SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૨ કૃતપુણ્ય જાગી ઊઠ્યો, એટલે રૂપવતી તેના કંઠે વળગી રોવા લાગી અને બોલી–“વત્સ! તારી માતાને છોડી તું આટલા બધા દિવસ ક્યાં હતો? હમણા તારો જ્યેષ્ઠ બંધુ મૃત્યુ પામ્યો છે; તેથી હે પુત્ર! હવે તારે બીજે ક્યાંય જવું નહીં. તું સ્વેચ્છાથી તારા બંધુની સ્ત્રીઓ સાથે ભોગ ભોગવ.” કૃતપુણ્ય વિચારમાં પડ્યો કે “આ શું? પણ હવે જે ભાવી હોય તે થાઓ. અત્યારે તો આ સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું છે તે ભોગવું.” આવું ચિંતવી તે બોલ્યો-“માતા! હું બધું ભૂલી ગયો હતો. હમણા પુણ્યયોગે મને માતાનું દર્શન થયું છે તો તમારી આજ્ઞા હું માથે ચડાવું છું.” પછી તે ચારે સ્ત્રીઓની સાથે અનેક પ્રકારનાં સુખ ભોગવવા લાગ્યો. તેમ કરતાં ત્યાં બાર વર્ષ વીતી ગયાં. અનુક્રમે ચારે સ્ત્રીઓને પુત્ર થયા. અન્યદા પેલી વૃદ્ધ રૂપવતીએ પોતાની વહુઓને કહ્યું-“હવે તમારે સર્વને પુત્ર થયા છે; માટે જે સ્થાનેથી આ પુરુષને લાવ્યા છો ત્યાં તેને પાછો મૂકી દો. પરપુરુષનો વઘારે વિશ્વાસ કરવો યોગ્ય નથી.” સ્ત્રીઓને એ વાત અનિષ્ટ હતી, પણ સાસુના ભયથી તેમ કરવા કબૂલ કર્યું. પછી તે સ્ત્રીઓએ કૃતપુણ્યને એક માંચા ઉપર સુવાર્યો અને સ્નેહને લીધે એકેક બહુમૂલ્ય રત્ન નાખીને ચાર મોદક તેના વસ્ત્રને છેડે બાંધ્યા, અને તેને નિદ્રામાં જ પૂર્વના સ્થાને મૂકી આવી. દૈવયોગે પેલો સાર્થવાહ તે જ દિવસે ત્યાં આવીને ઊતર્યો. પતિને આવેલો જાણી તેની પૂર્વપ્રિયા ઘન્યા ત્યાં આવી. તેણે પૂર્વની જેમ પતિને સૂતેલો જોયો. થોડી વારે તે જાગ્રત થયો; એટલે પુત્ર સહિત પોતાની પત્નીને જોઈ તે ચિંતવવા લાગ્યો-“અહો! સ્વપ્નની જેવું આ શું? આ તો મોટું આશ્ચર્ય થયું છે. મને અહીં કોઈ દેવતાએ કે મનુષ્ય મૂકેલો જણાય છે. પછી પત્નીનાં વચનથી તે પોતાને ઘેર આવ્યો. પ્રિયાએ હસતાં હસતાં પૂછ્યું–પ્રાણેશ! વિદેશમાં જઈને શું કમાઈ આવ્યા?” કૃતપુણ્ય લક્ઝથી મૌન ઘરી રહ્યો. પછી પુત્રને પેલામાંથી એક મોદક આપ્યો. પુત્ર તે લઈને નિશાળે ગયો. ત્યાં મોદક ખાતાં તેમાંથી રત્ન નીકળ્યું. કોઈ કંદોઈએ તે જળકાંત રત્ન છે એમ જાણી થોડીક સુખડી આપી તેને ઠગીને લઈ લીધું અને પોતાને ઘેર લઈ ગયો. કૃતપુણ્ય પણ બાકીના મોદકમાંથી રત્ન નીકળતાં સુખી થયો. આ અરસામાં એક દિવસે શ્રેણિક રાજાનો સેચનક નામનો હાથી ગંગાનદીમાં જળ પીવા ગયેલ ત્યાં તેને કોઈ જળજંતુએ પકડ્યો. શ્રેણિક રાજાને સેવકે તે ખબર આપી; એટલે રાજાએ અભયકુમારને કહ્યું. બુદ્ધિમાન અભયકુમારે હાથીને છોડાવવા જળકાંત મણિની શોધ કોશાગારમાં કરાવી; પણ તેમાં તેવો મણિ મળ્યો નહીં. પછી નગરમાં પડતું વગડાવ્યો કે “જે કોઈ જળકાંત મણિ લાવશે તેને અર્થે રાજ્ય સહિત રાજપુત્રી આપવામાં આવશે.” તે વખતે પેલા કંદોઈએ પડહ ગ્રહણ કર્યો અને નળકાંતમણિ રાજાને આપ્યો. અભયકુમારે તે મણિ ગંગામાં હાથીની પાસે મૂક્યો; એટલે તેના સંયોગથી જળના બે વિભાગ થઈ ગયા. તેથી પેલો જળજંતુ હાથીને છોડી નાસી ગયો અને હસ્તી છૂટો થયો. શ્રેણિક રાજા સેચનક ઉપર ચડી રાજમહેલમાં આવ્યા. પછી એકાંતે અભયકુમારને કહ્યું કે “આ કંદોઈને રાજપુત્રી શી રીતે અપાય?” અભયકુમારે કહ્યું–જેનું આ રત્ન છે તે પુરુષને હું શોધી કાઢીશ.” પછી અભયકુમારે તે કંદોઈને બોલાવીને પૂછ્યું-“સત્ય કહે, આ રત્ન તને ક્યાંથી મળ્યું? જો સત્ય નહીં કહે તો તારી ઉપર કોરડાના પ્રહાર પડશે, જેથી તું મરણ પામીશ.” કંદોઈએ ભયથી સર્વ વાત ખરેખરી જણાવી દીઘી; એટલે શ્રેણિક રાજાએ કૃતપુણ્યને બોલાવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy