SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૧ પાડોશણોને દયા આવી, એટલે દૂધ વગેરે ખીરની બધી સામગ્રી તેઓએ લાવી આપી. ધન્યાએ ખીર બનાવી, તેનો થાળ ભરી પુત્રને આપ્યો અને પોતે કોઈ કાર્યપ્રસંગે ઘરની બહાર ગઈ. ૭૨ ખીરનો થાળ જોઈ તે પુણ્યવાન બાળકને વિચાર થયો કે ‘જો આ અવસરે કોઈ મુનિ આવે તો તેમને વહોરાવીને પછી બાકીની ખીર હું જમું તો ઠીક.' દૈવયોગે તેવામાં કોઈ માસના ઉપવાસવાળા મુનિ તેને ઘેર આવી ચડ્યા. સંગમે મુનિને જોતાં જ તેમની સ્તુતિ કરતાં ઉલ્લાસથી ખીરનો થાળ ઉપાડી ‘હું તરી ગયો’ એવી બુદ્ધિ વડે બઘી ખીર મુનિને વહોરાવી દીધી. દયાળુ મુનિએ તે ક્ષીર વડે પારણું કર્યું. મુનિ ગયા પછી ધન્યા આવી. તેને મુનિ સંબંધી કાંઈ ખબર નહોતી, તેથી તેણે જાણ્યું કે પુત્ર બધી ખીર ખાઈ ગયો જણાય છે, તેથી ફરી વાર તેણે ખીર પીરસી. સંગમે કંઠ સુધી તે ખાઘી; પણ તેને પચી નહીં, તેથી રાત્રિએ વિષૅચિકા થવાથી તે મૃત્યુ પામ્યો. મુનિદાનના પ્રભાવથી તે રાજગૃહ નગરમાં ગોભદ્ર શ્રેષ્ઠીની ભદ્રા નામે સ્ત્રીના ઉદરમાં અવતર્યો. તે સમયે ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાલિનું ક્ષેત્ર જોયું. પૂર્ણ સમય થતાં પુત્રરત્નનો પ્રસવ થયો. ગોભદ્ર શેઠે સ્વપ્નને અનુસારે તેનું નામ શાલિભદ્ર પાડ્યું. પાંચ ધાત્રીઓ વડે લાલનપાલન કરાતો તે પુત્ર કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યો. પિતાએ તેને સર્વ કળાઓનો અભ્યાસ કરાવ્યો. શાલિભદ્ર યુવાન થયો, એટલે ગોભદ્રે શેઠે મોટા ઉત્સવથી તેને મોટા શેઠીઆઓની બત્રીશ કન્યાઓ પરણાવી. દેવીઓની સાથે ઇંદ્રની જેમ શાલિભદ્ર તે સ્ત્રીઓ સાથે વિલાસ કરવા લાગ્યો. રમણીઓના વિલાસમાં મગ્ન થયેલા શાલિભદ્રને રાત્રિ કે દિવસના અંતરની પણ ખબર પડતી નહોતી. એક વખત શ્રી વીરપ્રભુની દેશના સાંભળી ગોભદ્ર શેઠને વૈરાગ્ય થયો, તેથી શ્રી વીરપ્રભુના ચરણમાં ચારિત્ર અંગીકાર કરી અનશન કરીને સ્વર્ગે ગયા. ત્યાં અવધિજ્ઞાન વડે જોઈને ગોભદ્ર દેવે પુત્રવાત્સલ્યને લીધે તેમ જ તેના પુણ્યના આકર્ષણથી કલ્પવૃક્ષની જેમ પ્રતિદિવસ દિવ્ય વસ્ત્ર, અલંકાર અને સુગંધી પદાર્થો સ્ત્રીસહિત પુત્રને અર્પણ કરવા માંડ્યા. ઘર સંબંધથી ઉચિત સર્વ કાર્ય તો ભદ્રામાતા કરતા હતા એટલે શાલિભદ્ર તો કેવલ ભોગસુખને જ અનુભવવા લાગ્યો. એક દિવસે કેટલાક રત્નકંબલના વ્યાપારીઓ રાજગૃહ નગરમાં આવ્યા. તેઓએ રત્નકંબલ વેચવા માટે શ્રેણિક રાજાને બતાવ્યાં; પણ તે મૂલ્યમાં અતિ મોંઘાં હોવાથી શ્રેણિકે લીધાં નહીં. પછી તે વ્યાપારીઓ ફરતાં ફરતાં શાલિભદ્રને ઘેર આવ્યા. ત્યાં ગોભદ્ર શેઠની સ્ત્રી ભદ્રાએ મોં-માગ્યું મૂલ્ય આપી તે ખરીદ કર્યા. આ વૃત્તાંત જાણી ચેલણા રાણીએ શ્રેણિક પાસે એક રત્નકંબલની માગણી કરી. પછી શ્રેણિકે તે વ્યાપારીઓને બોલાવી એક રત્નકંબલ વેચાતું માગ્યું. વ્યાપારીઓ બોલ્યા—‘ભદ્રા શેઠાણીએ બધાં રત્નકંબલ ખરીદી લીધાં છે, હવે અમારી પાસે એક પણ નથી.’ તે સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણિક રાજાએ એક રત્નકંબલ મૂલ્યથી લેવા માટે એક સેવકને ભદ્રા પાસે મોકલ્યો. તેણે જઈ ભદ્રા પાસે તેની માગણી કરી. ભદ્રા બોલી–‘હે સેવક! તે સોળ રત્નકંબલના બત્રીશ ટુકડા કરી મારા પુત્રની સ્ત્રીઓએ તે વડે પગ લૂંછી ફેંકી દીધાં છે. જો રાજાને ૧ બત્રીશ સ્ત્રીઓ અને શાલિભદ્ર માટે ૩૩-૩૩ પેટી વસ્ત્ર, અલંકાર ને સુગંધી પદાર્થોની દ૨૨ોજ મોકલતા હતા એટલે કુલ નવ્વાણું પેટીઓ રોજ મોકલતા હતાં. ૨ એકેક રત્નકંબલનું મૂલ્ય સવાલાખ સોનૈયા—તેવાં ૧૬ રત્નકંબલ હતાં તે બધાં ખરીદ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy