SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (રdલ ૧૨) વ્યાખ્યાન ૧૬ ગૃહસ્થોની ભોજનવિધિ भुक्तिकाले गृहस्थेन, द्वारं नैव पिधीयते । बालादीन् भोजयित्वातु, शस्यते भोजनं सदा ॥१॥ ભાવાર્થ-“ભોજન વખતે ગૃહસ્થ ઘરનું દ્વાર બંઘ કરવું નહીં અને બાલ, વૃદ્ધ, ગ્લાન વગેરેને જમાડીને હમેશાં ભોજન કરવું તે પ્રશંસનીય છે.” વિશેષાર્થ–ભોજન વખતે ગૃહસ્થ ઘરનું દ્વાર બંધ કરવું નહીં, કારણ કે જો ગૃહસ્થનું દ્વાર બંધ હોય તો તે બંઘ દેખી ભિક્ષુકપ્રમુખ નિરાશ થઈ પાછા જાય છે. આગમમાં પણ કહ્યું છે કે नेव दारं पिहावेइ, भुंजमाणो सुसावओ । अणुकंपा जिणंदेहिं, सड्डाणं नत्थि वारिया ॥१॥ શ્રાવક ભોજન કરતી વખતે પોતાના ઘરનું દ્વાર બંઘ કરે નહીં, કારણ કે પ્રભુએ શ્રાવકોને અનુકંપાદાન કરવાનો નિષેઘ કરેલો નથી.” વળી પાંચમા અંગ શ્રી વિવાહપન્નત્તિ સૂત્રમાં તંગિકગિરિના શ્રાવકના વર્ણન પ્રસંગે કહ્યું છે કે તે શ્રાવકો “મંગુગલુવારા’’ છે. એ વિશેષણનો એવો અર્થ થાય છે કે ‘ભિક્ષુક વગેરેના પ્રવેશ માટે તે શ્રાવકો સર્વદા પોતાનાં ઘરનાં દ્વાર ઉઘાડાં રાખે છે, જેથી ભિક્ષુક નિરાશ થઈ પાછા ચાલ્યા જતા નથી. દ્વાર બંધ કરીને તેઓ ઘર્મની નિંદા કરાવતાં નથી.” ભોજન વખતે દ્વાર બંઘ કરવાં તે મહતુ પુરુષોનું લક્ષણ નથી. શ્રી જિનેશ્વર ભગવંતે પણ સાંવત્સરિક દાનથી દીન લોકોનો ઉદ્ધાર કરેલો છે. વિક્રમના સમયથી તેરસો ને પંદરમે વર્ષે જ્યારે મોટો દુકાળ પડ્યો ત્યારે કચ્છદેશમાં ભદ્રેશ્વર નગરના રહેવાસી શ્રીમાળી સાહુકાર જગડુશાહે એક સો ને બાર દાનશાળાઓ ઉઘાડીને દાન આપ્યું હતું. કહ્યું છે કે “તે દુર્ભિક્ષમાં હમ્મીરને બાર હજાર મૂડા, વિશળદેવને આઠ હજાર મૂડા અને દિલ્લીના બાદશાહને એકવીશ હજાર મૂડા ઘાન્ય જગડુશાહે આપ્યું હતું.” સમૃદ્ધિવાળા ગૃહસ્થ ભોજન સમયે દયાદાન વિશેષે કરવું અને નિર્ધનને યથાશક્તિ દાન આપવું. કહ્યું છે કે कुकिंभरी न कस्कोऽत्र, बह्वाधाराः पुमान् पुमान् । ततस्तत्कालमायातान्, भोजयेद् बांधवादिकान् ॥१॥ ભાવાર્થ-“પોતાનું પેટ ભરનાર તો કયો પુરુષ નથી? પણ જે પુરુષ ઘણાના આઘારરૂપ હોય છે તે જ પુરુષ કહેવાય છે, તેથી ભોજનકાળે આવેલા બાંઘવપ્રમુખને અવશ્ય ભોજન આપવું.” તે ઉપર એક કથા છે કે ચિત્રકૂટમાં ચિત્રાંગદ નામે એક રાજા હતો. એક વખતે તેના કિલ્લા ઉપર શત્રુના સૈન્ય ઘેરો નાખ્યો હતો. તે વખતે નગરમાં શત્રુઓના પ્રવેશનો ભય છતાં પણ તે ઘાર્મિક રાજા ભોજન વખતે દરવાજા ઉઘાડા રાખતો હતો. પ્રારંભમાં શ્લોકના ત્રીજા પાદમાં “બાળક પ્રમુખને જમાડીને પછી જમવું' એમ કહ્યું છે તેમાં પ્રમુખ (વગેરે) શબ્દથી બાળ, ગ્લાન, વૃદ્ધ, માતાપિતા, પુત્રવધૂ, સેવકવર્ગ અને ગાય પ્રમુખને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy