SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૫] અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર એક વખતે એવું બન્યું કે ચંપકશેઠ કોઈ ભિક્ષા માટે ફરતા મુનિને જોઈ હર્ષથી બોલાવી લાવ્યો. મુનિને ઘી આપવા ઉદ્યમવંત થયો. ભાવથી અખંડ ધારા વડે મુનિના પાત્રમાં ઘી રેડવા માંડ્યું. આથી તેણે અનુત્તર વિમાનની સંપત્તિ ઉપાર્જન કરી. મુનિએ તેને પુણ્યનો લાભ થતો જોઈ ઘીની ઘારા પડવા દીઘી, નિષેધ કર્યો નહીં. મુનિએ ના કહી નહીં, એટલે ચંપકશેઠે મનમાં ચિંતવ્યું કે ‘અહો! આ મુનિ લોભી લાગે છે, પોતે એકલા છે અને આટલું બધું ઘી શું કરશે?' આવા ચિંતવનથી જે ક્રમ વડે તે દેવગતિ ઉપાર્જન કરવા ચડ્યો હતો તે ક્રમ વડે તેને પાછો પડતો જોઈ જ્ઞાની મુનિ બોલ્યા-‘મુગ્ધ! આટલે ઊંચે જઈ પાછો પડ નહીં.' ચંપકશેઠે કહ્યું-‘ભગવન્! હું તો અહીં જ છું, ક્યાંથી પડું છું? આમ અસંબંધ કેમ બોલો છો?’ પછી મુનિ પાત્રને ખેંચી લઈ તેને બારમા દેવલોકમાં સ્થાપી બોલ્યા–‘શ્રાવક! દાન આપવામાં અન્ય વિકલ્પ કરવાથી તે દૂષિત થઈ જાય છે, માટે નિર્વિકલ્પપણે દાન આપવું. લોકમાં પણ શુકન અને સ્વપ્નનાં ફળ વિકલ્પથી દૂષિત થાય છે.’ તે સાંભળી ચંપકશેઠે પોતાનું પાપ આલોચ્યું અને અંતે મૃત્યુ પામી બારમા દેવલોકમાં ગયો. તે માટે કહ્યું છે કે— सातिचारेण यद्दानं, तद्दानं स्वल्पसौख्यदम् । मत्वेति विधिना श्राद्धैर्वितीर्यं भावधार्मिकैः ॥ १ ॥ ભાવાર્થ—જે અતિચાર સહિત દાન છે તે અલ્પસુખને આપનારું છે, એમ જાણીને ભાવિક અને ધાર્મિક એવા શ્રાવકોએ વિધિપૂર્વક દાન કરવું.” इत्युपदेशप्रासादटीकेयं लिखिता મા | पंचदशभिरस्त्राभिः स्तंभश्चैकादशः स्तुतः ॥ १ ॥ Jain Education International 60 ભાવાર્થ-આ પ્રમાણે ઉપદેશપ્રાસાદની ટીકા મેં લખેલી છે, અને પંદર જુદા જુદા પ્રબંધોરૂપ અસ્રો (હાંશો) વડે આ અગિયારમો સ્તંભ સ્તવેલો છે (પૂર્ણ કરેલો છે).’’ अब्दाहर्मितज्ञातेषु, शताग्रं पंचषष्ठीतम् प्रेमादिविजयादिना नित्यं व्याख्यानहेतवे ॥ ભાવાર્થ—“વર્ષના દિવસ જેટલા દૃષ્ટાંતોમાંથી એકસો ને પાંસઠ વ્યાખ્યાન પ્રેમવિજયાદિ મુનિને નિરંતર વ્યાખ્યાન કરવા માટે કહેવામાં આવ્યા છે.’’ || એકાદશ સ્તંભ સમાપ્ત | 7506 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy