SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૭] દાનની પ્રશંસા ૮૧ દાસીને આપ્યું. દાસી તે આભૂષણ લઈ વેશ્યાને ઘેર આવી અને કૃતપુણ્યને તેના ઘરની સ્થિતિ જણાવી તે આભૂષણ આપ્યું. તેણે તે વેશ્યાને આપ્યું. આ ઉપરથી કુટ્ટિનીએ તેને નિર્ધન થયેલો જાણી તેનું અપમાન કરવા માંડ્યું. કુટ્ટિનીની આજ્ઞાથી તેના સેવકો પણ કૃતપુણ્યની સામે રજ ઉડાવવા લાગ્યા. તે જોઈ અનંગસેના નામે વેશ્યાપુત્રીએ પોતાની માતા(અક્કા)ને કહ્યું- હે માતા! આપણે આ પુરુષનું ઘણું ઘન ખાઈ ગયા છીએ, તો હમણા તેની આવી વિડંબના કેમ કરો છો? અક્કા બોલી–“પુત્રી! આપણો એવો જ કુલાચાર છે.” આવો તેમનો વાર્તાલાપ સાંભળી કૃતપુણ્ય મનમાં કચવાતો સતો ત્યાંથી નીકળી પોતાના ઘર તરફ જવા ચાલ્યો. પતિને દૂરથી આવતો જોઈ ઘન્યાએ ઊભા થઈ, સામા આવી આસન આપવા આદિથી યોગ્ય સત્કાર કર્યો. પછી પોતાના ઘરનો સર્વ વૃત્તાંત તેણે નિવેદન કર્યો. તે સાંભળી તપુણ્ય ચિંતવવા લાગ્યો–“અહો! મારા જીવિતને ધિક્કાર છે. મેં મારા માતાપિતાને દુઃખસાગરમાં ફેંકી દીઘાં અને પૂર્વે સંચય કરેલા સર્વ ઘનનો પણ વિનાશ કર્યો. આ પ્રમાણે પોતાના પતિને પશ્ચાત્તાપ કરતાં જોઈ ઘન્યાએ તેને સંતોષ પમાડ્યો અને કહ્યું–“સ્વામીનાથ! જે ભાવી હોય તે થાય છે. કહ્યું છે કે गते शोको न कर्त्तव्यो, भविष्यन्नैव चिंतयेत् । વર્તમાન વેતન, વયંતિ વિયક્ષTદા ગઈ વસ્તુનો શોક કરવો નહીં અને ભવિષ્યની ચિંતા કરવી નહીં. વિચક્ષણ પુરુષો વર્તમાનકાલ વડે જ પ્રવર્તે છે.” આવાં પ્રિયાનાં વચન સાંભળી કૃતપુણ્ય સ્વસ્થ થયો. પછી પત્નીએ આપેલા દ્રવ્ય વડે વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે વિલાસસુખ ભોગવતાં ઘન્યાને એક પુત્ર થયો. એક વખતે કૃતપુણ્ય લોકોના મુખથી એવું સાંભળ્યું કે “ઘનેશ્વરના પુત્ર તપુયે પોતાના કુળને કલંકિત કર્યું. પોતાના પિતાનું ઘન વેશ્યાના ફંદમાં પડીને ખાડામાં નાખી દીધું. તેનું કાંઈ પણ ઘન સુકૃતમાં ગયું નહીં.” આવી લોકવાણી સાંભળી કૃતપુયે પોતાની સ્ત્રીને કહ્યું—“પ્રિયા! હાલમાં કોઈ સાર્થવાહ અહીં આવેલ છે. તેની સાથે અનેક દેશ જોવા અને ઘન ઉપાર્જન કરવા માટે હું જવા ઇચ્છું છું.” આવાં વચન સાંભળી કુલીન સ્ત્રી ઘન્યા બોલી–સ્વામી! આમ કાંઈ પણ લીઘા વિના ખાલી જવું આપને ઉચિત નથી.” પછી કાંઈક કરિયાણું લાવી આપી તે સાર્થની સાથે પતિને જવા કહ્યું અને કોઈ દેવાલયમાં જઈ, મોદકનું ભાતું સાથે આપી એક ખાટલા ઉપર તેને સુવાડી ઘન્યા ઘેર આવી. આ અરસામાં એવું બન્યું કે તે નગરમાં ઘનદ નામનો કોઈ મોટો ગૃહસ્થ રહેતો હતો. તેને ચાર સ્ત્રીઓ હતી અને રૂપવતી નામે તેની વૃદ્ધ માતા હતી. તે ઘનદ અકસ્માતુ કોઈ તીવ્ર વ્યાધિ થવાથી મૃત્યુ પામ્યો. તે વખતે તેની માતા રૂપવતીએ ચારે વધૂઓને કહ્યું-“તમારો પતિ પુત્ર-વગરનો મૃત્યુ પામ્યો છે એમ જો આપણા રાજાના સાંભળવામાં આવશે તો તે આપણું સર્વ ઘન લઈ લેશે; તેથી તમારે આ વખતે બિલકુલ રુદન કરવું નહીં, ગુપ્ત રીતે આ શબને ભૂમિમાં ક્ષેપવી દેવું અને જ્યાં સુધી તમને પુત્ર થાય ત્યાં સુધી બીજો પુરુષ સેવવો.” ચારે સ્ત્રીઓએ તેમ કરવા કબૂલ કર્યું. એટલે રૂપવતી ચારે વધૂઓને લઈને કોઈ યોગ્ય પુરુષને શોધવા નીકળી. ત્યાં દેવાલયમાં સૂતેલો કૃતપુણ્ય તેમના જોવામાં આવ્યો, એટલે તેને સૂતો ને સૂતો ઉપાડી ઘરમાં લઈ આવ્યા. ભાગ ૩-૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy