SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૭] દાનની પ્રશંસા ૮૩ અર્ધ રાજ્ય સાથે પોતાની પુત્રી મનોરમા આપી અને કંદોઈને પણ કાંઈક દ્રવ્ય આપી તેનું સન્માન કર્યું. એકદા કૃતપુણ્યે અભયકુમારને બાર વર્ષ પહેલાં જે વાર્તા બની હતી, તે જણાવી કહ્યું કે ‘મંત્રીરાજ! આ નગરીમાં મારી ચાર પુત્રો સહિત ચાર પત્નીઓ રહે છે. તેમને હું દીઠે ઓળખું છું, પણ તેમના નિવાસગૃહને હું જાણતો નથી.' અભયકુમારે કહ્યું–‘તેમને હું શોધી આપીશ.' પછી મંત્રીએ પ્રવેશ કરવાના અને નીકળવાના બે જુદા જુદા દ્વારવાળો એક પ્રાસાદ કરાવ્યો. તેની મધ્યમાં કૃતપુણ્યના જેવી આકૃતિવાળી લેપની યક્ષપ્રતિમા સ્થાપિત કરી. પછી નગરમાં એવો પડહ વગડાવ્યો કે ‘“શહેરની પુત્રવાળી તમામ સ્ત્રીઓએ પોતાના પુત્રો સહિત આ યક્ષની પ્રતિમાને નમન કરવા આવવું.” તત્કાળ નગરની સ્ત્રીઓ પોતપોતાના પુત્રો લઈ યક્ષના દર્શન માટે આવવા લાગી અને એક દ્વારથી પ્રવેશ કરી બીજે દ્વારે નીકળવા લાગી. આ સમયે પેલી રૂપવતી વૃદ્ધા પણ પુત્ર સહિત ચાર વધૂઓને લઈ યક્ષપ્રતિમાને નમવા આવી. તેમને ઓળખી કૃતપુણ્યે અભયને કહ્યું, તેવામાં તો પેલા ચાર પુત્રો યક્ષની આકૃતિ જોઈ પોતાના પિતા છે એમ જાણી ‘હે તાત! હે તાત!’ એમ કહેવા લાગ્યા અને કોઈ તેના ઉદરને વળગી પડ્યો ને કોઈ તેની દાઢી મૂછ પકડવા લાગ્યો. તે સમયે અભયે કહ્યું ‘હે કૃતપુણ્ય! આ તારા પુત્રો અને આ તારી પત્નીઓ.’ પછી અભયકુમાર રૂપવતીને ઘેર ગયા અને તેનું સર્વસ્વ મૃતપુણ્યને આપ્યું. ત્યાર બાદ અનંગસેના વેશ્યાપુત્રીને પણ ત્યાં બોલાવી. એવી રીતે કૃતપુણ્યને સાત સ્ત્રીઓ થઈ. એક વખતે જગબંધુ શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. કૃતપુણ્ય જગદીશને વાંદવા ગયો. સર્વજ્ઞ પ્રભુની ધર્મદેશના સાંભળી પછી કૃતપુણ્યે અંજલિ જોડીને પ્રભુને પૂછ્યું–‘ભગવન્! મારે કયા કર્મના ઉદયથી સંપત્તિ અને વિપત્તિ વચ્ચે વચ્ચે પ્રાપ્ત થઈ?’ પ્રભુ બોલ્યા-‘કૃતપુણ્ય! તારો પૂર્વભવ સાંભળ ઃ— શ્રીપુર નગરમાં એક નિર્ધન ગોવાળનો પુત્ર રહેતો હતો. એક દિવસે ઘેરઘેર ખીરનાં ભોજન થતાં જોઈ તેણે પોતાની માતા પાસે તેની યાચના કરી. ગરીબ માતાના ઘરમાં ખીર બની શકે તેમ ન હોવાથી તે રુદન કરવા લાગી. તેને રડતી જોઈ પાડોશની દયાળુ સ્ત્રીઓએ દૂધ વગેરે ખીરની સામગ્રી તેને લાવી આપી. તે વડે ગરીબ માતાએ ખીર રાંઘી પુત્રને પીરસી અને પોતે કોઈ કાર્ય માટે બહાર ગઈ. તેવામાં માસખમણને પા૨ણે કોઈ બે મુનિ ત્યાં આવી ચડ્યા. તેમને જોઈ ઉલ્લાસથી તે ગોપાલપુત્રે ખીરનો એક ભાગ આપ્યો; તે થોડો જાણીને પછી બીજો ભાગ આપ્યો; વળી તેવી જ રીતે ત્રીજો ભાગ પણ આપ્યો. એ પ્રમાણે ત્રણ વાર ખીર આપી. કાળયોગે મૃત્યુ પામી તે વત્સપાલનો પુત્ર અહીં તું થયેલ છું. પૂર્વભવે તેં ત્રણ વાર રહી રહીને દાન આપ્યું, તેથી તને આ ભવમાં આંતરે આંતરે સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થયેલ છે.’’ આ પ્રમાણે પૂર્વભવ સાંભળી કૃતપુણ્યને જાતિસ્મરણજ્ઞાન થયું, એટલે તેણે પોતાનો પૂર્વભવ જોયો. તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી જ્યેષ્ઠ પુત્રને ગૃહનો ભાર આપી તેણે દીક્ષા લીધી અને તીવ્ર તપ તપી તે પાંચમા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈને છેવટે મોક્ષે જશે. “શ્રાવકે સ્વશક્તિ અનુસાર મુનિઓને વિલંબ વિના શીઘ્ર દાન આપવું; કારણ કે વત્સપાળનો જીવ કૃતપુણ્ય દાનના પ્રભાવે અપૂર્વ સંપત્તિ પામ્યો અને અનુક્રમે મોક્ષે જશે.'' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy