SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ છo શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૧ આનંદના અશ્રુ આવે, રોમાંચ ખડા થાય, બહુમાન કરે, પ્રિય વચન બોલે અને સુપાત્રની અનુમોદના કરે–એ પાંચ દાનનાં આભૂષણ છે.” આત્માને તારવાની બુદ્ધિથી દાન આપીને પછી જમવું તે દેવભોજન છે અને તે સિવાયનું પ્રેતભોજન છે. દાનમાં પણ જે સુપાત્રદાન છે તે મોટાં ફળને આપનારું છે. કહ્યું છે કે दानं धर्मपुरोविष्णुः तच्च पात्रे प्रतिष्ठितम् । मौक्तिकं जायते स्वाति-वारि शुक्तिगतं यथा ॥१॥ “ઘર્મમાં દાનઘર્મ મહાતેજસ્વી છે; તે જો સુપાત્રે આપ્યું હોય તો સ્વાતિનક્ષત્રનું છીપમાં પડેલું જળ જેમ મોતી થાય છે તેમ તે સફળ થાય છે.” વળી કહ્યું છે કે केसिं च होइ वित्तं, चित्तं केसि पि उभयमन्नेसिं । चित्तं वित्तं च पत्तं च, तिन्नि पुन्हेहिं लभ्भंति ॥१॥ કોઈને વિત્ત (ઘન) હોય, કોઈને ચિત્ત હોય અને કોઈને તે બન્ને વાનાં હોય; પણ ચિત્ત, વિત્ત ને પાત્ર એ ત્રણ વાનાં તો પુણ્ય વડે જ પ્રાપ્ત થાય છે.” તે ઉપર એક દ્રષ્ટાંત છે કે-કોઈ દાનથી પરાક્ષુખ એવો રાજા મોટા અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં મઘના બિંદુ જેમાંથી ગળી રહ્યા છે અને માખીઓનો બણબણાટ થઈ રહ્યો છે એવો મધપૂડો તેના જોવામાં આવ્યો. તે જોઈ રાજાએ ત્યાં આવી ચડેલા પંડિતોને પૂછ્યું કે “આ મઘપૂડો કેમ રડે છે?” એટલે તેમાંથી એક પંડિત રાજાને પ્રતિબોઘ પમાડવાના હેતુથી બોલ્યો-“રાજ! જ્યારે પાત્ર મળે છે ત્યારે વિત્ત હોતું નથી અને જ્યારે વિત્ત હોય છે ત્યારે સારું પાત્ર મળતું નથી; આવી ચિંતામાં પડેલો મઘપૂડો અશ્રુપાત કરી રુદન કરે છે એમ મને લાગે છે.” આ વચન સાંભળ્યાં ત્યારથી તે રાજા સત્પાત્રને દાન આપવામાં તત્પર થયો. કર્ણરાજા ઘણો દાતાર હતો. દાન કરવાથી મોક્ષ વગેરે સુખ મળે છે એવું માની તે હમેશાં પ્રભાતે સો ભાર સુવર્ણ આપીને પછી સિંહાસનથી ઊઠતો હતો. એક વખતે રાજા કર્ણને સત્પાત્રને દાન આપવાની ઇચ્છા થઈ. તે દિવસે પ્રભાતે કોઈ બે ચારણ કે જેમાં એક શ્રાવક હતો અને એક મિથ્યાત્વ ઘર્મથી વાસિત હતો તે પ્રથમ આવ્યા. તેમને જોઈ કણે વિચાર્યું કે આજે મારે પ્રથમ સત્પાત્રને દાન આપવું છે; કારણ કે તેથી સદ્ગતિ મળે છે. કહ્યું છે કે __ अन्नदातुरधस्तीर्थंकरोऽपि कुरुते करं । । तच्च दानं भवेत् पात्रदत्तं बहुफलं यतः॥१॥ “અન્ન આપનારના હાથ નીચે તીર્થંકર પણ હાથ ઘરે છે. તેવું દાન જો પાત્રને આપેલું હોય તો તે મહાફળ આપે છે.” આવા વિચારથી પાત્રની પરીક્ષા કરવા માટે કર્ણ દાન આપ્યું નહીં. એટલામાં તેમાંથી એક ચારણ બોલ્યો पत्तं परिख्खह किं करह, दिजओ मग्गंताह । वरसंतह किं अंबुदह, जोई समविसमाह ॥१॥ હે રાજા કર્ણ! પાત્રની પરીક્ષા શું કરો છો? જે માગવા આવે તેને આપો; વરસાદ વરસે છે તે શું સારું સ્થાન કે નઠારું સ્થાન જોઈને વરસે છે?” તે સાંભળી કણે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy