SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ 5૮ ગયો વ્યાખ્યાન ૧૬૩] અતિથિસંવિભાગ વ્રત પાછળ ચાલ્યો. દૂરથી પતિને આવતો જોઈ અંબિકા ભય પામીને પુત્ર સાથે નજીકમાં એક કૂવો હતો તેમાં પડી. શ્રી નેમિપ્રભુનું શરણ ગ્રહણ કરીને મૃત્યુ પામવાથી તે કોહંડ વિમાનને વિષે મોટી સમૃદ્ધિવાળી અંબિકા નામે દેવી થઈ. તે વિષે પૂર્વ પૂજ્યોએ કહેલું છે કે “સારા અધ્યવસાયે પ્રાણ તજીને અંબિકા દેવી થઈ.” બીજા વળી એમ કહે છે કે “ગિરનારના શિખર ઉપરથી ઝંપાપાત કરી મૃત્યુ પામીને તે સૌઘર્મ દેવલોકની નીચે ચાર યોજન કોહંડ નામે વિમાન છે તેમાં અંબિકા નામે મહર્બિક દેવી થઈ. તે દેવીને ચાર ભુજા છે, દક્ષિણ બે હાથમાં આંબાની લૂમ ઘારણ કરેલી છે અને ડાબા હાથમાં બે પુત્ર અને અંકુશ રાખેલા છે.” અંબિકાનો પતિ સોમભટ્ટ પણ પોતાની સ્ત્રીને કૂવામાં પડેલી જોઈ લોકાપવાદથી ભય પામી “જેનું શરણ મારી સ્ત્રીએ કર્યું તેનું શરણ મને પણ હજો” એમ કહી તે જ કૂવામાં પડ્યો. તે મૃત્યુ પામીને તે જ વિમાનમાં અંબિકાના વાહનરૂપ સિંહ થયો. “જે દેવીને મુનિદાનના પ્રભાવથી પીતળનાં પાત્રો સુવર્ણનાં થઈ ગયાં, પોતાનો દેહ પણ સુવર્ણ સરખી કાંતિવાળો થઈ ગયો અને જે પરભવમાં દેવી થઈ, તે પ્રભુની ભક્ત અંબિકા દેવીને હું નમન કરું છું.” વ્યાખ્યાન ૧૩. અતિથિસંવિભાગ પ્રત હજુ ચોથું શિક્ષાવ્રત અતિથિસંવિભાગ જ વર્ણવે છે. अतिथिभ्योऽशनावासवासः पात्रादिवस्तुनः । यत्प्रदानं तदतिथिसंविभागवतं भवेत् ॥४॥ ભાવાર્થ_“અતિથિને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે.” વિશેષાર્થ-જેમને સંસારી તિથિપર્વોત્સવ નથી તે અતિથિ કહેવાય છે, અથવા હીરા, માણેક, સુવર્ણ, ઘન અને ઘાન્યમાં જેને લોભ નથી તે અતિથિ કહેવાય છે. આવા અતિથિ મુખ્યપણે ચારિત્રઘારી મુનિ કહેવાય છે. તેમને અન્ન, વસ્ત્ર, નિવાસ અને પાત્ર વગેરેનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. શ્રાદ્ધસમાચારીમાં લખે છે કે “જ્યાં સાઘુઓનું આવાગમન હોય, જ્યાં જિનમંદિર હોય અને જ્યાં ડાહ્યા સાઘર્મી બંધુ રહેતા હોય ત્યાં શ્રાવકે નિવાસ કરવો.” શ્રાવકને પ્રભાતે દેવગુરુને પ્રણામ કર્યા વિના જળપાન પણ કહ્યું નહીં અને ભોજન વખતે ઉપાશ્રય જઈ ગુરુને નિમંત્રી ભક્તિપૂર્વક નિર્દોષ અન્નદાન આપે, પણ અનાદરથી આપે નહીં. કહ્યું છે કે अनादरो विलंबश्च, वैमुखं विप्रियं वचः । पश्चात्तापश्च दातुः स्यात्, दानदूषणपंचकं ॥१॥ અનાદર, વિલંબ, મુખ બગાડવું, અપ્રિય વચન બોલવું અને પશ્ચાત્તાપ કરવો–એ પાંચ દાતા સંબંઘી દાનનાં દૂષણો છે.” તથા– आनंदाश्रूणि रोमांच-बहुमानं प्रियं वचः । તથાનુમોના પાત્રે, નમૂષUપંચમ્ શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy