SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૮] ભોજન વખતે મુનિને સંભારવા ૮૫ પછી રત્નકંબલ ને વધેલું ગોશીષચંદન એ બે વસ્તુઓ વેચી તેથી ઉત્પન્ન થયેલા દ્રવ્ય વડે અતિ ઉન્નત જિનપ્રાસાદ કરાવ્યો. આયુક્ષયે કાળ કરીને તે પાંચે જણા બારમા દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી જીવાનંદ વૈદ્યનો જીવ ચક્રવર્તી થયો અને બીજા ચાર બાહુ, સુબાહુ, પીઠ ને મહાપીઠ નામે ચક્રીના અનુજ બંધુઓ થયા. પછી તે સર્વે સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. ત્યાંથી આવી ઘનાવહનો જીવ ઋષભપ્રભુ થયા, બાહુનો જીવ ભરત થયો, સુબાહુનો જીવ બાહુબલ થયો અને પીઠ તથા મહાપીઠના જીવ બ્રાહ્મી અને સુંદરી થયા. પૂર્વભવમાં દંભયુક્ત તપસ્યા કરવાથી તેઓ સ્ત્રીપણાને પામ્યા. આ દૃષ્ટાંતનું વિશેષ વર્ણન જાણવું હોય તો પ્રાચીન આચાર્યના રચેલા અઢાર હજાર શ્લોકના પ્રમાણવાળા દર્શનરત્નાકર નામના ગ્રંથમાંથી જાણી લેવું. એવી રીતે વિધિ સહિત એક વાર દાન આપવાથી ઘનાવહ સાર્થવાહ તેરમે ભવે ઉજ્વળ તીર્થંકરપદને પામ્યા.” વ્યાખ્યાન ૧૬૯ દાનવિધિ હવે જૈન રાજાઓનો દાનવિધિ કહે છે राजपिंड न गृहंति, आद्यांतिमजिनर्षयः । भूपास्तदा वितन्वंति, श्राद्धादिभक्तिमन्वहं ॥१॥ ભાવાર્થ-“પહેલા અને છેલ્લા તીર્થંકરના મુનિઓ રાજપિંડ ગ્રહણ કરતા નથી, તેથી તે વખતના જૈન રાજાઓ હમેશાં શ્રાવક વગેરેની ભક્તિ કરે છે.” આ હકીકતને શ્રી કુમારપાળ રાજાની કથા વડે દ્રઢ કરે છે. કુમારપાળ નૃપ કથા એક વખતે શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાની પાસે “મુનિઓને રાજપિંડ કલ્પતો નથી' તે વિષે વર્ણન કર્યું. તે સાંભળી રાજાએ આચાર્યને પૂછ્યું-“ભગવન્! જો મારા ઘરનું અન્ન જૈનમુનિ સ્વીકારે નહીં તો પછી મારા બાર વ્રત પૂરા શી રીતે થાય? અને હું ઉત્તમ શ્રાવક કેમ થઈ શકું? માટે આપ ગુરુમહારાજા મારા ઘરનો આહાર સ્વીકારો.” આચાર્ય બોલ્યા હે સોલંકી નરેશ! પહેલા અને છેલ્લા તીર્થંકરના મુનિઓને રાજપિંડ કલ્પતો નથી; પણ હે રાજા! તમારે શ્રાવક વગેરેનું પોષણ કરવું. પૂર્વે પણ શ્રી નાભિરાજાના પુત્ર ઋષભદેવ જ્યારે અષ્ટાપદ ગિરિ ઉપર સમવસર્યા, ત્યારે ભારતે પાંચસો ગાડાં વિવિઘ જાતનાં પકવાનોના ભરી પ્રભુને આમંત્રણ કર્યું હતું. પ્રભુએ તેનો નિષેઘ કર્યો, એટલે ભરતને બહુ ખેદ થયો. તે અવસરે ઇંદ્ર પ્રભુને પૂછ્યું– ભગવન્! અવગ્રહ કેટલા પ્રકારનો છે?” પ્રભુ બોલ્યા-ઇંદ્ર! અવગ્રહના પાંચ પ્રકાર છે–દેવેંદ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગૃહપત્યવગ્રહ, સાગરિકાવગ્રહ અને સાઘર્મિકાવગ્રહ. અહીં રાજાવગ્રહમાં ભરતચક્રીને ગ્રહણ કરવા, ગૃહપત્યવગ્રહમાં મંડલિક રાજા લેવા, સાગારિકાવગ્રહમાં જેની વસ્તી વાપરીએ તે શય્યાતર લેવો અને સાઘર્મિકાવગ્રહમાં સાઘર્મિક એટલે સંયમી લેવો. એ પાંચ અવગ્રહોમાં ઉત્તરોત્તર અવગ્રહથી પૂર્વપૂર્વનો બાઘ સમજવો. જેમ રાજાવગ્રહ વડે ઇંદ્રાવગ્રહ ૧. અર્થાત્ મુનિઓએ રાજાને ત્યાંથી આહાર લેવો નહીં. ૨. પ્રતિબંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy