SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૨. વ્યાખ્યાન ૧૬૮ ભોજન વખતે મુનિને સંભારવા भोजनसमयेऽवश्यं, संस्मार्या मुनिसत्तमाः । ततो भोजनमश्नीयाद्, धनावहाख्यश्रेष्ठिवत् ॥१॥ ભાવાર્થ-“ભોજન વખતે ઉત્તમ મુનિઓને અવશ્ય સંભારવા અને તે પછી ઘનાવહ શ્રેષ્ઠીની જેમ ભોજન લેવું.” ધનાવહ શ્રેષ્ઠીની કથા - એક વખત પ્રથમ તીર્થંકરના જીવ ઘનાવહ સાર્થવાદે ઘણા સાર્થની સાથે ગ્રીષ્મ ઋતુમાં પ્રયાણ કર્યું. માર્ગમાં મોટી મેઘવૃષ્ટિ થવાથી બઘી પૃથ્વી કાદવથી આકુળ થઈ ગઈ; તેથી માર્ગમાં કોઈ જગ્યાએ પડાવ કરીને સાર્થવાહ રહ્યો. તેની સાથે ઘર્મઘોષસૂરિ આવેલા હતા. તેઓ પણ ત્યાં યોગ્ય સ્થળે રહ્યા. સાર્થના લોકો ખોરાકી ખૂટી જવાથી વનમાંથી મૂળ, ફળ લાવી ખાઈને તાપસની જેમ રહેવા લાગ્યા. એક વખતે ઘનાવહ શ્રેષ્ઠી સર્વને સંભારી ભોજન કરવા બેઠા. તેવામાં તેને સૂરિનું સ્મરણ થઈ આવ્યું. ઘનાવહે ચિંતવ્યું કે “અહો! મને ધિક્કાર છે. આજે પંદર દિવસ થયાં મેં સૂરિજીને બિલકુલ સંભાર્યા નથી. એ મુનીશ્વર અમાસુક, અપક્વ અને તેમને ઉદ્દેશીને કરેલું વહોરતા નથી; તેથી એમનો નિર્વાહ કેવી રીતે ચાલતો હશે?” આમ વિચારી તત્કાળ સૂરિ પાસે જઈ વંદના કરીને કહ્યું–“સ્વામી! આજે પ્રસન્ન થઈને મારી સાથે મુનિઓને વહોરવા મોકલો.' સૂરિએ ઘનાવણની સાથે બે મુનિને મોકલ્યા. શ્રેષ્ઠીએ તેમને નિર્દોષ એવું પુષ્કળ ઘી ઘણા હર્ષથી વહોરાવ્યું. સર્વ મુનિઓએ તે વડે માસક્ષપણનું પારણું કર્યું. તે પુણ્યથી ઘનાવહ શ્રેષ્ઠીએ તેરમે ભવે તીર્થંકર પદનો નિર્ધાર કર્યો. “વૈદ્ય લોકો ઘીને આયુષ્ય કહે છે તે ખોટું નથી, કેમ કે તેના દાનથી ધનાવહ સાર્થવાહે પોતાનું આયુષ્ય શાશ્વત કર્યું.” ત્યાંથી ઘનાવહ યુગલિયામાં ઉત્પન્ન થઈ સૌઘર્મ દેવલોકે દેવતા થયો. ત્યાંથી આવી મહાબલ નામે વિદ્યાઘરેંદ્ર થયો. ત્યાંથી લલિતાંગ દેવ થયો. ત્યાંથી ચવી વજજંઘ રાજા થયો. પાછો ફરી વાર યુગલિક થયો. ત્યાંથી પહેલે દેવલોકે ગયો. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં જીવાનંદ નામે વૈદ્ય થયો. તેને ચાર મિત્રો હતા. એકદા તેઓ વૈદ્યને ઘેર બેઠા હતા, તેવામાં કોઈ સાધુને કુષ્ઠરોગી જોઈ તેઓએ વૈદ્યને કહ્યું–“આ મુનિની ચિકિત્સા કરો.” વૈદ્ય કહ્યું–મારી પાસે લક્ષપાક તેલ છે, બાકી રત્નકંબલ અને ગોશીષચંદન તમે લાવી આપો તો હું ચિકિત્સા કરું.” પછી તે પાંચે મળીને કોઈ વણિકની દુકાને ગયા અને તે વસ્તુઓ તેની પાસે માગી. તે વણિકે તે મૂલ્ય વિના આપી. તે પુણ્યથી તે વણિક તે જ ભવે સિદ્ધિપદને પામ્યો. અહીં પાંચે મિત્રો મળીને મુનિ પાસે ગયા. પ્રથમ લક્ષપાક તેલ વડે મુનિના અંગને મર્દન કર્યું. પછી રત્નકંબલથી તેમને આચ્છાદિત કર્યા, એટલે શરીરમાંથી તમામ કૃમિઓ નીકળી તે રત્નકંબલમાં ભરાઈ ગયા. પછી ગોશીષચંદનનો લેપ કર્યો. એવી રીતે ત્રણ વાર કરવાથી બઘા કૃમિઓ નીકળી ગયા અને મુનિનો રોગ મૂળમાંથી નષ્ટ થયો. પેલા કીડાઓ તેમણે મૃતગાયના કલેવરમાં મૂક્યા. “દયાળુ પુરુષો તે કીડાઓને પણ નિરાશ કેમ કરે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy