SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૪] મુનિદાનનો પ્રભાવ वरसो वरसो अंबुदह, वरसीडां फळ जोय । धंतुरे विष इक्षु रस, एवडो अंतर होय ॥ १ ॥ ‘વરસાદ ભલે જ્યાં ત્યાં વરસો, પણ તેનાં ફળ જુઓ. ધંતૂરાને વિષે વિષ થાય છે અને શેલડીમાં અમૃત જેવો રસ થાય છે. એટલું અંતર કુપાત્ર ને સુપાત્ર દાનમાં સમજવું.’’ સર્વ દાનમાં અન્નનું દાન અતિ મોટું છે. કહ્યું છે કે– સર્વેષાં ચૈવ ભૂતાના—મન્ત્રઃ પ્રાણાઃ પ્રતિષ્ઠિતાઃ | तेनान्नदो विशां श्रेष्ठः, प्राणदाता स्मृतो बुधैः ॥ १ ॥ ‘સર્વ પ્રાણીઓના પ્રાણ અન્ન વડે જ રહેલા છે તેથી અન્નદાન કરનાર પૃથ્વીમાં શ્રેષ્ઠ છે અને તેને વિદ્વાનો પ્રાણદાતા કહે છે.’’ વળી ‘“પ્રાણીઓના પ્રાણ અન્ન છે, અન્ન તે જ અનેક સુખનો સાગર છે; તેથી અન્નદાન જેવું કોઈ બીજું દાન થયું નથી અને થશે પણ નહીં.’’ ‘પાત્રમાં સર્વથી ઉત્તમ પાત્ર મુનિ છે, મધ્યમ પાત્ર ઉત્તમ શ્રાવક છે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ છે.” સત્પાત્રનો યોગ થાય તો તેને આપીને પછી જમવું, અને જો તેવો યોગ ન થાય તો ભોજન વખતે ઘરની બહાર આવી દિશાવલોકન' કરીને પછી જમવું. આ પ્રમાણે અતિથિને આપેલું સ્વલ્પ દાન પણ ચંદનબાલા, શ્રેયાંસ અને નયસારની જેમ બહુ ફળને આપનારું થાય છે. જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ રત્નના યોગે તત્કાળ મોક્ષ મળે છે, તેમ જ શુદ્ધ ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણના યોગે પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. ૭૧ વ્યાખ્યાન ૧૪ મુનિદાનનો પ્રભાવ पश्य संगमको नाम, संपदं वत्सपालकः Jain Education International चमत्कारकरीं પ્રાય, मुनिदानप्रभावतः॥१॥ ભાવાર્થ—“જુઓ, મુનિદાનના પ્રભાવથી સંગમક નામે વત્સપાલ (ગોવાળ) ચમત્કાર પમાડે તેવી સંપત્તિને પામ્યો હતો.’’ સંગમની કથા રાજગૃહ નગરની નજીક આવેલા એક શાલિ નામના ગ્રામમાં ઘન્યા નામે એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તેને સંગમ નામે એક પુત્ર હતો. આ પુત્ર ગામની ગાયોને અને વાછરડાઓને ચારતો હતો. એક દિવસ પર્વદિવસ આવવાથી સર્વત્ર ખીરના ભોજન જમતાં લોકોને જોઈ એ ગરીબ બાળકે પોતાની માતા પાસે આવી ખીરની યાચના કરી, એટલે માતાએ કહ્યું–‘વત્સ! આપણા ઘરમાં ખીર નથી.’ તો પણ બાળક હઠ કરી વારંવાર માગવા લાગ્યો અને રડવા લાગ્યો. પુત્રની ઇચ્છા પાર ન પડવાથી માતાએ પણ રુદન કરવા માંડ્યું. તેને રુદન કરતી જોઈ આસપાસની પાડોશણો ભેગી થઈ અને તેને રોવાનું કારણ પૂછ્યું. તેણે બધી હકીકત પાડોશણોને જણાવી. ૧ ભાગ્યયોગે કોઈ મુનિ અકસ્માત્ આવી ચડે તો લાભ મળી જાય; તેટલા માટે ચારે તરફ જોવું. ૨ મહાવીરસ્વામીના ૨૭ ભવ પૈકીના પહેલે ભવે જેમણે મુનિદાન આપ્યું હતું તે નયસાર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy