રાવકોને ઓળખવાને માટે સુવર્ણની યજ્ઞોપવીત પહેરાવી. તે પછી મહાયશા વગેરે જે રાજાઓ થયા તેમણે પ્રથમ રૂપાની યજ્ઞોપવીત કરાવી અને પછી કેટલાક વિચિત્ર પસૂત્ર વગેરેની યજ્ઞોપવીત કરાવી. ત્યારથી યજ્ઞોપવીતની પ્રસિદ્ધિ થઈ, તે અદ્યાપિ ચાલે છે. ઇત્યાદિ સર્વ સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાની આગળ જણાવીને કહ્યું- હે રાજા! તમારે બારમા વ્રતમાં સાઘર્મીવાત્સલ્ય કરવું યોગ્ય છે. પછી કુમારપાળે જ્યાં સુધી પોતાની આજ્ઞા ચાલતી હતી ત્યાં સુધી રહેનારા શ્રાવકોના ઉપરથી તમામ કર માફ કર્યો, જે કર વડે પ્રતિવર્ષ બોંતેર લાખ દ્રવ્ય ઉપાર્જન થતું હતું. વળી તેણે સાઘર્મી બંધુઓના ઉદ્ધાર માટે ચૌદ કોટી દ્રવ્યનો વ્યય કર્યો. પારણાને દિવસે પોતે કરાવેલા શ્રી ત્રિભુવનપાળવિહાર નામના પ્રાસાદમાં સ્નાત્રમહોત્સવના અવસરે જે સાઘર્મીઓ એકઠા થતા તેઓની સાથે કુમારપાળ ભોજન કરતા હતા. ભોજન વખતે હમેશાં દીન, દુઃખી, અજ્ઞાત અને ક્ષુદાન્તોને અનુકંપાદાન દેવા માટે પડહ વગડાવતા અને તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy