SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ -- — ૮૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૨ માણસે પ્રતિદિન જળનો એક ચળું (ઘડો) પીવો. ૫. જમીને ઊઠ્યા પછી જળથી આર્ટ એવા હાથ વડે બે લમણાને, બીજા હાથને કે નેત્રને સ્પર્શ કરવો નહીં, પણ ઢીંચણ ઉપર જ તે હાથ ફેરવવો તે શ્રેયકારી છે. ૬. ભોજન કર્યા પછી ડાબે પડખે બે ઘડી નિદ્રા વગર શયન કરવું અથવા સો ડગલાં ચાલવું. ૭. વળી ભોજન સમયે અગ્નિ, નૈઋત્ય ને દક્ષિણ દિશા, સંધ્યાકાળ, સૂર્યચંદ્રના ગ્રહણની વેળા અને પોતાના સ્વજનાદિકનું શબ પડ્યું હોય તે વખત વર્જિત કરવો. ૮. ભોજનમાં, મૈથુનમાં, સ્નાન કરવામાં, વમનમાં, દાતણ કરવામાં, મલોત્સર્ગ વખતે અને પેશાબ કરતાં બુદ્ધિમાન પુરુષે મૌન રાખવું. ૯, ભોજન કર્યા પછી નવકાર મંત્રનું સ્મરણ કરીને ઊઠવું.” આ પ્રમાણે વિધિથી કરેલું ભોજન પ્રશંસનીય છે. તેથી તેવા જ વિધિથી શુદ્ધ આત્માવાળા ગૃહસ્થ ભોજન કરવું અને પોતાના આત્માને સેંકડો પ્રકાર વડે ગૃહીઘર્મને વિષે આરોપણ કરવો. વ્યાખ્યાન ૧૬૭ દાનની પ્રશંસા पूर्वकर्मादिभिर्दोषैर्मुक्तं कल्प्यं शुभाशनम् । साधूनां पात्रसात्कृत्य भोक्तव्यं कृतपुण्यवत् ॥१॥ ભાવાર્થ-“પૂર્વકર્માદિ દોષથી રહિત અને કહ્યું તેવું ઉત્તમ ભોજન સાધુઓના પાત્રમાં આપીને પછી કૃતપુણ્યની જેમ ભોજન કરવું.” કૃતપુણ્યની કથા રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તે નગરમાં ઘનશ્વર નામે સાર્થવાહ રહેતો હતો. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેને કૃતપુણ્ય નામે એક પુત્ર થયો હતો. માતાપિતાએ ઘન્યા નામની એક ગૃહસ્થની પુત્રી સાથે તેને પરણાવ્યો હતો, પરંતુ યૌવનવય છતાં તપુણ્યને પુરુષોના સમાગમને લીધે વિષયથી વિમુખ દેખીને તેના માતાપિતાએ ચિંતવ્યું કે કદી આ પુત્ર દીક્ષા લેશે તો પછી આપણી શી ગતિ થશે?” આવું વિચારી તેમણે પુત્રને ભોગરસિક પુરુષોની સંગતિમાં મૂક્યો. ત્યાં જારપુરુષોના સંયોગથી કૃતપુણ્ય વ્યસની થઈ ગયો. છેવટે એક વેશ્યામાં તે એવો આસક્ત થઈ ગયો કે તે માતાપિતાને પણ ભૂલી ગયો. માતાપિતા તેના ઉપયોગ માટે હંમેશાં ઘન મોકલવા લાગ્યા. એ પ્રમાણે વેશ્યાને ઘેર રહેતાં કૃતપુણ્યના એક ક્ષણની જેમ બાર વર્ષ ચાલ્યા ગયાં. માતાપિતાએ તેને વારંવાર તેડાવ્યો, પણ તે ઘરે આવ્યો નહીં. છેવટે વેશ્યાને ઘેર ઘન મોકલતાં તેનું સર્વ ઘન નષ્ટ થઈ ગયું અને એકદા અકસ્માતુ તીવ્ર જ્વર આવવાથી કૃતપુણ્યનાં માતાપિતા પણ મૃત્યુ પામી ગયાં. માત્ર કૃતપુણ્યની સ્ત્રી ઘન્યા એકલી રહી. એક વખતે વેશ્યાની માતા કુટ્ટિનીની આજ્ઞાથી તેની કોઈ દાસી કૃતપુણ્યને ઘેર ઘન લેવાને ગઈ. ત્યાં જીર્ણ થઈને પડી ગયેલા ઘરમાં એકલી ઘન્યાને દીઠી. અનુમાન વડે આ કૃતપુણ્યની સ્ત્રી હશે એવું ઘારી દાસીએ કહ્યું-સુંદરી! તારી પાસેથી તારા સ્વામી ઘન મગાવે છે, અને તે માટે જ મોકલી છે.” ઘન્યા બોલી-“બાઈ! હું મંદભાગી છું. મારી પાસે ઘન ક્યાં છે કે હું મોકલું? મારા સાસુ અને સસરા તો સ્વર્ગવાસી થયાં છે; તો પણ મારા પિતાએ આપેલું એક અંગભૂષણ (મંગળસૂત્ર) મારી પાસે છે તે તું લઈ જા અને મારા પતિને ખુશ કર.” એમ કહી તે આભૂષણ તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy