SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ વ્યાખ્યાન ૧૬૬] ગૃહસ્થોની ભોજનવિધિ ભોજન અથવા ચારાપાણી વગેરે ઉચિત પ્રમાણમાં આપીને, પછી નવકાર ગણીને તથા પચખાણ સંભારીને ભોજન લેવું. ભોજન કરવાના સમયનું ઉલ્લંઘન કરવું નહીં. કહ્યું છે કે याममध्ये न भोक्तव्यं, यामयुग्मं नो लंघयेत् । याममध्ये रसोत्पत्तिः, यामयुग्मे बलक्षयम् ॥१॥ એક પહોરની અંદર જમવું નહીં અને બે પહોરનું ઉલ્લંઘન કરવું નહીં, કારણ કે પહેલા પહોરમાં જમે તો રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર સુધી ન જમે તો બળનો ક્ષય થાય છે.” વળી યોગ્ય સમયે જમવું, તેમાં પણ ચાલતી ઋતુને યોગ્ય એવો આહાર લેવો. તે વિષે કહ્યું છે કે-“શરઋતુમાં જે જળ પિવાયું, પોષ અને માઘ માસમાં જે ખવાયું અને જ્યેષ્ઠ અને અશાડ માસમાં જે સુવાયું તેનાથી જ મનુષ્ય જીવે છે.” વળી કહ્યું છે કે-“વર્ષાઋતુમાં લવણ અમૃત છે, શરઋતુમાં જળ અમૃત છે, હેમંતઋતુમાં ગાયનું દૂધ અમૃત છે, શિશિરઋતુમાં આમળાનો રસ અમૃત છે, વસંતઋતુમાં ઘી અમૃત છે અને ગ્રીષ્મઋતુમાં ગોળ અમૃત છે.” સર્વ ભોજન લોલુપતા વગર કરવું. તે વિષે કહ્યું છે કે क्षणमात्रसुखस्यार्थे, लोल्यं कुर्वन्ति नो बुधाः । कंठनाडीमतिक्रांतं, सर्वं तदशनं समं ॥१॥ “પ્રાજ્ઞપુરુષો ક્ષણમાત્રના સુખને માટે ભોજનની લોલુપતા કરતા નથી, કારણ કે કંઠની નાડી અતિક્રમ્યા પછી તો સર્વ ભોજન સરખું જ છે.” જમવા માટે જીવવું નથી, પણ જીવવા માટે જમવાનું છે. આ દેહથી આત્માર્થ સાધવો છે, તેમાં સાથ આપે તે માટે દેહને ખોરાક આપવો છે. માટે સાદું ભોજન કરવું અને તે પણ પ્રમાણસર કરવું. અધિક ભોજન પણ કરવું નહીં. અધિક ભોજન કરવાથી અજીર્ણ, વમન, વિરેચન વગેરે રોગ સુલભ થાય છે. કહ્યું છે કે–“હે જીભ! જમવાનું અને બોલવાનું પ્રમાણ તું જાણી લે; કારણ કે અતિ આહાર કરવાનું અને અતિ બોલવાનું પરિણામ દાણ આવે છે.” વળી કહ્યું છે કે“હિતકારી, મિત અને પક્વ ભોજન કરનાર, ડાબે પડખે સૂનાર, હમેશાં ચાલવાની ટેવવાળો, દસ્ત પેશાબને નહીં રોકનાર અને સ્ત્રીને વિષે મનને વશ રાખનાર એવો પુરુષ સર્વ રોગોને જીતે છે.” વળી કહ્યું છે કે-“આકાશમાં (અગાસીમાં), તડકામાં, અંઘકારવાળી જગ્યામાં, ઝાડની નીચે, સ્મશાનમાં, પોતાના આસન ઉપર જ બેઠા બેઠા, તર્જની આંગળીને ઊંચી કરીને, ડાબી નાસિકા વહેતી હોય ત્યારે, કેવળ ભૂમિ ઉપર બેસીને અને જોડા પહેરીને કદી પણ જમવું નહીં; તેમ જ ટાટું થઈ ગયેલું ભોજનાદિ ફરી ઊનું કરાવીને ખાવું નહીં.” શ્રી જિનદત્તસૂરિ વિરચિત વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે “૧. એક જ વસ્ત્ર પહેરીને, ભીનું વસ્ત્ર માથે વીંટી રાખીને, અપવિત્રપણે અને અતિ લોલુપતા રાખીને સુજ્ઞ પુરુષે ભોજન કરવું નહીં. ૨. વળી મળમૂત્રાદિ વડે અપવિત્ર થયેલું, ગર્ભાદિ હત્યાના કરનારાએ જોયેલું, રજસ્વલા સ્ત્રીએ અડકેલું અને ગાય, શ્વાન કે પક્ષીઓએ બોટેલું વા સુંઘેલું ભોજન જમવું નહીં. ૩. વળી જળ પીવા વિષે લખેલું છે કે ભોજનની પહેલાં જળ પીવું તે વિષ તુલ્ય છે, ભોજનને અંતે જળ પીવું તે શિલા જેવું છે અને મધ્યે જળ પીવું તે અમૃત જેવું છે. ૪. ભોજન કર્યા પછી સર્વ રસ ભરેલા હાથ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy